Thursday, 3 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.6


ન ચૈતદ્વિદ્મ: કતરન્નો ગરીયો યદ્વા જયેમ યદિ વા નો જયેયુઃ ।
યાનેવ હત્વા ન જિજીવિષામ સ્તેડવસ્થિતાઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રાઃ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.6

વળી, અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું
એ બન્નેમાંથી કયું શ્રેષ્ઠ છે; અથવા એ પણ નથી જાણતા કે તેમને અમે
જીતીશું કે તેઓ અમને જીતશે. જેમને હણીને અમે જીવવા પણ માગતા
નથી, તે જ અમારા આત્મીય ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે!

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Wednesday, 2 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.5


ગુરૂનહત્વા હિ મહાનુભાવાન્ શ્રેયો ભોક્ત ભૈક્ષ્યમપીહ લોકે ।
હત્વાર્થકામાંસ્તુ ગુરૂનિહૈવ ભુગ્જીય ભોગાન્ રુધિરપ્રદિગ્ધાન્ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.5

માટે આ મહાનુભાવ ગુરુજનોને નહિ હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ
વડે જીવનનિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજું છું; કેમકે ગુરુજનોને
હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને
જ ભોગવીશ ને!

// હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Tuesday, 1 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.4


અર્જુન ઉવાચ
કથં ભીષ્મમહં સંખ્ય દ્રોણં ચ મધુસૂદન ।
ઇષુભિઃ પ્રતિ યોત્સ્યામિ પૂજાર્હાવરિસૂદન ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.4

અર્જુન બોલ્યા : હે મધુસૂદન! રણભૂમિમાં હું બાણોથી
કઈ રીતે ભીષ્મપિતામહ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ?
કેમ કે હે અરિસૂદન! તેઓ બન્નેય પૂજનીય છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Monday, 31 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.2-3


શ્રીભગવાન્ ઉવાચ
કુતસ્ત્યા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ્ | અનાર્યજુષ્ટમસ્વગ્ર્યમકીર્તિકરમર્જુન ||
ક્લબ્ય મા સ્મ ગમઃ પાર્થ નૈતત્ત્વય્યપપદ્યતે । ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યું ત્યક્ત્વોત્તિષ્ઠ પરન્તપ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.2-3

શ્રીભગવાન બોલ્યા: હે અર્જુન! તારા જેવા શૂરવીરને અસમયે વિષાદ માટે
અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો? કારણ કે ન તો આ શ્રેષ્ઠ
પુરુષોએ આચરેલો છે, ન તો સ્વર્ગ આપનારો છે કે ન તો યશ આપનારો છે.

આથી હે પાર્થ! નપુંસકતાને વશ ન થા, તને એ શોભતી નથી; હે શત્રુઓને
તપાવનાર! હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

 

Saturday, 29 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.1

દ્વિતીય અધ્યાય

સંજય ઉવાચ : તં તથા કૃપયાવિષ્ટમશ્રુપૂર્ણાકુલેક્ષણમ્ |
વિષીદન્તમિદં વાક્યમુવાચ મધુસૂદન : ||
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.1

સંજય બોલ્યા : આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ
આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે
અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું :

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે// 

Friday, 28 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.47


સંજય ઉવાચ

એવમુક્ત્વાર્જુન: સંખ્યે રથોપસ્થ ઉપાવિશત્ ।
વિસૃજ્ય સશરં ચાપં શોકસંવિગ્નમાનસઃ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.47

સંજય બોલ્યા : રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન
મનનો અર્જુન આમ કહીને બાણસહિત ધનુષ
ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો. 

ૐ તત્સદિતિ શ્રીમદ્ધગવદ્ગીતાસૂપનિષત્સુ
બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદેડર્જુન-
વિષાદયોગો નામ પ્રથમોડધ્યાયઃ ।।

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Thursday, 27 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.46


યદિ મામપ્રતીકારમશસ્ત્રં શસ્ત્રપાણય:।
ધાર્તરાષ્ટ્રા રણે હન્યુસ્તન્મે ક્ષેમતરં ભવેત્ ।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.46

એ કરતાં શસ્ત્રરહિત અને સામનો ન કરનાર
એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના
પુત્રો રણમાં હણી નાખે, તો તે મરવું પણ મારા
માટે વધુ કલ્યાણકારક થશે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//