Monday 7 August 2023

આ 14 પ્રકારના લોકો જીવતા હોવા છતાં મરેલા જ છે


कौल कामबस कृपिन विमूढा |
अतिदरिद्र अजसि अतिबुढा ||
सदारोगबस संतत क्रोधि |
विष्णु विमुख श्रुति संत विरोधि ||
तनुपोषक निन्दक अधखानि |
जीवत शव सम चौदह प्राणि ||

આ 14 પ્રકારના લોકો જીવતા હોવા છતાં મરેલા જ છે,

1 કામવશ - સદૈવ વાસના માં લિન રહેનાર 
2 વામમાર્ગી - જે સંસારની બધી વાતોમાં નકારાત્મક જ જુએ 
3 કંજૂસ - જે વ્યક્તિ ધર્મ અને કલ્યાણકારી કામોમાં રૂપિયા બચાવે 
4 અતિ દરિદ્ર - જે વ્યક્તિ ધન, આત્મ વિશ્વાસ, સમ્માન અને સાહસ વગરનો હોય 
5 વિમૂઢ - જેની પાસે બુદ્ધિ વિવેક નથી, જે પોતે નિર્ણય લઇ ના શકે
6 અજસિ - જે વ્યક્તિને સમાજ માં બદનામી મળી છે 
7 સદા રોગવશ - જે વ્યક્તિ નિરંતર રોગી રહે છે 
8 અતિ બુઢા - અત્યંત ઘરડો વ્યક્તિ 
9 સતત ક્રોધી - જે વ્યક્તિનું મન અને બુદ્ધિ પર નિયંત્રણ નથી, જે સતત ક્રોધ જ કરે 
10 અધઃ ખાની - જે વ્યક્તિ પાપ કર્મ થી કમાયેલા રૂપિયાથી પરિવારનો નિર્વાહ કરે 
11 તનુ પોષક - જે વ્યક્તિ માત્ર પોતાની આત્મ સંતુષ્ટિ માટે જીવે 
12 નિંદક - જેને બીજા લોકો માં માત્ર ખામીઓ જ દેખાય, જે નિંદા કરે 
13 પરમાત્મા વિમુખ -  જે વ્યક્તિ ઈશ્વરનો વિરોધી છે 
14 શ્રુતિ સંત વિરોધી - જે સંત, ગ્રંથ અને પુરાણો નો વિરોધી છે 

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment