Tuesday, 31 March 2026

ફળની ઈચ્છાથી જ કરવામાં આવે તે યજ્ઞ રાજસ


अभिसन्धाय तु फलं दम्भार्थमपि चैव यत् |
इज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसम् ||
भ.गी. 17.12

પરંતુ હે ભરતશ્રેષ્ઠ અર્જુન ! જે ફળની ઈચ્છાથી
જ કરવામાં આવે છે અથવા દંભ એટલે કે દેખાવા
માટે પણ કરવામાં આવે છે, તે યજ્ઞને તું રાજસ સમજ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 30 March 2026

યજ્ઞ કરવો એજ કર્તવ્ય છે


अफलाकाङ्क्षिभिर्यज्ञो विधिदृष्टो य इज्यते |
यष्टव्यमेवेति मन: समाधाय स सात्त्विक: ||
भ.गी. 17.11

યજ્ઞ કરવો એજ કર્તવ્ય છે - આ પ્રમાણે મનને
સંતુષ્ટ કરીને ફળની ઈચ્છા રહિત મનુષ્ય દ્વારા જે
શાસ્ત્રવિધિથી નિયત યજ્ઞ કરવામાં આવે છે, તે
સાત્ત્વિક છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे// 

Saturday, 28 March 2026

તામસી માણસને પ્રિય ભોજન


यातयामं गतरसं पूति पर्युषितं च यत् |
उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम् ||
भ.गी. 17.10

જે ભોજન અડધું ચઢેલું અને ઉતરી ગયેલું રસ
વિનાનું દુર્ગંધી યુક્ત વાસી અને એઠું છે, તથા
જે બહુ અપવિત્ર (માંસ વગેરે) પણ છે, તે તામસી
માણસને પ્રિય હોય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 27 March 2026

રાજસ મનુષ્યને પ્રિય આહાર


कट्वम्ललवणात्युष्णतीक्ष्णरूक्षविदाहिन: |
आहारा राजसस्येष्टा दु:खशोकामयप्रदा: ||
भ.गी. 17.9

 

Thursday, 26 March 2026

સાત્ત્વિક મનુષ્યોને પ્રિય ભોજન પદાર્થો


आयु:सत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धना: |
रस्या: स्निग्धा: स्थिरा हृद्या आहारा: सात्त्विकप्रिया: ||
भ.गी. 17.8

આયુ, સત્ત્વગુણ બળ, આરોગ્ય, સુખ, અને પ્રસન્નતા
વધારનારા, સ્થિર રહેવાવાળા, હૃદયને શક્તિપ્રદ, રસયુકત
તથા ચીકણા આહાર અથવા ભોજન કરવાના પદાર્થો
સાત્ત્વિક મનુષ્યોને પ્રિય હોય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 24 March 2026

ત્રણ પ્રકારનાં યજ્ઞ, તપ અને દાન


आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रिय: |
यज्ञस्तपस्तथा दानं तेषां भेदमिमं शृणु ||
भ.गी. 17.7

ભોજન પણ સૌને ત્રણ પ્રકારનું પ્રિય હોય છે
અને એ જ રીતે યજ્ઞ, તપ અને દાન પણ ત્રણ
ત્રણ પ્રકારનાં હોય છે અર્થાત્ શાસ્ત્રીય કર્મોમાં
પણ ગુણોની દ્રષ્ટિએ ત્રણ પ્રકારની રુચિ હોય છે.
તું તેમના આ ભેદને સાંભળ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 23 March 2026

શાસ્ત્રવિધિ વિનાનું કરે તે આસુરી સંપત્તિવાળા


अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जना: | दम्भाहङ्कारसंयुक्ता: कामरागबलान्विता: ||
कर्षयन्त: शरीरस्थं भूतग्राममचेतस: | मां चैवान्त:शरीरस्थं तान्विद्ध्यासुरनिश्चयान् ||
भ.गी. 17.5-6

જે માણસો શાસ્ત્રવિધિ વિનાનું ઘોર તપ કરે છે; જે દંભ અને
અહંકારથી ભરેલા છે જે ભોગ-પદાર્થો, આસક્તિ અને હઠાગ્રહી
છે; જે શરીરમાં સ્થિત પાંચ ભૂતો અર્થાત્ પંચમહાભૂતના શરીરને
અને અન્તઃકરણમાં રહેલા મુજ પરમાત્માને પણ કૃશ કરનારા છે,
તે અજ્ઞાનીઓને તું આસુરી સંપત્તિવાળા જાણ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//