Thursday, 17 September 2026

શ્રીમદ્ ભાગવતમ્ 1.1.3


निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतम् ।
पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ॥
શ્રીમદ્ ભાગવતમ્ 1.1.3

હે નિષ્ણાત અને વિચારવંત જનો, વૈદિક સાહિત્યરૂપી કલ્પવૃક્ષના
 આ પરિપક્વ ફળ શ્રીમદ્ ભાગવતમ્નો રસાસ્વાદ માણો. તે શુકદેવ ગોસ્વામીના
 શ્રીમુખેથી ઉદ્ભવ્યું છે અને તેથી હજી વધુ સ્વાદિષ્ટ બન્યું છે. તેનો અમૃતમય રસ
 જોકે પહેલાંથી જ મુક્ત આત્માઓ સહિત સર્વને માટે આસ્વાદ્ય હતો.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

શ્રીમદ્ ભગવદ્ ગીતા 2.15


યં હિ ન વ્યથયન્યેતે પુરુષં પુરુષર્ષભ ।
સમદુઃખસુખં ધીરં સોડમૃતત્વાય કલ્પતે ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 2.15

કેમકે હે પુરુષશ્રેષ્ઠ! દુઃખ-સુખને સમાન સમજનાર
જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો
વ્યાકુળ નથી કરતા, તે મોક્ષને પાત્ર થાય છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Wednesday, 16 September 2026

શ્રીમદ્દ ભાગવતમ્ 1.1.2


धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् |
श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् ||

આ ભાગવતપુરાણ સર્વોચ્ચ સત્યનું પ્રતિપાદન કરે છે, તેમ જ ભૌતિક દૃષ્ટિબિંદુથી પ્રેરાયેલી સર્વ ધાર્મિક પ્રવૃત્તિઓનો સંપૂર્ણપણે અસ્વીકાર કરે છે. તે હૃદયથી પૂર્ણપણે શુદ્ધ એવા ભક્તો દ્વારા જ સમજી શકાય તેવું છે. સર્વોચ્ચ સત્ય એ માયાથી ભિન્ન વાસ્તવિક્તા છે અને સૌનું કલ્યાણ કરનાર છે. આવું સત્ય એ ત્રિવિધ દુ:ખોનો મૂળમાંથી જ ઉચ્છેદ કરે છે. મહાન ઋષિ વ્યાસદેવ દ્વારા તેમની પરિપક્વ અવસ્થામાં રચવામાં આવેલું આ મનોહર ભાગવતમ્ પોતે એકલું જ ભગવાનના સાક્ષાત્કાર માટે પૂરતું છે. તો પછી અન્ય કોઈ શાસ્ત્રની જરૂર જ શી છે? જેવું કોઈ એકચિત્તે તેમ જ શરણભાવે ભાગવતના સંદેશાનું શ્રવણ કરે છે કે તરત જ આ જ્ઞાનના સંસ્કારને લીધે પરમેશ્વર તેના હૃદય મધ્યે સ્થાપિત થાય છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

શ્રીમદ્ ભગવદ્ ગીતા 2.14


માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણસુખદુઃખદાઃ ।
આગમાપાયિનોઽનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 2.14

હે કુંતીપુત્ર! ઠંડી-ગરમી અને સુખ-દુઃખ દેનારા ઇન્દ્રિયો
સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ-વિનાશશીલ છે,
અનિત્ય છે; માટે હે ભારત! તેમને તું સહન કર.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Tuesday, 15 September 2026

શ્રીમદ્દ ભાગવતમ્ 1.1.1

સ્કંધ 1 અધ્યાય 1 શ્લોક 1

ॐ नमो भगवते वासुदेवाय
जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञः स्वराट् तेने ब्रह्म हृदा य आदिकवये मुह्यन्ति यत्सूरयः । 
तेजोवारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गोऽमृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ॥


હે મારા ભગવાન કૃષ્ણ, વસુદેવના પુત્ર, હે સર્વવ્યાપી પરમેશ્વર, આપને મારાં સાદર નમ્ર પ્રણામ હો. હું ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન ધરું છું, કારણ કે તેઓ પરમ સત્ય છે અને સમસ્ત પ્રગટ બ્રહ્માંડોનાં સર્જન, પાલન અને સંહારનાં તમામ કારણોના આદિકારણ છે. તેઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સમસ્ત સૃષ્ટિના સર્વજ્ઞ છે અને તેઓ સંપૂર્ણ સ્વતંત્ર છે, કારણ કે તેમનાથી પર બીજું કોઈ કારણ નથી. બ્રહ્માંડના આદિજીવ બ્રહ્માજીના હૃદયમાં વૈદિક જ્ઞાનનો સર્વપ્રથમ સંચાર તેમણે જ કર્યો. તેમની માયાથી મોહિત થયેલાને ક્યારેક અગ્નિમાં જળ અને ક્યારેક જળમાં ભૂમિ દેખાવારૂપ ભ્રમણા થાય છે. મહાન ઋષિઓ તથા દેવતાઓ સુધ્ધાં તેમની આવી માયાથી મોહિત થઈ જાય છે. પ્રકૃતિના ત્રણ ગુણોની પ્રતિક્રિયાથી પ્રગટ થતાં નાશવંત ભૌતિક બ્રહ્માંડો તેમને જ કારણે અવાસ્તવિક હોવા છતાં વાસ્તવિક ભાસે છે. ભૌતિક જગતની માયાથી સદૈવ મુક્ત એવા પોતાના દિવ્ય ધામમાં નિત્ય વસતા તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનું હું ધ્યાન ધરું છું. વળી, તેઓ પરમ સત્ય છે તેથી હું તેમનું ધ્યાન ધરું છું.


//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.13


દેહિનોડસ્મિન્ યથા દેહે કૌમારં યૌવનં જરા |
તથા દેહાન્તરપ્રાપ્તિર્ધારસ્તત્ર ન મુહ્યતિ ||
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.13

જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની
અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા
શરીરની પ્રાપ્તિ થાય છે; એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Friday, 11 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.12


ન ત્વેવાહં જાતુ નાસં ન ત્વં નેમે જનાધિપાઃ ।
ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ્ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.12