વેદોનો અંત નથી અને પુરાણોનો પાર નથી.
મનુષ્ય જીવન થોડું છે અને શાસ્ત્રોનો પાર નથી.
પરંતુ "એક" એટલે કે ઈશ્વરને જાણો, એટલે સઘળું
જાણી જશો. કળિયુગનો માણસ થોડા સમયમાં પણ
ભગવાનને પ્રાપ્ત કરી શકે છે, એ ભાગવત શાસ્ત્રમાં
દર્શાવ્યું છે. સુતજી કહે છે કે સાત દિવસમાં પરીક્ષિતે
સદ્દગતિ પ્રાપ્ત કરી તે મેં નજરે જોયું છે.
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//






