Tuesday, 8 July 2025

નિશ્ચલ ભક્તિયોગથી યુક્ત


एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वत: |
सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशय: ||
भ.गी. 10.7

જે માણસ મારી આ વિભૂતિને અને યોગશક્તિને
તત્ત્વથી જાણે છે, અર્થાત્ દ્રઢતાપૂર્વક એટલે કે
સંદેહરહિત સ્વીકારે છે, એ નિશ્ચલ ભક્તિયોગથી
યુક્ત થઈ જાય છે; એમાં લેશમાત્ર પણ સંશય નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 7 July 2025

સંસારમાં આ સઘળી પ્રજા મારા સંકલ્પથી છે


महर्षय: सप्त पूर्वे चत्वारो मनवस्तथा |
मद्भावा मानसा जाता येषां लोक इमा: प्रजा: ||
भ.गी. 10.6

સાત મહર્ષિજનો અને પૂર્વે થયેલા ચાર સનકાદિ
તથા સ્વાયંભુવ આદિ ચૌદ મનુઓ આ બધા મારા
સંકલ્પથી જન્મેલા છે, અને મારામાં ભાવ એટલે કે
શ્રદ્ધા-ભક્તિ રાખનારા છે, જેમની સંસારમાં આ
સઘળી પ્રજા છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 5 July 2025

વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે


बुद्धिर्ज्ञानमसम्मोह: क्षमा सत्यं दम: शम: | सुखं दु:खं भवोऽभावो भयं चाभयमेव च ||
अहिंसा समता तुष्टिस्तपो दानं यशोऽयश: | भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधा: ||
भ.गी. 10.4-5

બુદ્ધિ, જ્ઞાન, અસંમૂઢતા, ક્ષમા, સત્ય, દમ, શમ, તેમજ
સુખ-દુઃખ, ઉત્પત્તિ-પ્રલય ભય-અભય તથા અહિંસા, સમતા
સંતોષ, તપ, દાન, યશ અને અપકીર્તિ પ્રાણીઓના આ વિવિધ
પ્રકારના વીસ ભાવો મારાથી જ થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 4 July 2025

બધાં માણસોમાં જ્ઞાની


यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् |
असम्मूढ: स मर्त्येषु सर्वपापै: प्रमुच्यते ||
भ.गी. 10.3

જે મનુષ્ય મને અજન્મા, અનાદિ અને સર્વ
લોકોનો મહાન ઈશ્વર જાણે છે અર્થાત્ દ્રઢતાથી
સંદેહરહિત સ્વીકાર કરે છે, તે બધાં માણસોમાં
જ્ઞાની છે અને તે સર્વ પાપોથી છૂટી જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 3 July 2025

દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ


न मे विदु: सुरगणा: प्रभवं न महर्षय: |
अहमादिर्हि देवानां महर्षीणां च सर्वश: ||
भ.गी. 10.2

મારા પ્રગટ થવાને નથી દેવતાઓ જાણતા કે
નથી મહર્ષિઓ પણ જાણતા. કેમ કે હું સર્વ રીતે
દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 2 July 2025

તારા હિતની ઈચ્છાથી ફરીથી કહીશ


श्रीभगवानुवाच |
भूय एव महाबाहो शृणु मे परमं वच: |
यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया ||
भ.गी. 10.1

શ્રીભગવાન બોલ્યા- હે મહાબાહો અર્જુન ! મારા
પરમ વચનને તું ફરીથી પણ સાંભળ, જેને હું મારામાં
અતિશય પ્રેમભાવ રાખવાવાળા તારા હિતની ઈચ્છાથી
કહીશ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 1 July 2025

તું મારો ભક્ત થઈ જા


मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु |
मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायण: ||
भ.गी. 9.34

તું મારો ભક્ત થઈ જા, મારામાં મનવાળો થઈ
જા, મારું પૂજન કરનારો થઈ જા અને મને પ્રણામ
કર. આ રીતે પોતાને મારામાં પરોવીને મારે પરાયણ
થયેલો તું મને જ પ્રાપ્ત થઈશ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//