Thursday, 31 October 2024

शुभ दीपावली


धूमेनाव्रियते वह्निर्यथादर्शो मलेन च |
यथोल्बेनावृतो गर्भस्तथा तेनेदमावृतम् ||
भा.गी. 3.38

જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ
ઢંકાઈ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ
ઢંકાયેલો રહે છે, તેમજ એ કામના વડે
આ જ્ઞાન અર્થાત્ વિવેક ઢંકાયેલું રહે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 30 October 2024

કામના જ પાપનું કારણ છે


श्रीभगवानुवाच |
काम एष क्रोध एष रजोगुणसमुद्भव: ||
महाशनो महापाप्मा विद्ध्येनमिह वैरिणम् ||

શ્રીભગવાન બોલ્યા : રજોગુણમાંથી ઉત્પન્ન આ
કામ અર્થાત્ કામના જ પાપનું કારણ છે આ કામ
જ ક્રોધ માં રૂપાંતર થાય છે. આ ઘણું ખાનારો
અને મહાપાપી છે. આ બાબતમાં તું આને જ
વેરી જાણ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 29 October 2024

પાપનું આચરણ


अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुष: |
अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजित: ||
भा.गी. 3.36

અર્જુન બોલ્યા:- હે વાર્ષ્ણેય ! તો પછી આ મનુષ્ય પોતે
ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી
પ્રેરાઈને પાપનું આચરણ કરે છે ?


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 28 October 2024

અન્યનો ધર્મ ભયપ્રદ છે


श्रेयान्स्वधर्मो विगुण: परधर्मात्स्वनुष्ठितात् |
स्वधर्मे निधनं श्रेय: परधर्मो भयावह: ||
भा.गी. 3.35

સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ
કરતાં ગુણોની કમીવાળો પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે.
પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે
અને અન્યનો ધર્મ ભયપ્રદ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 26 October 2024

કલ્યાણમાર્ગમાં વિઘ્નો નાખનારા શત્રુ


इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ |
तयोर्न वशमागच्छेत्तौ ह्यस्य परिपन्थिनौ ||

भा.गी. 3.34

ઇન્દ્રિય - ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક
ઇન્દ્રિયના પ્રત્યેક વિષયમાં મનુષ્યના રાગ અને
દ્વેષ વ્યવસ્થાથી (અનુકૂળતા અને પ્રતિકૂળતાને
લઈને) સ્થિત છે. મનુષ્યે એ બન્નેને વશ ન થવું
જોઈએ; કેમ કે તે બન્નેય એના કલ્યાણમાર્ગમાં
વિઘ્નો નાખનારા શત્રુ છે.

// हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे //

Friday, 25 October 2024

જીવો તેમની કુદરતી વૃત્તિઓ દ્વારા પ્રેરિત છે


                       सदृशं चेष्टते स्वस्या: प्रकृतेर्ज्ञानवानपि |
                       प्रकृतिं यान्ति भूतानि निग्रह: किं करिष्यति ||
                       भा.गी. 3.33

                       સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પ્રાપ્ત થાય છે એટલે કે 
                       તમામ જીવો તેમની કુદરતી વૃત્તિઓ દ્વારા પ્રેરિત 
                       છે. જ્ઞાની મહાપુરુષ પણ પોતાની પ્રકૃતિ અનુસાર 
                       ચેષ્ટા કરે છે. પછી એમાં કોઈનો દુરાગ્રહ શા કામનો?


                        //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                            हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 24 October 2024

સર્વ જ્ઞાનોમાં મોહિત અને અવિવેકી મનુષ્યોને નષ્ટ થયેલા જ સમજો


                        ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् |
                        सर्वज्ञानविमूढांस्तान्विद्धि नष्टानचेतस: ||
                        भा.गी. 3.32

                        પરંતુ જે માણસો દોષદૃષ્ટિ કરીને મારા આ 
                        મત અનુસાર નથી ચાલતા, તે સર્વ જ્ઞાનોમાં 
                        મોહિત અને અવિવેકી મનુષ્યોને નષ્ટ થયેલા
                        જ સમજો અર્થાત્ તેમનું પતન જ થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 23 October 2024

પ્રભુ શ્રીકૃષ્ણનાં મતને સદા અનુસરે


                        ये मे मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवा: |
                        श्रद्धावन्तोऽनसूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभि: ||
                        भा.गी. 3.31

                        જે માણસો દોષદૃષ્ટિ રહિત થઈને શ્રદ્ધાપૂર્વક 
                        મારા આ (પૂર્વ શ્લોકમાં કહેવાયેલા) મતને સદા 
                        અનુસરે છે, તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 22 October 2024

કર્તવ્ય કર્મને મારામાં સમર્પિને કર


                    मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा |
                    निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वर: ||
                    भा.गी. 3.30

                  તું વિવેકશીલ બુદ્ધિ દ્વારા સઘળાં કર્તવ્ય કર્મોને 
                  મારામાં સમર્પિને કામના રહિત, મમત્વ રહિત 
                  અને સંતાપ રહિત થઈને યુદ્ધરૂપી કર્તવ્ય કર્મને
                  કર.

