Wednesday, 25 February 2026

નાસ્તિક દ્રષ્ટિનો આશ્રય લેવાવાળા મનુષ્યો


एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धय: |
प्रभवन्त्युग्रकर्माण: क्षयाय जगतोऽहिता: ||
भ.गी. 16.9

આ પૂર્વોક્ત નાસ્તિક દ્રષ્ટિનો આશ્રય લેવાવાળા
મનુષ્યો પોતાના નિત્ય સ્વરૂપને માનતા નથી, જે
મંદબુદ્ધિના છે, જે ક્રૂરકર્મી માણસો અને સંસારના
શત્રુ છે, તે મનુષ્યોની શક્તિનો ઉપયોગ જગતનો
નાશ કરવા માટે જ થાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 24 February 2026

મર્યાદા વિનાનું


असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम् |
अपरस्परसम्भूतं किमन्यत्कामहैतुकम् ||
भ.गी. 16.8

તે કહ્યા કરે છે કે જગત મર્યાદા વિનાનું, સાવ
અસત્ય અને ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી-પુરુષના
સંયોગથી ઉદ્ભવ્યું છે. તેથી કેવળ કામ જ એનું કારણ
છે; એ સિવાય બીજું શું કારણ છે ?

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 23 February 2026

ક્યાં કાર્યો યોગ્ય છે અને ક્યાં અયોગ્ય


प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुरा: |
न शौचं नापि चाचारो न सत्यं तेषु विद्यते ||
भ.गी. 16.7

જે લોકો આસુરી સ્વભાવ ધરાવે છે તેઓ સમજી
શકતા નથી કે ક્યાં કાર્યો યોગ્ય છે અને ક્યાં અયોગ્ય
છે. તેથી તેમનામાં ન તો પવિત્રતા હોય છે, ન તો
સદ્વ્યવહાર હોય છે, ન તો સત્યતા હોય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 21 February 2026

આ લોકમાં બે પ્રકારના જ પ્રાણીઓની સૃષ્ટિ છે


द्वौ भूतसर्गौ लोकेऽस्मिन्दैव आसुर एव च |
दैवो विस्तरश: प्रोक्त आसुरं पार्थ मे शृणु ||
भ.गी. 16.6

આ લોકમાં બે પ્રકારના જ પ્રાણીઓની સૃષ્ટિ છે-
દૈવી અને આસુરી દૈવીને તો મેં વિસ્તારથી કહી
દીધી હવે હે પાર્થ ! આસુરીને વિસ્તારપૂર્વક મારી
પાસેથી સાંભળ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 20 February 2026

તું ચિંતા ન કર


दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरी मता |
मा शुच: सम्पदं दैवीमभिजातोऽसि पाण्डव ||
भ.गी. 16.5

દૈવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બંધન
કરનારી મનાઈ છે. હે પાંડવ ! તું દૈવી સંપદાને પ્રાપ્ત
થયો છે તેથી શોક એટલે કે ચિંતા ન કર.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 19 February 2026

આસુરી સંપદાને પ્રાપ્ત માણસનાં લક્ષણો


दम्भो दर्पोऽभिमानश्च क्रोध: पारुष्यमेव च |
अज्ञानं चाभिजातस्य पार्थ सम्पदमासुरीम् ||
भ.गी. 16.4

હે પૃથાનંદન ! દંભ કરવો, ઘમંડ કરવો અને અભિમાન
કરવું, ક્રોધ કરવો અને કઠોરતા રાખવી, અવિવેક હોવો
વગેરે પણ આસુરી સંપદાને પ્રાપ્ત માણસનાં લક્ષણો છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 18 February 2026

દૈવી સંપદાને પ્રાપ્ત થયેલા મનુષ્યના લક્ષણ


तेज: क्षमा धृति: शौचमद्रोहोनातिमानिता |
भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत ||
भ.गी. 16.3

તેજ એટલે કે પ્રભાવ, ક્ષમા, ધૈર્ય, દેહશુદ્ધિ,
શત્રુભાવ ન હોવો અને માનની અપેક્ષા ન
રાખવી આ બધાં હે ભરતવંશી અર્જુન ! દૈવી
સંપદાને પ્રાપ્ત થયેલા મનુષ્યના લક્ષણ છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//