Monday 17 July 2023

દ્વિજ કોને કહેવાય


બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યોને દ્વિજ કહેવામાં આવે છે, કારણ કે 
ઉચ્ચ વર્ણના આ લોકોનો એક જન્મ માતાપિતાના લગ્નથી થાય છે 
અને બીજો જન્મ ગુરુએ આપેલી દીક્ષા વડે થતી સાંસ્કારિક વિધિથી 
થાય છે. એટલે એક ક્ષત્રિય પણ બ્રાહ્મણના જેવો જ દ્વિજ છે અને તેનો 
ધર્મ નિરાધારોનું રક્ષણ કરવું તે છે.

ક્ષત્રિય રાજા નિરાધારોનું રક્ષણ કરનાર અને દુષ્ટોનું દમન કરનાર એવો 
પરમેશ્વરનો પ્રતિનિધિ ગણાય છે. જયારે જયારે શાસકોના આ નિયમિત 
કાર્યોમાં ભંગ પડે છે ત્યારે ત્યારે ધર્મરાજ્યની સ્થાપના કરવા માટે ભગવાનનો 
અવતાર થાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

0 comments:

Post a Comment