Monday 8 January 2024

સર્વ ઉપાધિઓથી પર


शारीरा मानसा दिव्या वैयासे ये च मानुषाः । 
भौतिकाश्च कथं क्लेशा बाधन्ते हरिसंश्रयम् ॥

ભૌતિક જગતમાંનો દરેક જીવાત્મા હંમેશાં શરીર, મન 
અથવા પ્રાકૃત ઉપદ્રવોને લગતાં દુ:ખોથી પીડા પામે છે. 
શિયાળાની ઠંડી અને ઉનાળાનો સખત તાપ આ ભૌતિકલોકના 
જીવોને સદા ક્લેશ આપે છે. પરંતુ કૃષ્ણભાવનામાં રહેલા જે મનુષ્યે 
ભગવાનના ચરણકમળનો સંપૂર્ણ આશ્રય લીધેલો હોય છે તે દિવ્ય અવસ્થામાં 
રહે છે. તેને દૈહિક, માનસિક કે ઉનાળા તથા શિયાળાના પ્રાકૃતિક ઉપદ્રવો ત્રાસ 
આપી શકતા નથી. તે આ સર્વ ઉપાધિઓથી પર હોય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment