Sunday 9 April 2023

નવધા ભક્તિ


પ્રભુ શ્રી રામે શબરી ને કહેલી નવધા ભક્તિ,
 
* પહેલી ભક્તિ -સંત્સંગ છે , માટે સંતોનો સત્સંગ કરવો.
* બીજી ભક્તિ - મારી (પ્રભુની) કથાનું શ્રવણ છે , માટે ભાવથી મારી કથા સાંભળવી 
* ત્રીજી ભક્તિ  - ગુરુચરણ ની સેવા છે અભિમાન રહિત થઈને સેવા કરવી 
* ચોથી ભક્તિ  - મારા (પ્રભુના) ગુણોના ગાન છે, માટે નિર્મલ મનથી મારુ ગુણ કીર્તન કરવું.
* પાંચમી ભક્તિ  - મારુ(પ્રભુનું) નામ છે, માટે શ્રદ્ધાભાવે મારા નામ નો જાપ કરવો.
* છઠ્ઠી ભક્તિ  - સદ્ ધર્મ પ્રત્યે રતિ અને કર્મ પ્રત્યે વિરતિ, ઈન્દ્રિયદમન અને શીલ નું સેવન છે.
* સાતમી ભક્તિ  - સમભાવ છે. માટે સર્વ મારામાં ઓત - પ્રોત છે એમ જાણવું.
* આઠમી ભક્તિ  - સંતોષ છે, જે પ્રાપ્ત છે તેમાં સંતોષ અને પરદોષ જોવા નહિ.
* નવમી ભક્તિ  - નિષ્કપટતા છે. હૃદયમાં દૃઢ શ્રદ્ધા રાખવી અને હર્ષ - શોક કરવો નહિ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment