Tuesday, 15 July 2025

આપના પ્રગટ થવાને નથી જાણતા


सर्वमेतदृतं मन्ये यन्मां वदसि केशव |
न हि ते भगवन्व्यक्तिं विदुर्देवा न दानवा: ||
भ.गी. 10.14

હે કેશવ ! મને આપ જે કંઈ પણ કહી રહ્યા છો,
એ સઘળું હું સત્ય માનું છું. હે ભગવન્ ! આપના
પ્રગટ થવાને નથી તો દેવતા જાણતા અને નથી
દાનવો પણ જાણતા.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 14 July 2025

દેવોના પણ આદિદેવ


अर्जुन उवाच |
परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् | पुरुषं शाश्वतं दिव्यमादिदेवमजं विभुम् ||
आहुस्त्वामृषय: सर्वे देवर्षिर्नारदस्तथा | असितो देवलो व्यास: स्वयं चैव ब्रवीषि मे ||
भ.गी. 10.12-13

અર્જુન બોલ્યા: પરમ બ્રહ્મ, પરમ ધામ અને પરમ પવિત્ર
આપ જ છો. આપ શાશ્વત, દિવ્ય પુરુષ, દેવોના પણ આદિદેવ,
અજન્મા અને સર્વવ્યાપક છો. આપણે બધા જ ઋષિજનો દેવર્ષિ-
નારદ, અસિત, દેવલ ઋષિ તથા વ્યાસ પણ કહે છે; અને વળી આપ
પોતે પણ મને એમ જ કહો છો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 12 July 2025

જ્ઞાનરૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું


तेषामेवानुकम्पार्थमहमज्ञानजं तम: |
नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता ||
भ.गी. 10.11

તે ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે જ એમના
અંતઃકરણમાં રહેલો હું પોતે અજ્ઞાનજનિત અંધકારને
ઝળહળતા જ્ઞાનરૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 11 July 2025

ભક્તોને મારી જ પ્રાપ્તિ થઈ જાય છે


तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् |
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ||
भ.गी. 10.10

તે નિરંતર મારામાં પરોવાયેલા અને પ્રેમપૂર્વક
મને ભજનારા ભક્તોને હું એવો બુદ્ધિયોગ આપું
છું, જેનાથી એ ભક્તોને મારી જ પ્રાપ્તિ થઈ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 10 July 2025

વાસુદેવમાં જ નિરંતર પ્રેમ કરે


मच्चित्ता मद्गतप्राणा बोधयन्त: परस्परम् |
कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च ||
भ.गी. 10.9

નિરંતર મારામાં મન પરોવી રાખનારા અને મારામાં
જ પ્રાણોને અર્પણ કરી રાખનારા ભક્તજનો પરસ્પર
મારા પ્રભાવને જણાવીને તથા તેનું કથન કરતા રહીને
નિત્ય-નિરંતર સંતુષ્ટ રહે છે અને મુજ વાસુદેવમાં જ
નિરંતર પ્રેમ કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 9 July 2025

જગતની ઉત્પત્તિનું મૂળ કારણ


अहं सर्वस्य प्रभवो मत्त: सर्वं प्रवर्तते |
इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विता: ||
भ.गी. 10.8

હું આખા જગતની ઉત્પત્તિનું મૂળ કારણ છું અને
મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે અર્થાત્ પ્રવૃત્ત
થઈ રહ્યું છે - આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ
રાખનારા બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને જ નિરંતર
ભજે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 8 July 2025

નિશ્ચલ ભક્તિયોગથી યુક્ત


एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वत: |
सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशय: ||
भ.गी. 10.7

જે માણસ મારી આ વિભૂતિને અને યોગશક્તિને
તત્ત્વથી જાણે છે, અર્થાત્ દ્રઢતાપૂર્વક એટલે કે
સંદેહરહિત સ્વીકારે છે, એ નિશ્ચલ ભક્તિયોગથી
યુક્ત થઈ જાય છે; એમાં લેશમાત્ર પણ સંશય નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 7 July 2025

સંસારમાં આ સઘળી પ્રજા મારા સંકલ્પથી છે


महर्षय: सप्त पूर्वे चत्वारो मनवस्तथा |
मद्भावा मानसा जाता येषां लोक इमा: प्रजा: ||
भ.गी. 10.6

સાત મહર્ષિજનો અને પૂર્વે થયેલા ચાર સનકાદિ
તથા સ્વાયંભુવ આદિ ચૌદ મનુઓ આ બધા મારા
સંકલ્પથી જન્મેલા છે, અને મારામાં ભાવ એટલે કે
શ્રદ્ધા-ભક્તિ રાખનારા છે, જેમની સંસારમાં આ
સઘળી પ્રજા છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 5 July 2025

વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે


बुद्धिर्ज्ञानमसम्मोह: क्षमा सत्यं दम: शम: | सुखं दु:खं भवोऽभावो भयं चाभयमेव च ||
अहिंसा समता तुष्टिस्तपो दानं यशोऽयश: | भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधा: ||
भ.गी. 10.4-5

બુદ્ધિ, જ્ઞાન, અસંમૂઢતા, ક્ષમા, સત્ય, દમ, શમ, તેમજ
સુખ-દુઃખ, ઉત્પત્તિ-પ્રલય ભય-અભય તથા અહિંસા, સમતા
સંતોષ, તપ, દાન, યશ અને અપકીર્તિ પ્રાણીઓના આ વિવિધ
પ્રકારના વીસ ભાવો મારાથી જ થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 4 July 2025

બધાં માણસોમાં જ્ઞાની


यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् |
असम्मूढ: स मर्त्येषु सर्वपापै: प्रमुच्यते ||
भ.गी. 10.3

જે મનુષ્ય મને અજન્મા, અનાદિ અને સર્વ
લોકોનો મહાન ઈશ્વર જાણે છે અર્થાત્ દ્રઢતાથી
સંદેહરહિત સ્વીકાર કરે છે, તે બધાં માણસોમાં
જ્ઞાની છે અને તે સર્વ પાપોથી છૂટી જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 3 July 2025

દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ


न मे विदु: सुरगणा: प्रभवं न महर्षय: |
अहमादिर्हि देवानां महर्षीणां च सर्वश: ||
भ.गी. 10.2

મારા પ્રગટ થવાને નથી દેવતાઓ જાણતા કે
નથી મહર્ષિઓ પણ જાણતા. કેમ કે હું સર્વ રીતે
દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 2 July 2025

તારા હિતની ઈચ્છાથી ફરીથી કહીશ


श्रीभगवानुवाच |
भूय एव महाबाहो शृणु मे परमं वच: |
यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया ||
भ.गी. 10.1

શ્રીભગવાન બોલ્યા- હે મહાબાહો અર્જુન ! મારા
પરમ વચનને તું ફરીથી પણ સાંભળ, જેને હું મારામાં
અતિશય પ્રેમભાવ રાખવાવાળા તારા હિતની ઈચ્છાથી
કહીશ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 1 July 2025

તું મારો ભક્ત થઈ જા


मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु |
मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायण: ||
भ.गी. 9.34

તું મારો ભક્ત થઈ જા, મારામાં મનવાળો થઈ
જા, મારું પૂજન કરનારો થઈ જા અને મને પ્રણામ
કર. આ રીતે પોતાને મારામાં પરોવીને મારે પરાયણ
થયેલો તું મને જ પ્રાપ્ત થઈશ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//