અથ વ્યવસ્થિતાન્દષ્ટવા ધાર્તરાષ્ટ્રાન્ કપિધ્વજઃ ।
પ્રવૃત્તે શસ્ત્રસમ્પાતે ધનુરુદ્યમ્ય પાણ્ડવઃ ।।
હૃષીકેશં તદા વાક્યમિદમાહ મહીપતે ।
અર્જુન ઉવાચ : સેનયોરુભયોર્મધ્યે રથં સ્થાપય મેડચ્યુત ||
યાવદેતાન્નિરીક્ષેઽહં યોદ્ધુકામાનવસ્થિતાન્ ।
કૈર્મયા સહ યોદ્ધવ્યમસ્મિન્ રણસમુદ્યમે ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.20-21-22
હે રાજનૂ! તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર
સંબંધીઓને જોઈને, શસ્ત્રપ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને
હૃષીકેશ શ્રીકૃષ્ણ મહારાજને આ વચન કહ્યું, 'હે અચ્યુત! મારા રથને
બન્ને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભો રાખો, જ્યાં સુધીમાં રણભૂમિમાં
ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને સારી
પેઠે હું જોઈ ન લઉં; કે આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે એ હું જોઈ તો લઉં!
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//