                    //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                        हरे राम हरे राम राम राम हरे हरे//

 

Monday, 21 October 2024

જ્ઞાની મનુષ્ય વિચલિત ન કરે


                        प्रकृतेर्गुणसम्मूढा: सज्जन्ते गुणकर्मसु |
                     तानकृत्स्नविदो मन्दान्कृत्स्नविन्न विचालयेत् ||
                     भा.गी. 3.29

                    પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા અજ્ઞાની 
                    મનુષ્યો ગુણો અને કર્મોમાં આસક્ત રહે છે. એવા 
                    સંપૂર્ણપણે ન સમજનારા મંદબુદ્ધિના અજ્ઞાનીઓને 
                    સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની મનુષ્ય વિચલિત ન કરે.

                        //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                            हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 19 October 2024

ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે

 


                        तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयो: |
                        गुणा गुणेषु वर्तन्त इति मत्वा न सज्जते || 
                        भा.गी. 3.28

                        પરંતુ હે મહાબાહો! ગુણ-વિભાગ અને 
                        કર્મ-વિભાગના તત્ત્વને જાણનાર મહાપુરુષ 
                        તો 'સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે'
                        એમ સમજીને એમનામાં આસક્ત નથી થતો.

                        //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                            हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 18 October 2024

મનુષ્ય હું કર્તા છું એમ માને છે


                    प्रकृते: क्रियमाणानि गुणै: कर्माणि सर्वश: |
                    अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते ||
                    भा.गी. 3.27

                    સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે 
                    કરવામાં આવે છે, છતાં પણ અહંકાર દ્વારા 
                    મોહિત થયેલા અંતઃકરણનો અજ્ઞાની મનુષ્ય 
                    હું કર્તા છું એમ માને છે.

                    //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                        हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 17 October 2024

નિર્ધારિત ફરજો કરવા પ્રેરિત કરવા


  सक्ता: कर्मण्यविद्वांसो यथा कुर्वन्ति भारत | कुर्याद्विद्वांस्तथासक्तश्चिकीर्षुर्लोकसंग्रहम् || 
  न बुद्धिभेदं जनयेदज्ञानां कर्मसङ्गिनाम् | जोषयेत्सर्वकर्माणि विद्वान्युक्त: समाचरन् ||
  भा.गी. 3.25-26

   હે ભરતવંશી અર્જુન! જેમ અજ્ઞાની લોકો પરિણામ પ્રત્યે આસક્તિ રાખીને 
   પોતાનું કર્તવ્ય બજાવે છે, તેમ લોકોને સાચા માર્ગ પર લઇ જવા માટે જ્ઞાનીઓએ       આસક્તિ વિના કાર્ય કરવું જોઈએ.
   જ્ઞાનીઓએ ફળદાયી ક્રિયાઓ સાથે જોડાયેલા અજ્ઞાનીઓની બુદ્ધિમાં 
   વિખવાદ પેદા ન કરવો જોઈએ, તેમને કામ અટકાવવા માટે પ્રેરિત કરવા 
   જોઈએ. બલ્કે પ્રબુદ્ધ રીતે પોતાનું કર્તવ્ય નિભાવીને, તેઓએ અજ્ઞાનીઓને પણ         તેમની નિર્ધારિત ફરજો કરવા પ્રેરિત કરવા જોઈએ.

                    //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                        हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 16 October 2024

મારા જ માર્ગનું અનુસરણ કરે


    यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रित: | मम वर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ सर्वश: ||
उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम् | सङ्करस्य च कर्ता स्यामुपहन्यामिमा: प्रजा: ||   भा.गी. 3.23-24

કેમ કે હે પાર્થ! જો હું કોઈ વાર સાવધાન થઇને કર્તવ્યકર્મ 
ન કરું, તો ભારે હાનિ થઇ જાય, કારણ કે મનુષ્યો બધી 
રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. જો હું કર્મ ન કરું 
તો આ બધા મનુષ્યો નષ્ટ-ભ્રષ્ટ થઇ જાય અને હું વર્ણસંકરતાનો 
કરનાર બનું તથા આ સમસ્ત પ્રજાને નષ્ટ કરનારો બનું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 15 October 2024

ર્તવ્ય કર્મમાં જ પ્રવૃત્ત


                    न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन |
                    नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि ||
                    भा.गी. 3.22

                     હે પાર્થ! મારે ત્રણેય લોકોમાં ન તો કશું 
                    કર્તવ્ય છે અને ન કશીયે પ્રાપ્ત કરવા જેવી 
                    વસ્તુ અપ્રાપ્ત છે, છતાંય હું કર્તવ્ય કર્મમાં 
                    જ પ્રવૃત્ત રહું છું.

