Tuesday, 17 June 2025

પરમેશ્વર પોતે વહન કરે છે


अनन्याश्चिन्तयन्तो मां ये जना: पर्युपासते |
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ||
भ.गी. 9.22

જે અનન્ય ભક્તજનો મુજ પરમેશ્વરનું નિરંતર ચિંતન
કરતાં મારી સારી રીતે ઉપાસના કરે છે - મારામાં નિરંતર
લાગેલા તે ભક્તોનો યોગક્ષેમ ( અપ્રાપ્તની પ્રાપ્તિ અને
પ્રાપ્ત ની રક્ષા ) હું પોતે વહન કરું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 16 June 2025

પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં પાછા આવે છે


ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति |
एवं त्रयीधर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते ||
भ.गी. 9.21

તેઓ એ વિશાળ સ્વર્ગલોકના ભોગો ભોગવીને પુણ્ય ક્ષીણ
થતાં મૃત્યુલોકમાં પાછા આવે છે. આ રીતે ત્રણેય વેદોમાં
કહેલાં સકામ કર્મોનો આશ્રય લેનારા, તેમજ ભોગોને ઇચ્છતા
માણસો આવાગમનને પ્રાપ્ત થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 14 June 2025

દેવતાઓના ભોગોને ભોગવે છે


त्रैविद्या मां सोमपा: पूतपापा यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते |
ते पुण्यमासाद्य सुरेन्द्रलोक मश्नन्ति दिव्यान्दिवि देवभोगान् ||
भ.गी. 9.20

ત્રણેય વેદોમાં વિધાન કરાયેલા સકામ કર્મોને કરનારા,
સોમરસ પીનારા, પાપ વિનાના માણસો યજ્ઞો દ્વારા મારું
ઇન્દ્રરૂપે પૂજન કરીને સ્વર્ગ પ્રાપ્તિની પ્રાર્થના કરે છે. એ
પુણ્યોના ફળસ્વરૂપે પવિત્ર સ્વર્ગલોકને પ્રાપ્ત કરીને ત્યાં
સ્વર્ગના દિવ્ય એવા દેવતાઓના ભોગોને ભોગવે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 13 June 2025

અમૃત અને મૃત્યુ તથા સત્-અસત્ પણ હું જ છું


तपाम्यहमहं वर्षं निगृह्णम्युत्सृजामि च |
अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन ||
भ.गी. 9.19

હે અર્જુન ! સંસારના હિત માટે હું જ સૂર્યરૂપે
તપું છું, હું જ જળને ગ્રહણ કરું છું અને ફરી એ
જળને હું જ વર્ષારૂપે વરસાવું છું. વધારે તો શું
કહું પણ અમૃત અને મૃત્યુ તથા સત્-અસત્ પણ
હું જ છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 12 June 2025

સમગ્ર સંસાર હું જ છું


अहं क्रतुरहं यज्ञ: स्वधाहमहमौषधम् | मन्त्रोऽहमहमेवाज्यमहमग्निरहं हुतम् ||
पिताहमस्य जगतो माता धाता पितामह: | वेद्यं पवित्रमोङ्कार ऋक्साम यजुरेव च ||
गतिर्भर्ता प्रभु: साक्षी निवास: शरणं सुहृत् | प्रभव: प्रलय: स्थानं निधानं बीजमव्ययम् ||
भ.गी. 9.16-17-18

ક્રતુ હું છું, યજ્ઞ વગેરે સ્માર્ત કર્મ હું છું, સ્વધા હું છું, ઔષધ હું છું, મંત્ર
હું છું, ઘૃત હું છું, અગ્નિ હું છું અને હવનરૂપી ક્રિયા પણ હું છું. જાણવા
યોગ્ય પવિત્ર ૐકાર, ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. આ
સકળ જગતનો પિતા, ધાતા, માતા, પિતામહ, ગતિ, ભરણ-પોષણ કરનાર,
પ્રભુ, સાક્ષી,નિવાસ,આશ્રય, સુહૃદ્, ઉત્પત્તિ, પ્રલય, સ્થાન, નિધાન (ભંડાર),
તથા અવિનાશી બીજ પણ હું જ છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 11 June 2025

અભિન્નભાવે અને સેવ્યસેવકભાવે


ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते |
एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतोमुखम् ||
भ.गी. 9.15

બીજા સાધકો જ્ઞાનયજ્ઞ દ્વારા અભિન્નભાવે મારું
પૂજન કરતાં રહીને મારી ઉપાસના કરે છે. અને
બીજા પણ કેટલાક સાધકો પોતાને પૃથક માનીને
ચારે બાજુ મુખવાળા મારા વિરાટ સ્વરૂપની અર્થાત્
સંસારને મારું વિરાટરૂપ માનીને સેવ્યસેવકભાવે મારી
અનેક પ્રકારથી ઉપાસના કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 10 June 2025

નિત્ય-નિરંતર મારામાં લાગેલા

 


सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रता: |
नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ||
भ.गी. 9.14

નિત્ય-નિરંતર મારામાં લાગેલા મનુષ્યો દ્રઢનિશ્ચયી
થઈને પ્રયત્ન પૂર્વક સાધનામાં લાગેલા અને અનન્ય
પ્રેમથી મારાં નામ અને ગુણોનું કીર્તન કરતાં તથા મને
વારંવાર પ્રણામ કરતાં નિરંતર મારી ઉપાસના કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//