Thursday, 2 April 2026

શરીર-સંબંધી તપ


देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवम् |
ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते ||
भ.गी. 17.14

દેવો, બ્રાહ્મણો, ગુરુજનો અને જીવનમુક્ત મહાપુરુષોનું
યથાયોગ્ય પૂજન કરવું. પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્યનું
પાલન કરવું. અને હિંસા ન કરવી આ શરીર-સંબંધી
તપ કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 1 April 2026

શાસ્ત્રવિધિ, અન્નદાન, મંત્રો, દક્ષિણા અને શ્રદ્ધા વિના તામસ યજ્ઞ


विधिहीनमसृष्टान्नं मन्त्रहीनमदक्षिणम् |
श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते ||
भ.गी. 17.13

શાસ્ત્રવિધિ વિના, અન્નદાન વિના, મંત્રો
વિના, દક્ષિણા વિના અને શ્રદ્ધા વિના કરવામાં
આવેલા યજ્ઞને તામસ યજ્ઞ કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 31 March 2026

ફળની ઈચ્છાથી જ કરવામાં આવે તે યજ્ઞ રાજસ


अभिसन्धाय तु फलं दम्भार्थमपि चैव यत् |
इज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसम् ||
भ.गी. 17.12

પરંતુ હે ભરતશ્રેષ્ઠ અર્જુન ! જે ફળની ઈચ્છાથી
જ કરવામાં આવે છે અથવા દંભ એટલે કે દેખાવા
માટે પણ કરવામાં આવે છે, તે યજ્ઞને તું રાજસ સમજ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 30 March 2026

યજ્ઞ કરવો એજ કર્તવ્ય છે


अफलाकाङ्क्षिभिर्यज्ञो विधिदृष्टो य इज्यते |
यष्टव्यमेवेति मन: समाधाय स सात्त्विक: ||
भ.गी. 17.11

યજ્ઞ કરવો એજ કર્તવ્ય છે - આ પ્રમાણે મનને
સંતુષ્ટ કરીને ફળની ઈચ્છા રહિત મનુષ્ય દ્વારા જે
શાસ્ત્રવિધિથી નિયત યજ્ઞ કરવામાં આવે છે, તે
સાત્ત્વિક છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे// 

Saturday, 28 March 2026

તામસી માણસને પ્રિય ભોજન


यातयामं गतरसं पूति पर्युषितं च यत् |
उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम् ||
भ.गी. 17.10

જે ભોજન અડધું ચઢેલું અને ઉતરી ગયેલું રસ
વિનાનું દુર્ગંધી યુક્ત વાસી અને એઠું છે, તથા
જે બહુ અપવિત્ર (માંસ વગેરે) પણ છે, તે તામસી
માણસને પ્રિય હોય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 27 March 2026

રાજસ મનુષ્યને પ્રિય આહાર


कट्वम्ललवणात्युष्णतीक्ष्णरूक्षविदाहिन: |
आहारा राजसस्येष्टा दु:खशोकामयप्रदा: ||
भ.गी. 17.9

 

Thursday, 26 March 2026

સાત્ત્વિક મનુષ્યોને પ્રિય ભોજન પદાર્થો


आयु:सत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धना: |
रस्या: स्निग्धा: स्थिरा हृद्या आहारा: सात्त्विकप्रिया: ||
भ.गी. 17.8

આયુ, સત્ત્વગુણ બળ, આરોગ્ય, સુખ, અને પ્રસન્નતા
વધારનારા, સ્થિર રહેવાવાળા, હૃદયને શક્તિપ્રદ, રસયુકત
તથા ચીકણા આહાર અથવા ભોજન કરવાના પદાર્થો
સાત્ત્વિક મનુષ્યોને પ્રિય હોય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//