Thursday 16 May 2024

ભગવાન અચ્યુત


सर्वात्मन्यच्युतेडसर्वे तिव्रौधां भक्तिमुद्वहन् |
ददर्शात्मनि भूतेषु तमेवावस्थितं विभुम् ||

ધ્રુવ મહારાજે સર્વના પ્રભવસ્થાન એવા પરમાત્માની તીવ્ર વેગથી 
ભક્તિ કરી. ભગવદ્દભક્તિ દરમિયાન તેઓ જોઈ શક્યા હતા કે બધું 
જ ભગવાનમાં અવસ્થિત છે અને તેઓ જીવમાત્રમાં સ્થિત છે. ભગવાન 
અચ્યુત કહેવાય છે, કારણ કે પોતાના ભક્તોની રક્ષા કરવાના તેમના મુખ્ય 
કર્તવ્યમાં તેઓ કદાપિ ચૂક કરતા નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Wednesday 15 May 2024

ચિરસ્થાયી ફળ


सत्कारमानपूजार्थ तपो दम्भेन चैव यत् |
क्रियते तदिह प्रोक्तम् राजसं चलमध्रुवम् ||

 કેટલીક વખત વ્રત તથા તપ એટલા વાસ્તે કરાય છે કે જેથી 
લોકો આકર્ષાય અને તેમની પાસેથી સત્કાર, સન્માન તથા પૂજા 
પ્રાપ્ત થઇ શકે. રજોગુણી લોકો પોતાના અધીનસ્થ મનુષ્યો પાસેથી 
પૂજા કરાવે છે અને તેમનાથી પગ ધોવડાવી ધન અર્પિત કરાવે છે.
આવા કૃત્રિમ આયોજનો રાજસી કહેવાય છે. તેમાં ફળ ક્ષણિક હોય 
છે, તે કેટલાક સમય સુધી ટકી શકે છે, પરંતુ કદાપિ ચિરસ્થાયી હોતા નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday 14 May 2024

અવિચળ શ્રદ્ધા અને સ્મરણ


स राजराजेन वराय चोदितो ध्रुवो महाभागवतो महामतिः |
हरौ स वव्रेडचलितां स्मृतिं यया तरत्य यत्नेन दुरत्ययं तमः ||


યક્ષરાજ ( યક્ષોના રાજા ) શ્રી કુબેરે વરદાન માંગવા કહ્યું ત્યારે 
બુદ્ધિશાળી તથા વિચારવાન રાજા એવા અત્યંત ઉન્નત શુદ્ધ ભક્ત 
શ્રી ધ્રુવ મહારાજે એવી માંગણી કરી કે ભગવાનમાં પોતાને અવિચળ 
શ્રદ્ધા અને તેમનું સ્મરણ રહે. કારણ, એ રીતે મનુષ્ય અજ્ઞાનના મહાસાગરને 
સહેલાઈથી પાર કરી શકે છે, જોકે બીજાઓ માટે તે અતિ દુસ્તર છે.

 
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday 13 May 2024

શક્તિઓના સ્વામી


अव्यक्त्स्याप्रमेयस्य नानाशक्त्युदयस्य च |
न वै चिकीर्षितं तात को वेदाथ स्वसम्भवम् ||

પરમ તત્ત્વ પરબ્રહ્મ અપૂર્ણ ઇન્દ્રિયાનુભૂતિના પ્રયાસોથી 
સદા પર છે અને પ્રત્યક્ષ અનુભવથી પણ પર છે. તેઓ 
મહત્તત્ત્વ આદિ વિવિધ પ્રકારની શક્તિઓના સ્વામી છે.
તેમની યોજનાઓ અથવા કાર્યોને કોઈ જાણી શકતું નથી,
માટે એમ સમજવું જોઈએ કે તેઓ જ સર્વ કારણોના આદિકારણ 
છે. તેમ છતાં માનસિક અનુમાન-ચિંતન વડે તેમને કોઈ જાણી 
શકે નથી.

 
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Sunday 12 May 2024

ભગવાન પ્રસન્ન




तितिक्षया करुणया मैत्र्या चाखिलजन्तुषु |
समत्वेन च सर्वात्मा भगवान् संप्रसीदति ||

ભક્ત જયારે બીજા મનુષ્યો પ્રત્યે સહિષ્ણુતા,
કરુણા, મૈત્રી તથા સમભાવપૂર્વક વર્તે છે, ત્યારે 
ભગવાન આવા નિજ ભક્ત ઉપર બહુ પ્રસન્ન થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday 10 May 2024

પરમાત્મા સાથે પ્રેમ


 

Thursday 9 May 2024

ફળની આકાંક્ષા


अफलाकाङ्किभिर्यज्ञो विधिदिष्टो य इज्यते । 
यष्टव्यमेवेति मनः समाधाय स सात्त्विकः ॥

જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને 
ફળની આકાંક્ષા નહિ રાખનારા લોકો દ્વારા કરવામાં 
આવે છે, તે સાત્ત્વિક હોય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//