Saturday, 19 September 2026

શ્રીમદ્દ ભાગવતમ્ 1.1.5


त एकदा तु मुनयः प्रातर्हतहुताग्नयः ।
सत्कृतं सूतमासीनं पप्रच्छुरिदमादरात् ॥
શ્રીમદ્દ ભાગવતમ્ 1.1.5

એક દિવસ યજ્ઞવેદીનો અગ્નિ પ્રજવલિત કરીને તેમનાં
પ્રાતઃકર્મો પૂર્ણ કર્યા પછી તથા શ્રીલ સૂત ગોસ્વામીને
સન્માનપૂર્વક આસન અર્પણ કર્યા પછી, મહાન ઋષિઓએ
અત્યંત આદર સહિત નીચેની બાબતો વિશે પૃચ્છા કરી.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.17


અવિનાશિ તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ્ ।
વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત્કર્તુમર્હુતિ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.17

નાશરહિત તો તું તેને જાણ, જેનાથી આ સકળ
જગત-દૃશ્યવર્ગ વ્યાપ્ત છે. આ અવિનાશીનો વિનાશ
કરવા કોઈ પણ સમર્થ નથી.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Friday, 18 September 2026

શ્રીમદ્દ ભાગવતમ્ 1.1.4


नैमिषेऽनिमिषक्षेत्रे ऋषयः शौनकादयः ।
सत्रं स्वर्गायलोकाय सहस्त्रसममासत ॥ ४ ॥
શ્રીમદ્દ ભાગવતમ્ 1.1.4

એક વખત નૈમિષારણ્યના વનરૂપી પવિત્ર સ્થળે શૌનક
મુનિના પ્રતિનિધિત્વ હેઠળ મહાન ઋષિઓ ભગવાન તથા
તેમના ભક્તોની પ્રસન્નતા અર્થે એક હજાર વર્ષોનો મહાન
યજ્ઞ કરવા માટે એકત્રિત થયા.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.16


નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સતઃ ।
ઉભયોરપિ દૃષ્ટોઽન્તસ્ત્વનયોસ્તત્ત્વદર્શિભિઃ ||
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.16

અસત્ પદાર્થની સત્તા નથી અને સત્નો અભાવ નથી;
આ બન્નેનું તત્ત્વ તત્ત્વજ્ઞાની પુરુષોએ જોયું છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//


 

Thursday, 17 September 2026

શ્રીમદ્ ભાગવતમ્ 1.1.3


निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतम् ।
पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ॥
શ્રીમદ્ ભાગવતમ્ 1.1.3

હે નિષ્ણાત અને વિચારવંત જનો, વૈદિક સાહિત્યરૂપી કલ્પવૃક્ષના
 આ પરિપક્વ ફળ શ્રીમદ્ ભાગવતમ્નો રસાસ્વાદ માણો. તે શુકદેવ ગોસ્વામીના
 શ્રીમુખેથી ઉદ્ભવ્યું છે અને તેથી હજી વધુ સ્વાદિષ્ટ બન્યું છે. તેનો અમૃતમય રસ
 જોકે પહેલાંથી જ મુક્ત આત્માઓ સહિત સર્વને માટે આસ્વાદ્ય હતો.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

શ્રીમદ્ ભગવદ્ ગીતા 2.15


યં હિ ન વ્યથયન્યેતે પુરુષં પુરુષર્ષભ ।
સમદુઃખસુખં ધીરં સોડમૃતત્વાય કલ્પતે ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 2.15

કેમકે હે પુરુષશ્રેષ્ઠ! દુઃખ-સુખને સમાન સમજનાર
જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો
વ્યાકુળ નથી કરતા, તે મોક્ષને પાત્ર થાય છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Wednesday, 16 September 2026

શ્રીમદ્દ ભાગવતમ્ 1.1.2


धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् |
श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् ||

આ ભાગવતપુરાણ સર્વોચ્ચ સત્યનું પ્રતિપાદન કરે છે, તેમ જ ભૌતિક દૃષ્ટિબિંદુથી પ્રેરાયેલી સર્વ ધાર્મિક પ્રવૃત્તિઓનો સંપૂર્ણપણે અસ્વીકાર કરે છે. તે હૃદયથી પૂર્ણપણે શુદ્ધ એવા ભક્તો દ્વારા જ સમજી શકાય તેવું છે. સર્વોચ્ચ સત્ય એ માયાથી ભિન્ન વાસ્તવિક્તા છે અને સૌનું કલ્યાણ કરનાર છે. આવું સત્ય એ ત્રિવિધ દુ:ખોનો મૂળમાંથી જ ઉચ્છેદ કરે છે. મહાન ઋષિ વ્યાસદેવ દ્વારા તેમની પરિપક્વ અવસ્થામાં રચવામાં આવેલું આ મનોહર ભાગવતમ્ પોતે એકલું જ ભગવાનના સાક્ષાત્કાર માટે પૂરતું છે. તો પછી અન્ય કોઈ શાસ્ત્રની જરૂર જ શી છે? જેવું કોઈ એકચિત્તે તેમ જ શરણભાવે ભાગવતના સંદેશાનું શ્રવણ કરે છે કે તરત જ આ જ્ઞાનના સંસ્કારને લીધે પરમેશ્વર તેના હૃદય મધ્યે સ્થાપિત થાય છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//