Saturday, 19 April 2025

મારા પરમ, અવિનાશી અને સર્વશ્રેષ્ઠ ભાવ


अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धय: |
परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम् ||
भा.गी. 7.24

અજ્ઞાની મનુષ્યો મારા પરમ, અવિનાશી અને
સર્વશ્રેષ્ઠ ભાવને નહિ જાણતા હોઈ અવ્યક્ત
અર્થાત્ મન-ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદઘન
પરમાત્માને મનુષ્યની જેમ શરીર ધારણ કરવાવાળો મને છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 18 April 2025

મારા ભક્તો મને જ પ્રાપ્ત થાય છે


अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसाम् |
देवान्देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि ||
भा.गी. 7.23

પરંતુ તે અલ્પબુદ્ધિવાળા મનુષ્યોને તે દેવતાઓની
આરાધનાનું ફળ નાશવાન અંતવાળું જ મળે છે, દેવતાઓને
પૂજનારા દેવતાઓને પામે છે; જયારે મારા ભક્તો મને જ પ્રાપ્ત થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 17 April 2025

મારા વડે જ નિશ્ચિત કરેલી કામનાપૂર્તિ


स तया श्रद्धया युक्तस्तस्याराधनमीहते |
लभते च तत: कामान्मयैव विहितान्हि तान् ||
भा.गी. 7.22

એ મારા દ્વારા દ્રઢ કરાયેલી શ્રદ્ધાથી યુક્ત થઇ એ
માણસ તે દેવતાની સકામ ભાવથી ઉપાસના કરે
છે અને તેની તે કામના પુરી થાય છે; પરંતુ તે
કામનાપૂર્તિ મારા વડે જ નિશ્ચિત કરેલી હોય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 16 April 2025

શ્રદ્ધાને દ્રઢ કરી દઉં છું


यो यो यां यां तनुं भक्त: श्रद्धयार्चितुमिच्छति |
तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् ||
भा.गी. 7.21

જે-જે ભક્ત જે-જે દેવતાનું શ્રદ્ધાથી પૂજન કરવા
ઈચ્છે છે, તે-તે દેવતામાં જ હું તેની શ્રદ્ધાને એ જ
દેવતા પ્રત્યે દ્રઢ કરી દઉં છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 15 April 2025

જેમનું જ્ઞાન કામનાઓ વડે હરાઈ ચૂક્યું છે


कामैस्तैस्तैर्हृतज्ञाना: प्रपद्यन्तेऽन्यदेवता: |
तं तं नियममास्थाय प्रकृत्या नियता: स्वया ||
भा.गी. 7.20

તે, તે કામનાઓ વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું
છે, એવા માણસો પોત-પોતાની પ્રકૃતિ અર્થાત્
સ્વભાવથી પ્રેરાઈને તે, તે અર્થાત્ દેવતાઓના તે
તે નિયમોને ધારણ કરીને અન્ય દેવતાઓને શરણે
થઇ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 14 April 2025

ઘણો દુર્લભ મહાત્મા


बहूनां जन्मनामन्ते ज्ञानवान्मां प्रपद्यते |
वासुदेव: सर्वमिति स महात्मा सुदुर्लभ: ||
भा.गी. 7.19

ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં અર્થાત્
મનુષ્ય જન્મમાં "સર્વ કાંઈ વાસુદેવ જ છે" એવા
ભાવે જે જ્ઞાની મને ભજે છે-શરણે થાય છે એ
મહાત્મા ઘણો દુર્લભ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 12 April 2025

જ્ઞાનીભક્ત તો મારું જ સ્વરૂપ છે


उदारा: सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् |
आस्थित: स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् ||
भा.गी. 7.18

પહેલા કહેલા ચારેય ભક્તો ખુબ ઉદાર (શ્રેષ્ઠભાવવાળા)
છે. છતાં એ સર્વેમાં જ્ઞાની તો મારું સ્વરૂપ જ છે
એવો મારો મત છે; કેમકે એ મારાથી અભિન્ન છે અને
જેનાથી ઉત્તમ બીજી કોઈ ગતિ નથી, એવો તે મારામાં
જ સમ્યક્ રીતે સ્થિત છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//