Thursday, 23 April 2026

ત્રણ પ્રકારનો ત્યાગ


निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तम |
त्यागो हि पुरुषव्याघ्र त्रिविध: सम्प्रकीर्तित: ||
भ.गी. 18.4

હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન ! તું સંન્યાસ અને
ત્યાગ - એ બેમાંથી પહેલાં ત્યાગ વિષે મારો નિશ્ચય
સાંભળ, કેમકે હે પુરુષશ્રેષ્ઠ ! ત્યાગ સાત્ત્વિક રાજસ અને
તામસ એવા ભેદથી ત્રણ પ્રકારનો કહેવાયો છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 22 April 2026

કામ્ય કર્મોના ત્યાગ


श्रीभगवानुवाच |
काम्यानां कर्मणां न्यासं सन्न्यासं कवयो विदु: | सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणा: ||
त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिण: | यज्ञदानतप:कर्म न त्याज्यमिति चापरे ||
भ.गी. 18.2-3

શ્રીભગવાન બોલ્યા- કેટલાક વિદ્વાનો કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ
સમજે છે, જયારે બીજા કેટલાક વિદ્વાનો સઘળાંય કર્મોના ફળને ત્યાગને
ત્યાગ કહે છે. કેટલાક વિદ્વાનો એમ કહે છે કે કર્મમાત્રનો દોષની જેમ
ત્યાગ કરવા જોઈએ અને અન્ય વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ, દાન અને
તપરૂપી કર્મોનો ત્યાગ નહિ કરવો જોઈએ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 21 April 2026

હે મહાબાહો ! હે હૃષીકેશ ! હે કેશિનિષૂદન !


अर्जुन उवाच |
सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् |
त्यागस्य च हृषीकेश पृथक्केशिनिषूदन ||
भ.गी. 18.1

અર્જુન બોલ્યા - હે મહાબાહો ! હે હૃષીકેશ !
હે કેશિનિષૂદન ! હું સંન્યાસ તેમજ ત્યાગના
તત્ત્વને જુદું-જુદું જાણવા ઈચ્છું છું.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 20 April 2026

ક્યાંય પણ સત ફળ હોતું નથી


अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् |
असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह ||
भ.गी. 17.28

હે પાર્થ ! વગર શ્રદ્ધાએ કરેલો હવન દીધેલું દાન
અને આચરેલું તપ અને જે કંઈ પણ કરવામાં આવે
તે બધું 'અસત્' કહેવાય છે; તેનું ફળ ન તો આ લોકમાં
મળે છે કે ન મર્યા પછી પણ મળે છે અર્થાત્ તેનું ક્યાંય
પણ સત ફળ હોતું નથી.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 18 April 2026

'સત્' - નામનો સત્તામાત્રમાં અને શ્રેષ્ઠભાવમાં પ્રયોગ થાય છે


सद्भावे साधुभावे च सदित्येतत्प्रयुज्यते | प्रशस्ते कर्मणि तथा सच्छब्द: पार्थ युज्यते ||
यज्ञे तपसि दाने च स्थिति: सदिति चोच्यते | कर्म चैव तदर्थीयं सदित्येवाभिधीयते ||
भ.गी. 17.26-27

હે પાર્થ ! 'સત્' - એ પ્રમાણે આ પરમાત્માના નામનો સત્તામાત્રમાં
અને શ્રેષ્ઠભાવમાં પ્રયોગ થાય છે તથા પ્રશંસનીય કર્મોની સાથે 'સત્'
શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. યજ્ઞ, તથા તપ અને દાનરૂપ
ક્રિયામાં જે સ્થિતિ (નિષ્ઠા) છે, તે પણ 'સત્' એમ કહેવાય છે અને
એ પરમાત્માને નિમિત્ત કરવામાં આવનારું કર્મ પણ 'સત્' એમ કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 17 April 2026

'તત્' નામથી ઓળખાતા પરમાત્મા માટે જ આ સઘળું છે


तदित्यनभिसन्धाय फलं यज्ञतप:क्रिया: |
दानक्रियाश्च विविधा: क्रियन्ते मोक्षकाङ्क्षिभि: ||
भ.गी. 17.25

તત્ એટલે કે 'તત્' નામથી ઓળખાતા પરમાત્મા
માટે જ આ સઘળું છે - એવા ભાવ સાથે મોક્ષની
ઈચ્છા રાખનારા માણસો દ્વારા ફળની ઈચ્છા ન રાખતાં
અનેક પ્રકારની યજ્ઞ-તપરૂપી ક્રિયાઓ તેમજ દાનરૂપી
ક્રિયાઓ કરવામાં આવે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 16 April 2026

'ૐ' ઉચ્ચાર કરીને જ શરુ થાય


तस्माद् ॐ इत्युदाहृत्य यज्ञदानतप:क्रिया: |
प्रवर्तन्ते विधानोक्ता: सततं ब्रह्मवादिनाम् ||
भ.गी. 17.24

માટે વૈદિક સિદ્ધાંતને માનવાવાળા શાસ્ત્રવિધિથી
નિયત યજ્ઞ, દાન અને તપરૂપી ક્રિયાઓ સદા 'ૐ'
એ (પરમાત્માના નામનું) ઉચ્ચાર કરીને જ શરુ થાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//