Wednesday 15 May 2024

ચિરસ્થાયી ફળ


सत्कारमानपूजार्थ तपो दम्भेन चैव यत् |
क्रियते तदिह प्रोक्तम् राजसं चलमध्रुवम् ||

 કેટલીક વખત વ્રત તથા તપ એટલા વાસ્તે કરાય છે કે જેથી 
લોકો આકર્ષાય અને તેમની પાસેથી સત્કાર, સન્માન તથા પૂજા 
પ્રાપ્ત થઇ શકે. રજોગુણી લોકો પોતાના અધીનસ્થ મનુષ્યો પાસેથી 
પૂજા કરાવે છે અને તેમનાથી પગ ધોવડાવી ધન અર્પિત કરાવે છે.
આવા કૃત્રિમ આયોજનો રાજસી કહેવાય છે. તેમાં ફળ ક્ષણિક હોય 
છે, તે કેટલાક સમય સુધી ટકી શકે છે, પરંતુ કદાપિ ચિરસ્થાયી હોતા નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment