Saturday, 7 March 2026

અજ્ઞાનને કારણે મોહિત રહેનારા


आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया |
यक्ष्ये दास्यामि मोदिष्य इत्यज्ञानविमोहिता: ||
भ.गी. 16.15


આસુરી સ્વભાવ વાળી વ્યક્તિ: અમે, બહુ ધનવાન
છીએ, મોટું કુટુંબ તથા કુળ ધરાવનારા છીએ. અમારા
જેવો બીજો કોણ છે ? અમે ઘણા યજ્ઞો કરીશું, દાન દઈશું
અને મોજ-મજા કરીશું આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા છે.


//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 6 March 2026

અમે ઈશ્વર, ભોગવનારા, સિદ્ધ, ખુબ બળવાન અને સુખી છીએ


असौ मया हत: शत्रुर्हनिष्ये चापरानपि |
ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान्सुखी ||
भ.गी. 16.14

આસુરી સ્વભાવ વાળી વ્યક્તિ : પેલો શત્રુ તો મારા
વડે હણાયો અને પેલા બીજા શત્રુઓને પણ અમે હણી
નાખીશું. અમે ઈશ્વર છીએ અમે ભોગવનારા છીએ સિદ્ધ
છીએ. અમે ખુબ બળવાન અને સુખી છીએ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 5 March 2026

મનોરથો કર્યા કરે છે


इदमद्य मया लब्धमिमं प्राप्स्ये मनोरथम् |
इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् ||
भ.गी. 16.13

આસુરી સ્વભાવ વાળી વ્યક્તિઓ આ પ્રકારના
મનોરથો કર્યા કરે છે કે આટલી વસ્તુઓ તો મેં આજે
મેળવી લીધી અને હવે આ મનોરથને પૂરો કરીશ. આટલું
ધન તો મારી પાસે છે જ, આટલું ધન હજી પણ થઈ જશે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 28 February 2026

અન્યાયપૂર્વક ધન-સંચય કરવાની ચેષ્ટા


आशापाशशतैर्बद्धा: कामक्रोधपरायणा: |
ईहन्ते कामभोगार्थमन्यायेनार्थसञ्जयान् ||
भ.गी. 16.12

તે આશાના સેંકડો ફંદાઓથી બંધાયેલા માણસો
કામ-ક્રોધને પરાયણ થઈને પદાર્થો ભોગવવા માટે
અન્યાયપૂર્વક ધન-સંચય કરવાની ચેષ્ટા કર્યા કરે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 27 February 2026

મૃત્યુપર્યન્ત રહેનારી અપાર ચિંતાઓ


चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिता: |
कामोपभोगपरमा एतावदिति निश्चिता: ||
भ.गी. 16.11

તે મૃત્યુપર્યન્ત રહેનારી અપાર ચિંતાઓનો આશરો
લેનારા, પદાર્થોનો સંગ્રહ અને તેનો ભોગ કરવામાં
જ લાગ્યા રહેનારા અને "જે કાંઈ છે, તે આટલું જ
સુખ છે" એવો નિશ્ચય કરવાવાળા હોય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 26 February 2026

કોઈ પણ રીતે પુરી ન થનારી કામનાઓ


काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विता: |
मोहाद्गृहीत्वासद्ग्राहान्प्रवर्तन्तेऽशुचिव्रता: ||
भ.गी. 16.10

કોઈ પણ રીતે પુરી ન થનારી કામનાઓનો આશરો
લઈને દંભ, અભિમાન અને મદથી ભરેલા એ માણસો
મોહને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ અપવિત્ર
વ્રત ધારણ કરીને, સંસારમાં વિચરે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 25 February 2026

નાસ્તિક દ્રષ્ટિનો આશ્રય લેવાવાળા મનુષ્યો


एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धय: |
प्रभवन्त्युग्रकर्माण: क्षयाय जगतोऽहिता: ||
भ.गी. 16.9

આ પૂર્વોક્ત નાસ્તિક દ્રષ્ટિનો આશ્રય લેવાવાળા
મનુષ્યો પોતાના નિત્ય સ્વરૂપને માનતા નથી, જે
મંદબુદ્ધિના છે, જે ક્રૂરકર્મી માણસો અને સંસારના
શત્રુ છે, તે મનુષ્યોની શક્તિનો ઉપયોગ જગતનો
નાશ કરવા માટે જ થાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//