Saturday, 29 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.1

દ્વિતીય અધ્યાય

સંજય ઉવાચ : તં તથા કૃપયાવિષ્ટમશ્રુપૂર્ણાકુલેક્ષણમ્ |
વિષીદન્તમિદં વાક્યમુવાચ મધુસૂદન : ||
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.1

સંજય બોલ્યા : આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ
આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે
અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું :

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે// 

Friday, 28 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.47


સંજય ઉવાચ

એવમુક્ત્વાર્જુન: સંખ્યે રથોપસ્થ ઉપાવિશત્ ।
વિસૃજ્ય સશરં ચાપં શોકસંવિગ્નમાનસઃ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.47

સંજય બોલ્યા : રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન
મનનો અર્જુન આમ કહીને બાણસહિત ધનુષ
ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો. 

ૐ તત્સદિતિ શ્રીમદ્ધગવદ્ગીતાસૂપનિષત્સુ
બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદેડર્જુન-
વિષાદયોગો નામ પ્રથમોડધ્યાયઃ ।।

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Thursday, 27 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.46


યદિ મામપ્રતીકારમશસ્ત્રં શસ્ત્રપાણય:।
ધાર્તરાષ્ટ્રા રણે હન્યુસ્તન્મે ક્ષેમતરં ભવેત્ ।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.46

એ કરતાં શસ્ત્રરહિત અને સામનો ન કરનાર
એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના
પુત્રો રણમાં હણી નાખે, તો તે મરવું પણ મારા
માટે વધુ કલ્યાણકારક થશે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//


 

Wednesday, 26 August 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.45


અહો બત મહત્પાપં કર્તું વ્યવસિતા વયમ્ |
યદ્રાજ્યસુખલોભેન હન્તું સ્વજનમુદ્યતાઃ ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 1.45

અરેરે! ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન
હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા
છીએ, જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા
તૈયાર થયા છીએ!

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Tuesday, 25 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.44


ઉત્સન્નકુલધર્માણાં મનુષ્યાણાં જનાર્દન ।
નરકેડનિયતં વાસો ભવતીત્યનુશુશ્રુમ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.44

એટલું જ નહીં, હે જનાર્દન! જેમના કુળધર્મો સમૂળા
નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત કાળ
સુધી નરકમાં વાસ થાય છે, એમ અમે સાંભળતા આવ્યા છીએ.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Monday, 24 August 2026

શ્રીમાદ્ ભગવદ્ ગીતા 1.43


દોષૈરેતૈઃ કુલધ્રાનાં વર્ણસંકરકારકૈ : |
ઉત્સાદ્યન્તે જાતિધર્મા: કુલધર્માશ્વ શાશ્વતા : ||
શ્રીમાદ્ ભગવદ્ ગીતા 1.43

આ વર્ણસંકરકારક દોષોથી કુળઘાતીઓના
સનાતન કુળધર્મો અને જાતિધર્મો સમૂળા નષ્ટ
થઈ જાય છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે// 

Saturday, 22 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.42


સડ્ડરો નરકાયૈવ કુલઘ્રાનાં કુલસ્ય ચ |
પતન્તિ પિતરો હ્યેષાં લુપ્તપિણ્ડોદકક્રિયા: ||
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.42

વર્ણસંકર સંતતિ કુળના હણનારાઓને તથા
કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે; પિંડ
અને તર્પણક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ
અધોગતિને પામે છે.

// હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//