Friday, 7 February 2025

માટી, પથ્થર અને સુવર્ણમાં સમબુદ્ધિ


ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रिय: |
युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चन: ||
भा.गी. 6.8

જેનું અંતઃકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે,
જેની સ્થિતિ વિકારરહિત છે, જેની ઇન્દ્રિયો
સારી પેઠે જીતાયેલી છે તેમજ જે માટી, પથ્થર
અને સુવર્ણમાં સમબુદ્ધિ છે. એવો યોગી યુક્ત
એટલે કે યોગારૂઢ કહેવાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 6 February 2025

નિર્વિકાર મનુષ્યને પરમાત્મા નિત્યપ્રાપ્ત છે


जितात्मन: प्रशान्तस्य परमात्मा समाहित: |
शीतोष्णसुखदु:खेषु तथा मानापमानयो: ||
भा.गी. 6.7

જેણે પોતે જ પોતાને જીતી લીધો છે તેવા
ઠંડી-ગરમી એટલે કે અનુકૂળતા-પ્રતિકૂળતા
સુખ-દુઃખાદિમાં તથા માન-અપમાનમાં
નિર્વિકાર મનુષ્યને પરમાત્મા નિત્યપ્રાપ્ત છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 5 February 2025

પોતે જ પોતાનો મિત્ર-પોતે જ પોતાનો શત્રુ


बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जित: |
अनात्मनस्तु शत्रुत्वे वर्ते तात्मैव शत्रुवत् ||
भा.गी. 6.6

જેણે પોતે-પોતાથી પોતે-પોતાને જીતી લીધો છે,
તેના માટે પોતે જ પોતાનો મિત્ર છે અને જેણે પોતાને
જીત્યો નથી એવા અનાત્માનો આત્મા જ શત્રુતામાં શત્રુની
જેમ વર્તે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 4 February 2025

પોતાના વડે પોતાનો ઉદ્ધાર


उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् |
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मन: ||
भा.गी. 6.5

પોતાના વડે પોતાનો ઉદ્ધાર કરે, પોતાને
અધોગતિમાં ન નાખે; કારણકે પોતે જ
પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો
શત્રુ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 3 February 2025

સઘળા સંકલ્પોનો ત્યાગી


यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते |
सर्वसङ्कल्पसंन्यासी योगारूढस्तदोच्यते ||
भा.गी. 6.4

કારણ કે જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં
તથા નથી કર્મોમાં પણ આસક્ત થતો, તે વખતે
તે સઘળા સંકલ્પોનો ત્યાગી મનુષ્ય યોગારૂઢ
કહેવાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 1 February 2025

યોગી માટે કર્તવ્યકર્મ કરવું હેતુ કહેવાય


आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते |
योगारूढस्य तस्यैव शम: कारणमुच्यते ||
भा.गी. 6.3

જે યોગમાં એટલે કે સમતા માં આરૂઢ થવા ઈચ્છે છે,
એવા મનનશીલ યોગી માટે કર્તવ્યકર્મ કરવું હેતુ કહેવાય
છે અને તે જ યોગારૂઢ માણસ માટે શમ, એટલે કે શાંતિ
કલ્યાણમાં હેતુ કહેવાયો છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 31 January 2025

"સંન્યાસ" ને જ તું યોગ જાણ


यं संन्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव |
न ह्यसंन्यस्तसङ्कल्पो योगी भवति कश्चन ||
भा.गी. 5.2

હે અર્જુન ! લોકો જેને "સંન્યાસ" એવું કહે છે,
એને જ તું યોગ જાણ; કેમકે સંકલ્પોનો ત્યાગ
ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી થઈ
શકતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//