Thursday 27 July 2023

ચૌદ લોક


पातालमेतस्य हि पादमूलं पठन्ति पार्ष्णिप्रपदे रसातलम् |
महातलं विश्व सृजोडथ गुल्फ़ौ तलातलं वै पुरुषस्य जङ्घे ||

 પાતાળલોક એ વિરાટ પુરુષના પગનાં તળિયા છે, તેમની એડીઓ 
અને પંજા એ રસાતાળલોક છે. પગની પિંડીઓ મહાતલલોક છે અને 
તેમના ઘૂંટણ તલાતલલોકના બનેલા છે.

બ્રહ્માંડને ચૌદ લોકમાં વિભક્ત કરવામાં આવ્યું છે. ભૂર્લોક,ભુવર્લોક,સ્વર્લોક,મહર્લોક,
જનલોક,તપોલોક અને સત્યલોક એ સાત ઉર્ધ્વલોક છે અને એકથી ઊંચે બીજો એમ 
આવેલા છે. નીચેની તરફ પણ સાત લોક એકની નીચે બીજો એમ ક્રમશઃ આવેલા છે,
જેમના નામ છે : અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ.

આ શ્લોકમાં વર્ણનની શરૂઆત નીચેથી થાય છે કારણકે ભક્તિની એ જ રીત છે કે 
ભગવાનના દેહનું વર્ણન તેમના ચરણથી શરુ થાય.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment