Wednesday 8 March 2023

મનુષ્ય ભારદ્વાજ બને તો પ્રભુ શ્રી રામ તેના ત્યાં પધારે


વનવાસ ના સમયે પ્રભુ શ્રી રામ પ્રયાગરાજ (તીર્થરાજ) ભારદ્વાજ ઋષિના 
આશ્રમે જાય છે.
દ્વાજ એટલે ગુરુ નો બોધ. ગુરુ નો બોધ જે કાનમાં ભરી રાખે છે તે ભારદ્વાજ.

એક કાનેથી સાંભળી બીજા કાનેથી બોધ કાઢી નાખે તે ભારદ્વાજ થઇ શકે નહિ 
અને ત્યાં પ્રભુ શ્રી રામ પધારે નહિ. આ જગતની વાતો સાંભળવામાં કોઈ ફાયદો 
નથી, ઉલટું ભક્તિ માં વિક્ષેપ થાય છે. 

મનુષ્ય ભારદ્વાજ બને તો પ્રભુ શ્રી રામ તેના ત્યાં પધારે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment