Saturday, 6 June 2026

બ્રાહ્મણનાં સ્વાભાવિક કર્મો


शमो दमस्तप: शौचं क्षान्तिरार्जवमेव च |
ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम् ||
भ.गी. 18.42

મનનો નિગ્રહ કરવો; ઇન્દ્રિયોને વશમાં કરવી; ધર્મના પાલન કાજે
કષ્ટ સહેવું, બાહ્ય-ભીતરથી શુદ્ધ રહેવું; બીજાના અપરાધોને ક્ષમા
આપવી, શરીર, મન, વગેરેમાં સરળતા રાખવી; વેદ-શાસ્ત્રોનું જ્ઞાન
હોવું; યજ્ઞવિધિને અનુભવમાં લાવવી અને વેદો, શાસ્ત્રો, ઈશ્વર આદિમાં
શ્રદ્ધા રાખવી, આ બધા જ બ્રાહ્મણનાં સ્વાભાવિક કર્મો છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 5 June 2026

સ્વભાવમાંથી ઉપજેલા ત્રણે ગુણો


ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप |
कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणै: ||
भ.गी. 18.41

હે પરંતપ ! બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા
શુદ્રોનાં કર્મો સ્વભાવમાંથી ઉપજેલા ત્રણે ગુણો
દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે.

// हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 4 June 2026

ક્યાંય પણ એવી કોઈ પણ વસ્તુ નથી જે ત્રણેય ગુણોથી મુક્ત હોય.


न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुन: |
सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभि: स्यात्त्रिभिर्गुणै: ||
भ.गी. 18.40

પૃથ્વી પર, સ્વર્ગમાં કે દેવતાઓમાં અથવા એ
સિવાય બીજે ક્યાંય પણ એવી કોઈ પણ વસ્તુ
નથી, જે પ્રકૃતિમાંથી જન્મેલા (સાત્ત્વિક-રાજસ-તામસ)
આ ત્રણેય ગુણોથી મુક્ત હોય.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 3 June 2026

મોહિત કરવાવાળું તામસ સુખ


यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मन: |
निद्रालस्यप्रमादोत्थं तत्तामसमुदाहृतम् ||
भ.गी. 18.39

નિદ્રા, આલસ્ય અને પ્રમાદથી ઉત્પન્ન થવાવાળું
જે સુખ આરંભમાં અને પરિણામમાં પણ પોતાને
મોહિત કરવાવાળું છે, તે સુખ તામસ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 2 June 2026

પરિણામે વિષ જેવું રાજસ સુખ


विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेऽमृतोपमम् |
परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् ||
भ.गी. 18.38

જે સુખ ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી થાય
છે, તે શરૂઆતમાં અમૃત જેવું જણાતું હોવા છતાં
પરિણામે વિષ જેવું છે; માટે એ સુખ રાજસ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 1 June 2026

આરંભમાં વિષ જેવું પણ પરિણામે અમૃત જેવું સાત્ત્વિક સુખ


सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभ | अभ्यासाद्रमते यत्र दु:खान्तं च निगच्छति ||
यत्तदग्रे विषमिव परिणामेऽमृतोपमम् | तत्सुखं सात्त्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम् ||
भ.गी. 18.36-37

હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન ! હવે ત્રણ પ્રકારનાં સુખને પણ તું મારી પાસેથી
 સાંભળ. જે સુખમાં સાધક અભ્યાસવડે રમણ કરે છે અને જેથી દુઃખોનો અંત થઈ
 જાય છે, એવું તે પરમાત્મવિષયક બુદ્ધિની પ્રસન્નતામાંથી ઉપજનારું જે સુખ સાંસારિક
 આસક્તિને કારણે આરંભમાં વિષ જેવું જણાય છે, પણ પરિણામે અમૃત જેવું છે;
તે સુખ સાત્ત્વિક કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Sunday, 31 May 2026

તામસી ધૃતિ


यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च |
न विमुञ्चति दुर्मेधा धृति: सा पार्थ तामसी ||
भ.गी. 18.35

હે પૃથાપુત્ર ! દુષ્ટબુદ્ધિનો માણસ જે ધૃતિ દ્વારા
ધારણશક્તિ દ્વારા નિદ્રા, ભય, ચિંતા અને દુઃખને
તથા ઘમંડને પણ નથી છોડતો, પણ પકડી રાખે
છે, તે ધૃતિ તામસી છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//