                    //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                        हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 14 October 2024

મનુષ્યો તે પ્રમાણે આચરણ કરે છે.


        कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादय: | लोकसंग्रहमेवापि सम्पश्यन्कर्तुमर्हसि ||
        यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जन: | स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते |
        भा.गी. 3.20-21

રાજા જનક જેવા અનેક મહાપુરુષો પણ કર્મ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા.
તેથી લોકસંગ્રહને જોતા પણ તું નિષ્કામભાવે કર્મ કરવાને જ યોગ્ય છે અર્થાત 
અવશ્ય કરવું જોઈએ.
શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે, અન્ય પણ તેવું-તેવું જ આચરણ કરે છે.
તે જે કંઈ પ્રમાણ કરી આપે છે, બીજા મનુષ્યો તે પ્રમાણે આચરણ કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Saturday, 12 October 2024

કર્તવ્ય તરીકે કર્મ કરતો રહે


                        तस्मादसक्त: सततं कार्यं कर्म समाचर |
                        असक्तो ह्याचरन्कर्म परमाप्नोति पूरुष: ||
                        भा.गी. 3.19

આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઇને 
કર્તવ્ય તરીકે કર્મ કરતો રહે, કેમકે આસક્તિ 
વિનાનો થઇને કર્મ કરનાર મનુષ્ય પરમાત્માને 
પ્રાપ્ત થઈ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

भगवान् रामः भवतः सफलतायाः मार्गं प्रकाशयन् एव भवतु,
जीवनस्य प्रत्येकस्मिन् चरणे भवतः विजयः भवतु।
जय श्री राम। दशहरा हार्दिक शुभकामना!

 

Friday, 11 October 2024

સ્વાર્થનો સંબંધ રહેતો નથી


                        नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन |
                        न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रय: ||
                        भा.गी. 3.18

                        કર્મયોગથી સિદ્ધ થયેલા મહાપુરુષનું આ 
                        સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન 
                        રહે છે અને ન તો કર્મ ન કરવાથી પણ 
                        કશું પ્રયોજન રહે છે; તેમજ કોઈ પણ પ્રાણી 
                        સાથે આ મહાપુરુષનો લેશમાત્ર પણ સ્વાર્થનો 
                        સંબંધ રહેતો નથી.

                        //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                            हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 10 October 2024

કોઈ કર્તવ્ય બાકી નથી



                        यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानव: |
                        आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यं न विद्यते ||
                        भा.गी. 3.17

                    જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં 
                    જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ છે, તેના માટે 
                    કોઈ કર્તવ્ય બાકી નથી રહેતું.

                        //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
                            हरे राम हरे राम राम राम हरे हरे//

 

Wednesday, 9 October 2024

સંસારમાં વ્યર્થ જ જીવે છે


                        एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह य: |
                        अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति ||
                        भा.गी. 3.16

                    હે પાર્થ! જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી 
                    પ્રચલિત સૃષ્ટિચક્રને નથી અનુસરતો અર્થાત પોતાના 
                    કર્તવ્યનું પાલન નથી કરતો, તે ઇન્દ્રિયો વડે ભોગોમાં 
                    રમનારો અધાયુ એટલે કે પાપમય જીવન વિતાવનાર 
                    મનુષ્ય સંસારમાં વ્યર્થ જ જીવે છે.

                        //हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                            हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 8 October 2024

કર્તવ્યકર્મ માં સદાય પ્રતિષ્ઠિત



    अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भव: | यज्ञाद्भवति पर्जन्यो यज्ञ: कर्मसमुद्भव: ||
    कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् | तस्मात्सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् ||
    भा.गी. 3.14-15

            સઘળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે. અન્નની ઉત્પત્તિ 
            વરસાદથી થાય છે. વરસાદ યજ્ઞથી થાય છે. યજ્ઞ કર્મોથી 
            સંપન્ન થાય છે. કર્મોને તું વેદથી ઉત્પન્ન થયેલાં જાણ; અને 
            વેદને અવિનાશી પરમાત્માથી પ્રગટ થયેલા જાણ. આથી 
            તે સર્વવ્યાપી પરમાત્મા યજ્ઞ એટલે કે કર્તવ્યકર્મ માં સદાય
            પ્રતિષ્ઠિત છે.

                    // हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
                        हरे राम हरे राम राम राम हरे हरे//