Wednesday, 15 July 2026

હું વારંવાર હર્ષિત થઇ રહ્યો છું


तच्च संस्मृत्य संस्मृत्य रूपमत्यद्भुतं हरे: ।
विस्मयो मे महानराजन्हृष्यामि च पुन: पुन: ॥
भ.गी. 18.77

હે રાજન ! ભગવાન શ્રીકૃષ્ણના તે અત્યંત અદ્દભુત
વિરાટ રૂપનું પણ વારંવાર સ્મરણ કરીને મારા ચિત્તમાં
મહાન આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હર્ષિત થઇ
રહ્યો છું.

// हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 14 July 2026

રહસ્યયુક્ત પવિત્ર અને અદ્દભુત સંવાદ


राजन्संस्मृत्य संस्मृत्य संवादमिममद्भुतम् ।
केशवार्जुनयो: पुण्यं हृष्यामि च मुहुर्मुहु: ॥
भ.गी. 18.76

હે રાજન ! શ્રીકૃષ્ણ અને અર્જુનના આ રહસ્યયુક્ત
પવિત્ર અને અદ્દભુત સંવાદને યાદ કરી - કરીને હું
વારંવાર હર્ષિત થઇ રહ્યો છું.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 13 July 2026

યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણના શ્રીમુખેથી


व्यासप्रसादाच्छ्रुतवानेतद्गुह्यमहं परम् ।
योगं योगेश्वरात्कृष्णात्साक्षात्कथयत: स्वयम् ॥
भ.गी. 18.75

શ્રીવ્યાસજીની કૃપાથી મેં સ્વયં આ પરમ ગોપનીય
યોગ -ગીતા ગ્રંથ ને કહેતાં સાક્ષાત્ યોગેશ્વર ભગવાન
શ્રીકૃષ્ણના શ્રીમુખેથી સાંભળ્યો છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 11 July 2026

અદ્દભુત અને રોમાંચકારક સંવાદ


सञ्जय उवाच ।
इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मन: ।
संवादमिममश्रौषमद्भुतं रोमहर्षणम् ॥
भ.गी. 18.74

સંજય બોલ્યા - આમ મેં ભગવાન વાસુદેવ અને
મહાત્મા પૃથાનંદન અર્જુનનો આ અદ્દભુત અને
રોમાંચકારક સંવાદ સાંભળ્યો.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 10 July 2026

હવે હું આપની આજ્ઞાનું પાલન કરીશ


अर्जुन उवाच ।
नष्टो मोह: स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत ।
स्थितोऽस्मि गतसन्देह: करिष्ये वचनं तव ॥
भ.गी. 18.73

અર્જુન બોલ્યા - હે અચ્યુત ! આપની કૃપાથી મારો
મોહ નષ્ટ થઇ ગયો છે અને મેં સ્મૃતિ પ્રાપ્ત કરી લીધી
છે, હવે હું સંશયરહિત થઈને સ્થિત છું; હવે હું આપની
આજ્ઞાનું પાલન કરીશ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 9 July 2026

શું તેં એકાગ્ર ચિત્તે આ ગીતાશાસ્ત્રને સાંભળ્યું


कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा ।
कच्चिदज्ञानसम्मोह: प्रनष्टस्ते धनञ्जय ॥
भ.गी. 18.72

હે પૃથાનંદન ! શું તેં એકાગ્ર ચિત્તે આ ગીતાશાસ્ત્રને
સાંભળ્યું અને હે ધનંજય ! શું તારો અજ્ઞાનમાંથી
ઉપજેલો મોહ નાશ પામ્યો ?

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 8 July 2026

આ ગીતા શાસ્ત્રનું માત્ર શ્રવણ


श्रद्धावाननसूयश्च शृणुयादपि यो नर: ।
सोऽपि मुक्त: शुभाँल्लोकान्प्राप्नुयात्पुण्यकर्मणाम् ॥
भ.गी. 18.71

શ્રદ્ધાળુ અને દોષદૃષ્ટિ વિનાનો જે મનુષ્ય આ ગીતા
શાસ્ત્રનું માત્ર શ્રવણ કરશે, તે પણ શરીર છૂટ્યા પછી
ઉત્તમ કર્મ કરનારાઓના શ્રેષ્ઠ લોકોને પ્રાપ્ત થશે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//