Wednesday, 6 May 2026

ક્રિયાના પાંચ પરિબળો


अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् |
विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पञ्चमम् ||
भ.गी. 18.14

શરીર, કર્તા (આત્મા), વિવિધ ઇન્દ્રિયો,
અનેક પ્રકારના પ્રયત્નો અને દૈવી ભવિષ્ય-
આ ક્રિયાના પાંચ પરિબળો છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 5 May 2026

સાંખ્યશાસ્ત્ર-કર્મોનો અંત કરવાવાળા


पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे |
साङ् ख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् ||
भ.गी. 18.13

હે મહાબાહો ! કર્મોનો અંત કરવાવાળા સાંખ્યશાસ્ત્રમાં
સર્વ કર્મોની સિદ્ધિ માટે આ પાંચ કારણો કહેવાય છે
તેમને તું મારી પાસેથી સારી રીતે જાણી લે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 4 May 2026

ક્યાંય પણ કર્મોનું ફળ હોતું નથી


अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मण: फलम् |
भवत्यत्यागिनां प्रेत्य न तु सन्न्यासिनां क्वचित् ||
भ.गी. 18.12

કર્મફળનો ત્યાગ ન કરનારાં માણસોના કર્મોનું
ઇષ્ટ, અનિષ્ટ, અને મિશ્ર એવું ત્રણ પ્રકારનું ફળ
મર્યા પછી પણ થાય છે; પરંતુ કર્મફળનો ત્યાગ
કરી દેનારાં માણસો માટે ક્યાંય પણ કર્મોનું ફળ
હોતું નથી.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 2 May 2026

કર્મફળનો ત્યાગ કરે એ જ ત્યાગી


न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषत: |
यस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते ||
भ.गी. 18.11

કારણ કે શરીરધારી માણસ દ્વારા સંપૂર્ણ કર્મોનો
ત્યાગ કરવો શક્ય નથી. માટે જ કર્મફળનો ત્યાગ
કરે છે, એ જ ત્યાગી છે - એમ કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 1 May 2026

ત્યાગી, બુદ્ધિમાન, સંશય વિનાનો અને પોતાના સ્વરૂપમાં સ્થિત


न द्वेष्ट्यकुशलं कर्म कुशले नानुषज्जते |
त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्नसंशय: ||
भ.गी. 18.10

જે અપ્રિય કર્મથી દ્વેષ નથી કરતો અને કુશળ
કર્મમાં આસક્ત નથી થતો, તે ત્યાગી, બુદ્ધિમાન,
સંશય વિનાનો અને પોતાના સ્વરૂપમાં સ્થિત છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 30 April 2026

'કેવળ કર્તવ્યમાત્ર કરવું છે'


कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन |
सङ्गं त्यक्त्वा फलं चैव स त्याग: सात्त्विको मत: ||
भ.गी. 18.9

હે અર્જુન ! 'કેવળ કર્તવ્યમાત્ર કરવું છે' એવું સમજીને
જે કર્મ આસક્તિ અને ફળેચ્છાનો ત્યાગ કરીને કરવામાં
આવે છે, તે જ સાત્ત્વિક ત્યાગ માનવામાં આવે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 29 April 2026

રાજસ ત્યાગ કરીને પણ ત્યાગના ફળને નથી પામતો


दु:खमित्येव यत्कर्म कायक्लेशभयात्यजेत् |
स कृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत् ||
भ.गी. 18.8

જે કોઈ કર્મ છે તે દુઃખરૂપ જ છે - એમ માનીને
જો કોઈ માણસ શારીરિક ક્લેશના ભયથી તેનો
ત્યાગ કરી દે, તો તે રાજસ ત્યાગ કરીને પણ ત્યાગના
ફળને નથી પામતો.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//