Thursday, 26 March 2026

સાત્ત્વિક મનુષ્યોને પ્રિય ભોજન પદાર્થો


आयु:सत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धना: |
रस्या: स्निग्धा: स्थिरा हृद्या आहारा: सात्त्विकप्रिया: ||
भ.गी. 17.8

આયુ, સત્ત્વગુણ બળ, આરોગ્ય, સુખ, અને પ્રસન્નતા
વધારનારા, સ્થિર રહેવાવાળા, હૃદયને શક્તિપ્રદ, રસયુકત
તથા ચીકણા આહાર અથવા ભોજન કરવાના પદાર્થો
સાત્ત્વિક મનુષ્યોને પ્રિય હોય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 24 March 2026

ત્રણ પ્રકારનાં યજ્ઞ, તપ અને દાન


आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रिय: |
यज्ञस्तपस्तथा दानं तेषां भेदमिमं शृणु ||
भ.गी. 17.7

ભોજન પણ સૌને ત્રણ પ્રકારનું પ્રિય હોય છે
અને એ જ રીતે યજ્ઞ, તપ અને દાન પણ ત્રણ
ત્રણ પ્રકારનાં હોય છે અર્થાત્ શાસ્ત્રીય કર્મોમાં
પણ ગુણોની દ્રષ્ટિએ ત્રણ પ્રકારની રુચિ હોય છે.
તું તેમના આ ભેદને સાંભળ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 23 March 2026

શાસ્ત્રવિધિ વિનાનું કરે તે આસુરી સંપત્તિવાળા


अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जना: | दम्भाहङ्कारसंयुक्ता: कामरागबलान्विता: ||
कर्षयन्त: शरीरस्थं भूतग्राममचेतस: | मां चैवान्त:शरीरस्थं तान्विद्ध्यासुरनिश्चयान् ||
भ.गी. 17.5-6

જે માણસો શાસ્ત્રવિધિ વિનાનું ઘોર તપ કરે છે; જે દંભ અને
અહંકારથી ભરેલા છે જે ભોગ-પદાર્થો, આસક્તિ અને હઠાગ્રહી
છે; જે શરીરમાં સ્થિત પાંચ ભૂતો અર્થાત્ પંચમહાભૂતના શરીરને
અને અન્તઃકરણમાં રહેલા મુજ પરમાત્માને પણ કૃશ કરનારા છે,
તે અજ્ઞાનીઓને તું આસુરી સંપત્તિવાળા જાણ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 21 March 2026

સાત્ત્વિક માણસો દેવોને પૂજે છે


यजन्ते सात्त्विका देवान्यक्षरक्षांसि राजसा: |
प्रेतान्भूतगणांश्चान्ये यजन्ते तामसा जना: ||
भ.गी. 17.4

સાત્ત્વિક માણસો દેવોને પૂજે છે, રાજસી માણસો
યક્ષ અને રાક્ષસોને તથા બીજા જે તામસી માણસો
છે, તેઓ પ્રેતો અને ભૂતગણોને પૂજે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 20 March 2026

જે જેવી શ્રદ્ધાવાળો છે, તે જ તેનું સ્વરૂપ છે


सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत |
श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्ध: स एव स: ||
भ.गी. 17.3

હે ભારત ! બધા માણસોની શ્રદ્ધા એમના અન્તઃકરણને
અનુરૂપ હોય છે. આ પુરુષ શ્રદ્ધામય છે. માટે જે જેવી
શ્રદ્ધાવાળો છે, તે જ તેનું સ્વરૂપ છે અર્થાત્ તે જ તેની
નિષ્ઠા એટલે કે સ્થિતિ છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 19 March 2026

ત્રણ પ્રકારની શ્રદ્ધા


श्रीभगवानुवाच |
त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा |
सात्त्विकी राजसी चैव तामसी चेति तां शृणु ||
भ.गी. 17.2

શ્રીભગવાન બોલ્યા : માણસોની તે સ્વભાવમાંથી જન્મેલી
શ્રદ્ધા સાત્ત્વિકી અને રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની
જ હોય છે; એને તું મારી પાસેથી સાંભળ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 18 March 2026

જે દેવો વગેરેને પૂજે છે તેમની નિષ્ઠા કઈ


अर्जुन उवाच |
ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विता: |
तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तम: ||
भ.गी. 17.1

અર્જુન બોલ્યા: હે કૃષ્ણ ! જે માણસો શાસ્ત્રવિધિનો
શ્રદ્ધાપૂર્વક દેવો વગેરેને પૂજે છે તેમની નિષ્ઠા પછી
કઈ ગણાય ? સાત્ત્વિકી, રાજસી કે તામસી ?

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//