Friday, 3 July 2026

સર્વગુહ્યતમ વચન અતપસ્વીને, અભક્તને, જે સાંભળવા ઈચ્છતો નથી અને જે મારામાં દોષદ્રષ્ટિ કરે તેને નહીં કહેવું જોઈએ


इदं ते नातपस्काय नाभक्ताय कदाचन ।
न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति ॥
भ.गी. 18.67

આ સર્વગુહ્યતમ વચન તારે કોઈ અતપસ્વીને
નહિ કહેવું જોઈએ; અભક્તને ક્યારેય નહિ કહેવું
જોઈએ તથા જે સાંભળવા ઈચ્છતો નથી, તેને નહિ
કહેવું જોઈએ અને જે મારામાં દોષદ્રષ્ટિ કરે છે, તેને
પણ નહીં કહેવું જોઈએ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 2 July 2026

તું એકમાત્ર મારા શરણે આવી જા


सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच: ॥
भ.गी. 18.66

સઘળાય ધર્મોનો આશ્રય ત્યજીને, તું એકમાત્ર
મારા શરણે આવી જા; હું તને બધાંય પાપોથી
મુક્ત કરી દઇશ, તું ચિંતા ન કર.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 1 July 2026

આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું


मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे ॥
भ.गी. 18.65

તું મારો ભક્ત થઈ જા, મારામાં મનવાળો બની
જા મારું પૂજન કરનાર થઈ જા, અને મને નમસ્કાર
કર. આમ કરવાથી તું મને જ પામીશ, આ હું તારી
સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમકે તું મને ઘણો પ્રિય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 30 June 2026

ગોપનીય સર્વોત્કૃષ્ટ વચન


सर्वगुह्यतमं भूय: शृणु मे परमं वच: ।
इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् ॥
भ.गी. 18.64

સૌથી અત્યંત ગોપનીય વચનોથીય અતિ
ગોપનીય સર્વોત્કૃષ્ટ વચનને તું ફરી મારી પાસે
સાંભળ. તું મારો અત્યંત પ્રિય મિત્ર છે, માટે આ
વિશેષ હિતકારી વચન હું તારા માટે કહીશ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 29 June 2026

જેવી ઈચ્છા હોય તેમ કર


इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया ।
विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु ॥
भ.गी. 18.63

આ ગોપનિયથીય અતિ ગોપનીય જ્ઞાન મેં
તને કહી દીધું; હવે તું ઉપર સારી રીતે વિચાર
કરીને જેવી ઈચ્છા હોય તેમ કર.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 27 June 2026

શાશ્વત પરમ પદ


तमेव शरणं गच्छ सर्वभावेन भारत ।
तत्प्रसादात्परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् ॥
भ.गी. 18.62

ભરતવંશોદ્ભવ અર્જુન ! સર્વ ભાવથી પરમેશ્વરને
જ શરણે ચાલ્યો જા; એ પરમાત્માની કૃપાથી જ તું
પરમ શાંતિને (સંસારથી ઉપરત થઇને) અને શાશ્વત
પરમ પદને પ્રાપ્ત થઈ જઈશ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 26 June 2026

સ્વભાવ અનુસાર ભ્રમણ કરાવે છે


ईश्वर: सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति ।
भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया ॥
भ.गी. 18.61

હે અર્જુન ! ઈશ્વર સંપૂર્ણ પ્રાણીઓના હૃદયમાં
રહે છે અને પોતાની માયાથી શરીરરૂપી યંત્ર પર
આરૂઢ થઇને સંપૂર્ણ પ્રાણીઓને તેમના સ્વભાવ
અનુસાર ભ્રમણ કરાવે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//