Monday 31 July 2023

મૂળભૂત જરૂરિયાત


कविर्नामसु यावदर्थः स्यादप्रमत्तो व्यवसाय बुद्धिः |
सिद्धेअन्यथार्थे न यतेत तत्र परिश्रमं तत्र समीक्षमाणः ||

આત્મજ્ઞાની વ્યક્તિએ નામનિર્દેશોવાળા આ જગતમાં માત્ર  જીવનની લઘુતમ 
મૂળભૂત જરૂરિયાતોને સંતોષવા માટે જ પ્રયત્ન કરવો જોઈએ. બિનજરૂરી વસ્તુઓ
મેળવવા માટેના પ્રયત્નો એ લાભ વગરનું વૈતરું માત્ર છે. તેના માટે કદી પ્રયત્ન કરવો
જોઈએ નહિ. આ વાત પ્રત્યક્ષ રીતે વ્યવહારમાં અનુભવી શકવા માટે સમર્થ બનીને
બુદ્ધિપૂર્વક આ બાબતમાં દૃઢ રહેવું જોઈએ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment