Wednesday, 8 July 2026

આ ગીતા શાસ્ત્રનું માત્ર શ્રવણ


श्रद्धावाननसूयश्च शृणुयादपि यो नर: ।
सोऽपि मुक्त: शुभाँल्लोकान्प्राप्नुयात्पुण्यकर्मणाम् ॥
भ.गी. 18.71

શ્રદ્ધાળુ અને દોષદૃષ્ટિ વિનાનો જે મનુષ્ય આ ગીતા
શાસ્ત્રનું માત્ર શ્રવણ કરશે, તે પણ શરીર છૂટ્યા પછી
ઉત્તમ કર્મ કરનારાઓના શ્રેષ્ઠ લોકોને પ્રાપ્ત થશે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 7 July 2026

હું જ્ઞાનયજ્ઞથી પૂજિત થઈશ


अध्येष्यते च य इमं धर्म्यं संवादमावयो: ।
ज्ञानयज्ञेन तेनाहमिष्ट: स्यामिति मे मति: ॥
भ.गी. 18.70

જે માણસ આપણા બેના આ ધર્મમય સંવાદનું
અધ્યયન કરશે, એના દ્વારા પણ હું જ્ઞાનયજ્ઞથી
પૂજિત થઈશ એવો મારો મત છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 6 July 2026

આ ભૂમંડળ પર એનાથી વધીને મારો બીજો કોઈ અત્યંત પ્રિય થશે પણ નહીં


न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तम: ।
भविता न च मे तस्मादन्य: प्रियतरो भुवि ॥
भ.गी. 18.69

જે ગીતાના ઉપદેશને મારા ભક્તોને કહી
સંભળાવશે એનાથી વધીને મારું પ્રિય કાર્ય
કરનારો માણસોમાં કોઈ પણ નથી આ ભૂમંડળ
પર એનાથી વધીને મારો બીજો કોઈ અત્યંત પ્રિય
થશે પણ નહીં.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 4 July 2026

મને જ પ્રાપ્ત થશે


य इदं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति ।
भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्यसंशय: ॥
भ.गी. 18.68

મારામાં પરમ ભક્તિ રાખીને જે માણસ આ
પરમ રહસ્યયુક્ત ગીતાના ઉપદેશને મારા
ભક્તોમાં કહી સંભળાવશે, તે મને જ પ્રાપ્ત
થશે-એમાં જરા પણ સંદેહ નથી.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//


 

Friday, 3 July 2026

સર્વગુહ્યતમ વચન અતપસ્વીને, અભક્તને, જે સાંભળવા ઈચ્છતો નથી અને જે મારામાં દોષદ્રષ્ટિ કરે તેને નહીં કહેવું જોઈએ


इदं ते नातपस्काय नाभक्ताय कदाचन ।
न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति ॥
भ.गी. 18.67

આ સર્વગુહ્યતમ વચન તારે કોઈ અતપસ્વીને
નહિ કહેવું જોઈએ; અભક્તને ક્યારેય નહિ કહેવું
જોઈએ તથા જે સાંભળવા ઈચ્છતો નથી, તેને નહિ
કહેવું જોઈએ અને જે મારામાં દોષદ્રષ્ટિ કરે છે, તેને
પણ નહીં કહેવું જોઈએ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 2 July 2026

તું એકમાત્ર મારા શરણે આવી જા


सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच: ॥
भ.गी. 18.66

સઘળાય ધર્મોનો આશ્રય ત્યજીને, તું એકમાત્ર
મારા શરણે આવી જા; હું તને બધાંય પાપોથી
મુક્ત કરી દઇશ, તું ચિંતા ન કર.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 1 July 2026

આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું


मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे ॥
भ.गी. 18.65

તું મારો ભક્ત થઈ જા, મારામાં મનવાળો બની
જા મારું પૂજન કરનાર થઈ જા, અને મને નમસ્કાર
કર. આમ કરવાથી તું મને જ પામીશ, આ હું તારી
સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમકે તું મને ઘણો પ્રિય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//