Monday, 13 April 2026

ફળ પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખ્યા પછી આપવામાં આવે તે દાન રાજસ


यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुन: |
दीयते च परिक्लिष्टं तद्दानं राजसं स्मृतम् ||
भ.गी. 17.21

પરંતુ જે દાન ક્લેશપૂર્વક તથા પ્રત્યુપકારની અપેક્ષાથી
અથવા ફળ પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખ્યા પછી આપવામાં
આવે છે, તે દાન રાજસ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 11 April 2026

નિષ્કામ ભાવે આપવામાં આવે તે દાન સાત્ત્વિક


दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे |
देशे काले च पात्रे च तद्दानं सात्त्विकं स्मृतम् ||
भ.गी. 17.20

દાન આપવું કર્તવ્ય છે-એવા ભાવથી જે દાન દેશ
અને કાળ અને પાત્ર પ્રાપ્ત થતાં, પોતાના પર જેણે
ઉપકાર નથી કર્યો, અર્થાત્ નિષ્કામ ભાવે આપવામાં
આવે છે, તે દાન સાત્ત્વિક કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 10 April 2026

તામસ તપ


मूढग्राहेणात्मनो यत्पीडया क्रियते तप: |
परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम् ||
भ.गी. 17.19

જે તપ મુર્ખાતાપૂર્વક હઠથી, પોતાને પીડા
આપીને અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે
આચરવામાં આવે છે, તે તપ તામસ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 9 April 2026

સત્કાર, માન અને પૂજા ખાતર કરવામાં આવે તે તપ રાજસ


सत्कारमानपूजार्थं तपो दम्भेन चैव यत् |
क्रियते तदिह प्रोक्तं राजसं चलमध्रुवम् ||
भ.गी. 17.18

જે તપ સત્કાર, માન અને પૂજા ખાતર તથા
પાખંડથી (દેખાડવાના ભાવથી) પણ કરવામાં
આવે છે, તે આ લોકમાં અનિશ્ચિત અને નાશવાન
ફળ આપનારું તપ રાજસ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 8 April 2026

ત્રણ પ્રકારના સાત્ત્વિક તપ


श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरै: |
अफलाकाङ्क्षिभिर्युक्तै: सात्त्विकं परिचक्षते ||
भ.गी. 17.17

પરમ શ્રદ્ધાથી યુક્ત ફળની ઈચ્છા રહિત મનુષ્યો
દ્વારા જે શરીર, વાણી અને મન એમ ત્રણ પ્રકારના
તપ કરવામાં આવે છે, તેને સાત્ત્વિક તપ કહે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 7 April 2026

મનનું તપ કહેવાય


मन: प्रसाद: सौम्यत्वं मौनमात्मविनिग्रह: |
भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते ||
भ.गी. 17.16

મનની પ્રસન્નતા, શાન્તભાવ, મનનશીલતા,
મનનો નિગ્રહ અને ભાવોની સારી પેઠે પવિત્રતા
આવા પ્રકારનું આ મનનું તપ કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 6 April 2026

વાણી સંબંધી તપ


अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् |
स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते ||
भ.गी. 17.15

જે કોઈને પણ દુઃખી ન કરનારી, સત્ય અને
પ્રિય તથા હિતકારક વાણી છે, તે તથા સ્વાધ્યાય
અને અભ્યાસ ( નામ-જપ વગેરે ) પણ વાણી સંબંધી
તપ કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//