Thursday 9 March 2023

શરણે આવેલાને સર્વસ્વ નું દાન


પરમાત્મા જીવ માત્ર ના મિત્ર છે. જીવ સાથે નિસ્વાર્થ પ્રેમ કરનાર તો 
એક નારાયણ માત્ર છે. ગંગાજીને તરસ લાગે નહિ, અગ્નિને ટાઢ વાય નહિ
કે સૂર્ય ને દીવાની જરૂર પડતી નથી. તેમ આનંદમય પરમાત્માને કોઈ સુખ 
કે આનંદ મેળવવાની ઈચ્છા થતી નથી.
તેમ છતાં તે સર્વ સાથે પ્રેમ કરે છે.જગતમાં તેમના જેવો પ્રેમ કરનાર અને ઉદાર 
કોઈ થયો નથી. પોતાનો સો ટકા ભાગ આપનાર જગતમાં તે એકમાત્ર છે.બાકી 
કોઈ રાજા ની ખુશામત કરો તો પાંચ પચીસ હજાર રૂપિયા કે છેવટે અડધું રાજ્ય 
આપશે, સર્વસ્વ નહિ. પરમાત્મા તો પોતાને શરણે આવેલાને સર્વસ્વ નું દાન કરે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment