Sunday 16 April 2023

પ્રભુ શ્રી રામ ના "નામ" નો મહિમા


પ્રભુ શ્રી રામ ના "નામ" નો મહિમા જે એકવાર સમજી જાય પછી તેને કાંઈ 
સમજવાનું રહેતું નથી.
નારદજી એ હનુમાનજી ને "રામ-નામ"  નો મંત્ર આપતા કહ્યું હતું કે બોલો,
"ૐ શ્રી રામ જય રામ જય જય રામ"
આ મંત્રમાં "ૐ" એ વિશ્વ- રૂપ પરમાત્મા નું સ્વ-રૂપ છે.
"શ્રી રામ" એ ( તે પરમાત્મા ને) સંબોધન છે - તેમના નામ નો પોકાર છે.
 "જય રામ" એ સ્તુતિ છે. અને "જય જય રામ" એ પૂર્ણ સમર્પણ છે.
એટલે આ મંત્ર કરતી વખતે-દરેક શબ્દે -એવો ભાવ કરવાનો કે-
" હે, ૐ સ્વરૂપ શ્રી રામ, હું આપણી સ્તુતિ કરું છું, આપનો જય ગાઉ છું,
આપના શરણે આવ્યો છું.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।    


 

0 comments:

Post a Comment