Wednesday, 9 September 2026

"એક" એટલે કે ઈશ્વરને જાણો


વેદોનો અંત નથી અને પુરાણોનો પાર નથી.
મનુષ્ય જીવન થોડું છે અને શાસ્ત્રોનો પાર નથી.
પરંતુ "એક" એટલે કે ઈશ્વરને જાણો, એટલે સઘળું
જાણી જશો. કળિયુગનો માણસ થોડા સમયમાં પણ 
ભગવાનને પ્રાપ્ત કરી શકે છે, એ ભાગવત શાસ્ત્રમાં
દર્શાવ્યું છે. સુતજી કહે છે કે સાત દિવસમાં પરીક્ષિતે
સદ્દગતિ પ્રાપ્ત કરી તે મેં નજરે જોયું છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.10


તમુવાચ હૃષીકેશઃ પ્રહસન્નિવ ભારત ।
સેનયોરુભયોર્મધ્યે વિષીદન્તમિદં વચઃ ||
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.10

હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર! અંતર્યામી શ્રીકૃષ્ણ મહારાજ
બન્ને સેનાઓની મધ્યે શોક કરતા અર્જુન પ્રત્યે મલકતા
હોય એમ આ વચન બોલ્યા :

// હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Tuesday, 8 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.9


સંજય ઉવાચ
એવમુક્ત્વા હૃષીકેશં ગુડાકેશઃ પરંતપ ।
ન યોત્સ્ય ઇતિ ગોવિન્દમુક્ત્વા તૂષ્ણીં બભૂવ હ ।|
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.9

સંજય બોલ્યા : હે રાજા, નિદ્રાને જીતનારા અર્જુન
અંતર્યામી શ્રીકૃષ્ણ મહારાજ પ્રત્યે આમ કહીને પછી
શ્રીગોવિંદ ભગવાનને 'યુદ્ધ નહીં કરું' એમ સ્પષ્ટ કહીને ચુપ થઈ ગયા.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Monday, 7 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.8


ન હિ પ્રપશ્યામિ મમાપનુદ્યાદ્ યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ્ ।
અવાપ્ય ભૂમાવસપત્નમૃદ્ધં રાજ્યં સુરાણામપિ ચાધિપત્યમ્ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.8

કેમકે પૃથ્વીનું નિષ્કંટક અને ધનધાન્યથી સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓનું
આધિપત્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો, જે મારી ઈન્દ્રિયોને
સૂકવનારા શોકને નિવારી શકે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Saturday, 5 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.7


કાર્પણ્યદોષોપહતસ્વભાવઃ પૃચ્છામિ ત્વાં ધર્મસંમૂઢચેતાઃ ।
યચ્છ્રેયઃ સ્યાન્નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેઽહં શાધિ માં ત્વાં પ્રપન્નમ્ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.7

આથી કાયરતારૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા
ધર્મની બાબતમાં મોહિતચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિતરૂપે
કલ્યાણકારી સાધન હોય, તે મને કહો; કેમકે હું આપનો શિષ્ય છું, માટે
આપને શરણે આવેલા મને ઉપદેશ આપો.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//

Thursday, 3 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.6


ન ચૈતદ્વિદ્મ: કતરન્નો ગરીયો યદ્વા જયેમ યદિ વા નો જયેયુઃ ।
યાનેવ હત્વા ન જિજીવિષામ સ્તેડવસ્થિતાઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રાઃ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.6

વળી, અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું
એ બન્નેમાંથી કયું શ્રેષ્ઠ છે; અથવા એ પણ નથી જાણતા કે તેમને અમે
જીતીશું કે તેઓ અમને જીતશે. જેમને હણીને અમે જીવવા પણ માગતા
નથી, તે જ અમારા આત્મીય ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે!

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Wednesday, 2 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.5


ગુરૂનહત્વા હિ મહાનુભાવાન્ શ્રેયો ભોક્ત ભૈક્ષ્યમપીહ લોકે ।
હત્વાર્થકામાંસ્તુ ગુરૂનિહૈવ ભુગ્જીય ભોગાન્ રુધિરપ્રદિગ્ધાન્ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.5

માટે આ મહાનુભાવ ગુરુજનોને નહિ હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ
વડે જીવનનિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજું છું; કેમકે ગુરુજનોને
હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને
જ ભોગવીશ ને!

// હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//