શ્રવણ અને કીર્તન એ ભક્તિમય સેવાના ધર્મના પાયાના સિદ્ધાંતો છે 
અને જો તેમનું યોગ્ય રીતે આચરણ કરવામાં આવે તો તેના પરિણામરૂપે
આંખોમાં અશ્રુ અને શરીરમાં રોમાંચ ના ચિહ્નો  સાથે ભાવાવેશ (પરમાનંદ)
આવશે જ.તે એવી "ભાવ" અવસ્થાનાં પ્રારંભિક લક્ષણો છે, જે ભગવત્પ્રેમની 
પૂર્ણ અવસ્થાના પ્રેમને પહોંચતા પહેલા આવે છે.
"ભાવ" અવસ્થા આઠ આધ્યાત્મિક લક્ષણોથી પ્રગટ થાય છે. એ છે - સ્તબ્ધતા, પ્રસ્વેદ, 
રોમાંચ, કંઠ રૂંધાવો, કંપન, શરીરની વિવર્ણતા,અશ્રુપાત અને મૂર્છા.   
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 
 

0 comments:
Post a Comment