શાસ્ત્રમાં લખ્યું છે કે સંપત્તિ અને સંતતિ
અને સંસારસુખ એ પૂર્વજન્મના કરેલાં
કર્મ પ્રમાણે જ નક્કી થયેલા છે.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
મરવું એ પણ એક કળા છેગીતાજી માં કહ્યું છે કે - જે મનુષ્ય ૐ એવા એકાક્ષર બ્રહ્મ નું ઉચ્ચારણ કરતો અનેપ્રભુનું સ્મરણ કરતો, દેહ ત્યજીને મરણ પામે છે, તે પરમગતિ ને પામે છે.સામાન્ય માનવી "મરે" છે અને સંતો નું પૃથ્વી પરથી "પ્રયાણ" થાય છે.પ્રયાણ અને મરવામાં ફરક છે.ધ્રુવજી આગળ મૃત્યુ માથું નમાવીને ઉભું રહે છે, મૃત્યુ ના માથા પર પગ મૂકી ધ્રુવજીવૈકુંઠ માં જાય છે. એવું ભાગવતમ માં સ્પષ્ટ લખ્યું છે.।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરેહરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
પરમાત્મા જીવ માત્ર ના મિત્ર છે. જીવ સાથે નિસ્વાર્થ પ્રેમ કરનાર તોએક નારાયણ માત્ર છે. ગંગાજીને તરસ લાગે નહિ, અગ્નિને ટાઢ વાય નહિકે સૂર્ય ને દીવાની જરૂર પડતી નથી. તેમ આનંદમય પરમાત્માને કોઈ સુખકે આનંદ મેળવવાની ઈચ્છા થતી નથી.તેમ છતાં તે સર્વ સાથે પ્રેમ કરે છે.જગતમાં તેમના જેવો પ્રેમ કરનાર અને ઉદારકોઈ થયો નથી. પોતાનો સો ટકા ભાગ આપનાર જગતમાં તે એકમાત્ર છે.બાકીકોઈ રાજા ની ખુશામત કરો તો પાંચ પચીસ હજાર રૂપિયા કે છેવટે અડધું રાજ્યઆપશે, સર્વસ્વ નહિ. પરમાત્મા તો પોતાને શરણે આવેલાને સર્વસ્વ નું દાન કરે છે.।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરેહરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
વનવાસ ના સમયે પ્રભુ શ્રી રામ પ્રયાગરાજ (તીર્થરાજ) ભારદ્વાજ ઋષિનાઆશ્રમે જાય છે.દ્વાજ એટલે ગુરુ નો બોધ. ગુરુ નો બોધ જે કાનમાં ભરી રાખે છે તે ભારદ્વાજ.એક કાનેથી સાંભળી બીજા કાનેથી બોધ કાઢી નાખે તે ભારદ્વાજ થઇ શકે નહિઅને ત્યાં પ્રભુ શ્રી રામ પધારે નહિ. આ જગતની વાતો સાંભળવામાં કોઈ ફાયદોનથી, ઉલટું ભક્તિ માં વિક્ષેપ થાય છે.મનુષ્ય ભારદ્વાજ બને તો પ્રભુ શ્રી રામ તેના ત્યાં પધારે.।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરેહરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
સુખ - દુઃખ નું કારણ પોતાની અંદર શોધે તે સંત, અને બહાર શોધે તે પામર.પામર એટલા માટે કે એને બહાર કશું જડવાનું નથી, કેવળ ભ્રમ પ્રાપ્ત થવાનો છે.કોઈ બીજો સુખ - દુઃખ આપે છે એવી કલ્પના માત્રથી તે વ્યક્તિ પ્રત્યે વેર ભાવ પેદાથાય છે.માટે સર્વદા મન ને સમજાવવું કે- સુખ - દુઃખ તે પોતે જ પેદા કરેલું છે.।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરેહરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
મનુષ્ય ને સુખ દુઃખ આપનારું તેનું કર્મ છે. કર્મ ને આધારે આ સૃષ્ટિ છે.સુખ દુઃખ કોઈ વ્યક્તિથી કે કોઈ - કોઈ ને આપી શકતું નથી કે કોઈ નુંસુખ દુઃખ લઇ શકતા નથી. કોઈ જો એમ કહે કે - મેં આને સુખ કે દુઃખઆપ્યું - તો તે બુદ્ધિ ની ભ્રમણા માત્ર છે, તે તેનું અભિમાન છે.માટે જ્ઞાની મહાત્માઓ સુખ દુઃખ માટે કોઈ ને દોષ આપતા નથી.।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરેહરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
एक घडी आधि घडी, आधि से भी आध,तुलसि संगत संत कि कटे कोटि अपराध्||એક નહીં, અડધી એ પુરી નહિ,અરે પા ઘડીનો સત્સંગ કોટી અપરાધ નો નાશ કરવા માટેસમર્થ છે.।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરેહરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
સર્વ પાપ નું મૂળ કર્કશ વાણી છે.કર્કશ વાણી થી કલહ નો જન્મ થાય છે.કર્કશ વાણી એ ઝેર છે.।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરેહરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
આ સંસાર ની ગાદી પર કોઈ ચીટકી ને બેસી શકતું નથી,સુખ નું બીજું પાસું દુઃખ છે. સુખ માં જ દુઃખ છે. તત્વ થી જોવાજાઓ તો સુખ એ જ દુઃખ છે. કારણ કે તે અંત વાળું છે. તેનો નાશ નક્કી છે.અને જેનો નાશ થાય તે શાશ્વત ( સત્ય ) હોઈ શકે જ નહિ.।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરેહરે રામ હરે રામ રામ રામ હરે હરે।।