તત્રાપશ્યસ્થિતાન્ પાર્થઃ પિતૃનથપિતામહાન્ । આચાર્યાન્માતુલાન્ભ્રાતૃનપુત્રાનુપૌત્રાન્સખીંસ્તથા ।।
શ્વશુરાન્ સુહૃદીવ સેનયોરુભયોરપિ । તાન્ સમીક્ષ્ય સ કૌન્તેયઃ સર્વાન્બધૂનવસ્થિતાન્ ।।
કૃપયા પરયાવિષ્ટો વિષીદન્નિદમબ્રવીત્ । અર્જુન ઉવાચ દૃષ્ટ્વેમં સ્વજનં કૃષ્ણ યુયુત્સુ સમુપસ્થિતમ્ ।।
સીદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ । વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ।।
ગાણ્ડીવં સંસતે હસ્તાત્ત્વકચૈવ પરિદહ્યતે । ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.26-27-28-29-30
ત્યાં પૃથાપુત્ર અર્જુને એ બન્ને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ,
પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓ તેમજ સુહૃદોને જ જોયા. તે ઉપસ્થિત સઘળા બાંધવોને જોઈને એ કુન્તીપુત્ર
અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતાં આ વચનો બોલ્યા :- અર્જુન બોલ્યા : હે કૃષ્ણ! યુદ્ધક્ષેત્રમાં
ઊભેલા યુદ્ધ કરવા ઇચ્છતા આ સ્વજન-સમુદાયને જોઈને મારાં અંગો શિથિલ થઈ રહ્યાં છે, મોં સુકાઈ રહ્યું
છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે. હાથમાંથી ગાંડીવ ધનુષ સરી રહ્યું છે, ચામડી પણ ઘણી
બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે, માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી.
// હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//






