Saturday, 17 January 2026

નથી તો દ્વેષ કરતો, નથી કોઈ ઈચ્છા કરતો અને નથી કોઈ ચેષ્ઠા કરતો


श्रीभगवानुवाच |
प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव | न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ् क्षति ||
उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते | गुणा वर्तन्त इत्येवं योऽवतिष्ठति नेङ्गते ||
भ.गी. 14.22-23

શ્રીભગવાન બોલ્યા - હે પાંડવ ! પ્રકાશ અને પ્રવૃત્તિ તથા મોહ
આ બધા સારી રીતે પ્રવૃત્ત થઇ જાય તો પણ ગુણાતીત મનુષ્ય
નથી તો દ્વેષ કરતો અને આ બધાં નિવૃત્ત થઇ જાય તો તેમની
ઈચ્છા કરતો નથી.
જે સાક્ષીની પેઠે સ્થિત થયેલો અને જે ગુણો વડે વિચલિત કરી
શકાતો નથી તથા ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એવા ભાવથી
જે પોતાના સ્વરૂપમાં જ સ્થિત રહે છે અને સ્વયં કોઈ પણ ચેષ્ઠા
કરતો નથી.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 16 January 2026

ત્રણેય ગુણોને કઈ રીતે ઓળંગી શકાય


अर्जुन उवाच |
कैर्लिङ्गैस्त्रीन्गुणानेतानतीतो भवति प्रभो |
किमाचार: कथं चैतांस्त्रीन्गुणानतिवर्तते ||
भ.गी. 14.21

અર્જુન બોલ્યા: હે પ્રભુ ! આ ત્રણેય ગુણોથી અતીત
પુરુષ કયાં ક્યાં લક્ષણોથી યુક્ત હોય છે ? તેનું આચરણ
કેવું હોય છે. અને આ ત્રણેય ગુણોને કઈ રીતે ઓળંગી શકાય છે ?

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 15 January 2026

વિવેકી મનુષ્ય જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા રૂપી દુઃખોથી રહિત થઈને અમૃતનો અનુભવ કરે છે


गुणानेतानतीत्य त्रीन्देही देहसमुद्भवान् |
जन्ममृत्युजरादु:खैर्विमुक्तोऽमृतमश्रुते ||
भ.गी. 14.20

દેહધારી વિવેકી મનુષ્ય શરીરની ઉત્પત્તિનાં કારણ
એવા આ ત્રણેય ગુણોને પાર કરીને જન્મ, મૃત્યુ,
વૃદ્ધાવસ્થા રૂપી દુઃખોથી રહિત થઈને અમૃતનો
અનુભવ કરે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 13 January 2026

વિવેકી વિચારકુશળ મનુષ્ય પોતાને ત્રણેય ગુણોથી પર અનુભવ કરે


नान्यं गुणेभ्य: कर्तारं यदा द्रष्टानुपश्यति |
गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति ||
भ.गी. 14.19

જે કાળે વિવેકી વિચારકુશળ મનુષ્ય ત્રણ ગુણો સિવાય
બીજા કોઈને કર્તારૂપે નથી જોતો અને પોતાને ત્રણેય
ગુણોથી પર અનુભવ કરે છે ત્યારે તે મારા સ્વરૂપને
પ્રાપ્ત થઈ જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 12 January 2026

સત્ત્વગુણમાં સ્થિત મનુષ્યો ઉચ્ચ લોકોમાં, રજોગુણમાં મનુષ્યલોકમાં અને તમોગુણનાં અધોગતિને પ્રાપ્ત થાય


ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसा: |
जघन्यगुणवृत्तिस्था अधो गच्छन्ति तामसा: ||
भ.गी. 14.18

સત્ત્વગુણમાં સ્થિત મનુષ્યો સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોમાં
જાય છે, રજોગુણમાં સ્થિત મનુષ્યો મનુષ્યલોકમાં જન્મ
લે છે અને તમોગુણનાં કાર્ય નિંદનીય તમોગુણની વૃત્તિમાં
સ્થિત તામસી મનુષ્યો અધોગતિને પ્રાપ્ત થાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 10 January 2026

સત્ત્વગુણમાંથી જ્ઞાન, રજોગુણમાંથી લોભ અને તમોગુણમાંથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે


सत्त्वात्सञ्जायते ज्ञानं रजसो लोभ एव च |
प्रमादमोहौ तमसो भवतोऽज्ञानमेव च ||
भ.गी. 14.17

સત્ત્વગુણમાંથી જ્ઞાન અને રજોગુણમાંથી લોભ
જ ઉત્પન્ન થાય છે. તમોગુણમાંથી પ્રમાદ અને
મોહ અને અજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 9 January 2026

શ્રેષ્ઠ કર્મોનું નિર્મળ, રાજસ કર્મનું દુઃખ અને તામસ કર્મનું ફળ અજ્ઞાન મૂઢતા કહ્યું છે


कर्मण: सुकृतस्याहु: सात्त्विकं निर्मलं फलम् |
रजसस्तु फलं दु:खमज्ञानं तमस: फलम् ||
भ.गी. 14.16

વિવેકી પુરુષોએ-શ્રેષ્ઠ કર્મોનું તો સાત્ત્વિક નિર્મળ
ફળ કહ્યું છે, જયારે રાજસ કર્મનું ફળ દુઃખ કહ્યું છે
અને તામસ કર્મનું ફળ અજ્ઞાન મૂઢતા કહ્યું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//