Wednesday, 4 February 2026

સૂર્ય, ચંદ્રમામાં અને જે અગ્નિમાં તેજ છે એને તું મારું જ તેજ જાણ


यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् |
यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् ||
भ.गी. 15.12

સૂર્યને પ્રાપ્ત થયેલું જે તેજ આખા જગતને પ્રકાશિત
કરે છે અને જે તેજ ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે
એને તું મારું જ તેજ જાણ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 3 February 2026

હૃદયમાં સ્થિત પરમાત્મતત્ત્વનો અનુભવ


यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितम् |
यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतस: ||
भ.गी. 15.11

યત્ન કરનારા યોગીજનો પોતાના હૃદયમાં સ્થિત
આ પરમાત્મતત્ત્વનો અનુભવ કરે છે. પરંતુ જેમણે
પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું, એવા અજ્ઞાનીજનો
યત્ન કરતા રહેવા છતાં પણ આ તત્ત્વનો અનુભવ
નથી કરી શકતા.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 2 February 2026

જીવાત્માના સ્વરૂપને કેવળ જ્ઞાનચક્ષુવાળા જ જાણે છે


उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितम् |
विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुष: ||
भ.गी. 15.10

શરીર છોડીને જતા અથવા બીજા શરીરમાં સ્થિત
થયેલા અથવા વિષયોને ભોગવી રહેલા પણ ત્રણેય
ગુણોથી યુક્ત જીવાત્માના સ્વરૂપને અજ્ઞાનીજનો નથી
જાણતા, કેવળ જ્ઞાનચક્ષુવાળા જ્ઞાની મનુષ્યો જ જાણે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 31 January 2026

જીવાત્મા મનનો આશ્રય લઇને વિષયોનું સેવન કરે છે


श्रोत्रं चक्षु: स्पर्शनं च रसनं घ्राणमेव च |
अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते ||
भ.गी. 15.9

આ જીવાત્મા મનનો આશ્રય લઇને જ શ્રોત્ર,
ચક્ષુ અને ત્વચા, રસના, અને ધ્રાણ આ પાંચેય
ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 30 January 2026

જે શરીરને પામે છે એમાં ચાલ્યો જાય


शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वर: |
गृहीत्वैतानि संयाति वायुर्गन्धानिवाशयात् ||
भ.गी. 15.8

વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને
લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી બનેલો
જીવાત્મા પણ જે શરીરને છોડે છે, ત્યાંથી આ (મનસમેત
ઇન્દ્રિયો)ને લઈને, પછી જે શરીરને પામે છે એમાં ચાલ્યો
જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 29 January 2026

આત્મા પોતે મારો જ સનાતન અંશ છે


ममैवांशो जीवलोके जीवभूत: सनातन: |
मन:षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ||
भ.गी. 15.7

આ સંસારમાં જીવ બનેલો આત્મા પોતે મારો જ
સનાતન અંશ છે; અને તે પ્રકૃતિમાં રહેલી
મનસહિતની પાંચેય ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે
એટલે કે પોતાની માની લે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 28 January 2026

પરમપદને ન સૂર્ય, ન ચંદ્રમા અને ન અગ્નિ પણ પ્રકાશિત કરી શકે


न तद्भासयते सूर्यो न शशाङ्को न पावक: |
यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ||
भ.गी. 15.6

તે પરમપદને ન સૂર્ય, ન ચંદ્રમા અને ન અગ્નિ
પણ પ્રકાશિત કરી શકે છે અને જે પરમપદને
પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા
નથી, તે જ મારું પરમધામ છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//