Tuesday, 13 May 2025

બ્રહ્માના દિવસ અને રાત્રિને જાણનારા


सहस्रयुगपर्यन्तमहर्यद्ब्रह्मणो विदु: |
रात्रिं युगसहस्रान्तां तेऽहोरात्रविदो जना: ||
भ.गी. 8.17

જે મનુષ્ય બ્રહ્માનો એક હજાર ચતુર્યુગ વાળો એક
દિવસ અને એક હજાર ચતુર્યુગ વાળી એક રાત્રિને
જાણે છે, તે મનુષ્યો બ્રહ્માના દિવસ અને રાત્રિને
જાણનારા છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 12 May 2025

મને પ્રાપ્ત થઈને પુનર્જન્મ નથી થતો


आब्रह्मभुवनाल्लोका: पुनरावर्तिनोऽर्जुन |
मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते ||
भ.गी. 8.16

હે અર્જુન ! બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો
પુનરાવર્તી છે અર્થાત્ ત્યાં જઈને સંસારમાં
પાછા આવવું પડે છે; પરંતુ હે કુન્તીપુત્ર !
મને પ્રાપ્ત થઈને પુનર્જન્મ નથી થતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 10 May 2025

નિરંતર બદલાતા પુનર્જન્મને પ્રાપ્ત થતા નથી


मामुपेत्य पुनर्जन्म दु:खालयमशाश्वतम् |
नाप्नुवन्ति महात्मान: संसिद्धिं परमां गता: ||
भ.गी. 8.15

મહાત્માઓ મને પ્રાપ્ત કરીને દુઃખાલય અર્થાત્
દુઃખોના રહેઠાણ અને ક્ષણભંગુર અર્થાત્ નિરંતર
બદલાતા પુનર્જન્મને પ્રાપ્ત થતા નથી કેમ કે પરમ
સિદ્ધિને પ્રાપ્ત થઈ ગયા છે તેમને પરમ પ્રેમની પ્રાપ્તિ
થઈ ગઈ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 9 May 2025

યોગીને માટે હું સુલભ છું


अनन्यचेता: सततं यो मां स्मरति नित्यश: |
तस्याहं सुलभ: पार्थ नित्ययुक्तस्य योगिन: ||
भ.गी. 8.14

હે પૃથાપુત્ર ! અનન્ય-ચિત્તવાળો જે માણસ મારામાં
મુજ પુરુષોત્તમનું નિત્ય નિરંતર સ્મરણ કરે છે, તે નિત્ય-
નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું અર્થાત
તેને સુલભતાથી પ્રાપ્ત થઈ જાઉં છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 8 May 2025

"ૐ" એક-અક્ષર બ્રહ્મનું માનસિક ઉચ્ચારણ


सर्वद्वाराणि संयम्य मनो हृदि निरुध्य च |
मूर्ध्न्याधायात्मन: प्राणमास्थितो योगधारणाम् ||
ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन् |
य: प्रयाति त्यजन्देहं स याति परमां गतिम् ||
भा.गी. 8.12-13

બધી ઇન્દ્રિયોનાં સંપૂર્ણ દ્વારોને રોકીને મનને હૃદય-
પ્રદેશમાં સ્થિર કરીને, અને પોતાના પ્રાણોને મસ્તકમાં
સ્થાપીને, યોગધારણામાં સમ્યક પ્રકારે સ્થિત થઇને જે
સાધક "ૐ" એ એક-અક્ષર બ્રહ્મનું માનસિક ઉચ્ચારણ
અને મારું ચિંતન કરતો શરીરને છોડીને જાય છે, એ
માણસ પરમગતિને પામે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 7 May 2025

વિદ્વાનો જે પરમપદને અવિનાશી કહે છે


यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागा: |
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये ||
भा.गी. 8.11

વેદને જાણનાર વિદ્વાનો જે પરમપદને અવિનાશી કહે
છે, વીતરાગ યતિ જેને પ્રાપ્ત કરે છે તથા સાધક જેની
પ્રાપ્તિની ઈચ્છા કરતા રહીને બ્રહ્મચર્યનું પાલન કરે છે,
તે પદ હું તારા માટે સંક્ષેપમાં કહીશ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 6 May 2025

પરમ દિવ્ય પુરુષને જ પ્રાપ્ત થાય


कविं पुराणमनुशासितारमणोरणीयांसमनुस्मरेद्य: | 
सर्वस्य धातारमचिन्त्यरूप मादित्यवर्णं तमस: परस्तात् ||
प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव | 
भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक्स  तं परं पुरुषमुपैति दिव्यम् ||
भा.गी. 8.9-10

જે માણસ સર્વજ્ઞ, અનાદિ, સૌના ઉપર શાસન કરવાવાળા
સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ, સૌનું ધારણ-પોષણ કરનાર, અવિદ્યાથી
અત્યંત પર, સૂર્ય સમાન પ્રકાશ સ્વરૂપ અર્થાત્ જ્ઞાનસ્વરૂપ અને
આવા અચિન્ત્ય સ્વરૂપનું ચિંતન કરે છે,
તે ભક્તિયુક્ત માણસ અંતસમયે નિશ્ચળ મનથી અને યોગબળથી
બે ભ્રમરોની મધ્યમાં પ્રાણોને સારી રીતે પ્રવિષ્ટ કરીને સ્મરતો-
સ્મરતો તે પરમ દિવ્ય પુરુષને જ પ્રાપ્ત થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//