Friday 26 July 2024

બુદ્ધિના કાબૂમાં મન


पञ्चेन्द्रियार्था आरामा द्वारः प्राणा नव प्रभो। 
तेजोऽबन्नानि कोष्ठानि कुलमिन्द्रियसङ्ग्रहः ॥

જ્ઞાન ગ્રહણ કરનારી પાંચ ઇન્દ્રિયો છે - દૃષ્ટિ, સ્વાદ, 
ગંધ, શબ્દ અને સ્પર્શ. અને તે જે નવ દરવાજા મારફત 
ક્રિયા કરે છે તે આ છેઃ બે આંખો, બે કાન, એક મોં, બે નસકોરાં, 
એક જનનેન્દ્રિય અને એક ગુદા. આ છિદ્રોને નગરની દીવાલમાંના 
દરવાજાની ઉપમા આપી છે. પૃથ્વી, જળ તથા અગ્નિ મુખ્ય ઘટકો છે 
અને મન મુખ્ય કર્તા છે, જે બુદ્ધિના કાબૂમાં રહે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday 25 July 2024

હે મારા વહાલા શ્રીકૃષ્ણ

        

                           कृष्ण त्वदीय पद पङ्कज पञ्जरान्तं अद्यैव मे विशतु मानस राज हंसः |
                           प्राण प्रयाण समये कफ वात पित्तैः कण्ठ अवरोधन विधौ स्मरणं कुतः ते ॥

                            "હે મારા વહાલા શ્રીકૃષ્ણ, મારુ તત્કાળ મરણ થાય એવી કૃપા કરો,
                            જેથી આપણા ચરણકમળરૂપી વેલ મારા મનરૂપી રાજહંસને વીંટી
                            લે. નહિ તો, છેલ્લા શ્વાસ ચાલતા હોય ત્યારે, કફ-વાત-પિત્તથી ગળું 
                            રૂંધાઇ ગયું હોય ત્યારે હું આપનું સ્મરણ કેવી રીતે કરી શકીશ?"


                                                //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                                                हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday 24 July 2024

ભગવાન તો બહુ હળવી સજા કરી રહ્યા છે


                                                        तत्तेऽनुकम्पां सुसमीक्षमाणो भुञ्जान एवात्मकृतं विपाकम् ।
                                                        हृद्वाग्वपुर्भिर्विदधन्नमस्ते जीवेत यो मुक्तिपदे स दायभाक् ॥ 

                                                        ભક્ત તેના જીવનની વિપરીત દશાને ભગવાનના વરદાનરૂપે 
                                                        ગ્રહણ કરે છે અને તેથી તે ભગવાનને વધારે ને વધારે પ્રણામ 
                                                        તથા પ્રાર્થના કરે છે ત્યારે તે એમ મને છે કે પોતાનાં પૂર્વકૃત 
                                                        દુષ્કૃત્યોને લીધે આ સજા થઇ છે અને ભગવાન તો બહુ હળવી 
                                                        સજા કરી રહ્યા છે.

                                                                //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                                                                    हरे राम हरे राम राम राम हरे हरे//

 

Tuesday 23 July 2024

અભાગીયો નોકર


नूनं त्वकृतपुण्यास्ते भृत्या येष्वीश्र्वराः शुभे |
कृतागः स्वात्म सात्कृत्वा शिक्षादण्डं न युञ्जते ||
श्रीमद् भागवतम् 4.26.21

જયારે સ્વામી પોતાના નોકરને તેના અપરાધ માટે 
કોઈ જાતની સજા કર્યા વિના પોતાના માણસ તરીકે 
અપનાવી લે છે, ત્યારે તે નોકરને અભાગીયો જ ગણવો 
જોઈએ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday 22 July 2024

ઘર અને વન વચ્ચે તફાવત નથી


माता यस्य गृहे नास्ति भार्या चाप्रियवादिनी।
अरण्यं तेन गन्तव्यं यथारण्यं तथा गृहम् ॥

જે માણસના ઘરમાં નથી માતા કે નથી પ્રિયંવદા
પત્ની, તેણે ઘર તજીને વનમાં ચાલ્યા જવું જોઈએ.
કારણ કે તેને માટે ઘર અને વન વચ્ચે કોઈ તફાવત
હોતો નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Sunday 21 July 2024

બીજાઓના દોષ જોવા એ દોષ જ છે



 

Friday 19 July 2024

સંતાનો,પત્ની અને ધનસંપત્તિ


गृहेषु कुटधर्मेषु पुत्रदारधनार्थधीः |
न परं विन्दते मूढो भ्राम्यन् संसारवत्र्मसु ||

જે મનુષ્યો કહેવાતા સુંદર જીવનમાં જ રસ ધરાવે છે,
એટલે કે સંતાનો તથા પત્નીની જંજાળમાં અને ધનસંપત્તિની 
ખોજ કરવામાં ગૃહસ્થ બની રહેવા ઈચ્છે છે, તેઓ એમ માને છે 
કે આવી વસ્તુઓ જીવનનું શ્રેય છે. આવા મનુષ્યો જીવનનું પરમ 
શ્રેય પામ્યા વિના વિવિધ પ્રકારના શરીરોમાં રહી સંસારભરમાં 
ભટકતા રહે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे 
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//