Friday, 20 March 2026

જે જેવી શ્રદ્ધાવાળો છે, તે જ તેનું સ્વરૂપ છે


सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत |
श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्ध: स एव स: ||
भ.गी. 17.3

હે ભારત ! બધા માણસોની શ્રદ્ધા એમના અન્તઃકરણને
અનુરૂપ હોય છે. આ પુરુષ શ્રદ્ધામય છે. માટે જે જેવી
શ્રદ્ધાવાળો છે, તે જ તેનું સ્વરૂપ છે અર્થાત્ તે જ તેની
નિષ્ઠા એટલે કે સ્થિતિ છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 19 March 2026

ત્રણ પ્રકારની શ્રદ્ધા


श्रीभगवानुवाच |
त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा |
सात्त्विकी राजसी चैव तामसी चेति तां शृणु ||
भ.गी. 17.2

શ્રીભગવાન બોલ્યા : માણસોની તે સ્વભાવમાંથી જન્મેલી
શ્રદ્ધા સાત્ત્વિકી અને રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની
જ હોય છે; એને તું મારી પાસેથી સાંભળ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 18 March 2026

જે દેવો વગેરેને પૂજે છે તેમની નિષ્ઠા કઈ


अर्जुन उवाच |
ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विता: |
तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तम: ||
भ.गी. 17.1

અર્જુન બોલ્યા: હે કૃષ્ણ ! જે માણસો શાસ્ત્રવિધિનો
શ્રદ્ધાપૂર્વક દેવો વગેરેને પૂજે છે તેમની નિષ્ઠા પછી
કઈ ગણાય ? સાત્ત્વિકી, રાજસી કે તામસી ?

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 17 March 2026

કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે


तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ |
ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि ||
भ.गी. 16.24

આથી તારા માટે કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં
શાસ્ત્ર જ પ્રમાણ છે, એમ જાણીને તું આ લોકમાં શાસ્ત્રવિધિ
પ્રમાણે નિયત થયેલું કર્તવ્ય કર્મ કરવા યોગ્ય છે અર્થાત્ તારે
શાસ્ત્ર વિધિ પ્રમાણે કર્તવ્ય કર્મ કરવા જોઈએ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 16 March 2026

શાસ્ત્રવિધિને છોડીને મનમાન્યું આચરણ કરે


य: शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारत: |
न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ||
भ.गी. 16.23

જે માણસ શાસ્ત્રવિધિને છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે
મનમાન્યું આચરણ કરે છે, તે ન તો સિદ્ધિ શુદ્ધિને, ન
સુખને, ન પરમ ગતિને પામે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 14 March 2026

કામ, ક્રોધ અને લોભથી છૂટેલો પોતાના કલ્યાણનું આચરણ કરે છે


एतैर्विमुक्त: कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नर: |
आचरत्यात्मन: श्रेयस्ततो याति परां गतिम् ||
भ.गी. 16.22

હે કુન્તીપુત્ર ! કામ, ક્રોધ અને લોભ આ ત્રણેય નરકનાં
દ્વારોથી છૂટેલો માણસ પોતાના કલ્યાણનું આચરણ કરે
છે. તેનાથી તે પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 13 March 2026

કામ, ક્રોધ તથા લોભ આ નરકનાં દ્વાર જીવાત્માનું પતન કરનારાં છે


त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मन: |
काम: क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत् ||
भ.गी. 16.21

કામ, ક્રોધ તથા લોભ આ ત્રણ જાતનાં નરકનાં દ્વાર
જીવાત્માનું પતન કરનારાં છે, માટે આ ત્રણેયને ત્યજી
દેવા જોઈએ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//