Monday 31 July 2023

પરમસત્ય નું જ ધ્યાન ધરવું


स सर्वधीवृत्त्यनुभुतसर्व आत्मा यथा स्वप्नजनेक्षितैकः |
तं सत्यमानन्दनिधिं भजेत नान्यत्र सज्जेद् यत आत्मपातः ||

જેવી રીતે સામાન્ય મનુષ્યો સ્વપ્નમાં હજારો દ્રશ્યોનું સરજત 
કરે છે, તેવી રીતે જે એકલા જ આટલા બધા આવિર્ભાવોમાં 
વિસ્તરેલા છે એવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાં મનુષ્યે પોતાનું 
મન એકાગ્ર કરવું જોઈએ. જે એકમાત્ર સર્વાનંદમય પરમસત્ય 
છે તેમનું જ મનુષ્યે ધ્યાન ધરવું જોઈએ. નહિ તો મનુષ્ય ગેરમાર્ગે 
દોરવાશે અને તેનું પોતાનું અધઃપતન નોતરશે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment