Saturday, 24 January 2026

સંસારવૃક્ષની ગુણો દ્વારા ફેલાયેલી વિષયોરૂપી કુંપળોવાળી શાખાઓ


अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवाला: |
अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके ||
भ.गी. 15.2

તે સંસારવૃક્ષની ગુણો (સત્ત્વ, રજ, અને તમ) દ્વારા ફેલાયેલી
તથા વિષયોરૂપી કુંપળોવાળી શાખાઓ નીચે મધ્યમાં અને
ઉપર બધી બાજુ ફેલાયેલી છે. મનુષ્યલોકમાં કર્માનુસાર બાંધનારા
મૂળિયાં પણ નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાયેલાં છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 23 January 2026

સંસારવૃક્ષને જે જાણે છે, તે સંપૂર્ણ વેદોને જાણનાર છે


श्रीभगवानुवाच |
ऊर्ध्वमूलमध:शाखमश्वत्थं प्राहुरव्ययम् |
छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ||
भ.गी. 15.1

શ્રીભગવાન બોલ્યા-ઉપર તરફ મૂળવાળા તથા નીચે
તરફ શાખાવાળા જે સંસારરૂપ અશ્વત્થ વૃક્ષને (પ્રવાહરૂપે)
અવ્યય કહે છે અને વેદ જેનાં પાંદડાં છે, તે સંસારવૃક્ષને જે
જાણે છે, તે સંપૂર્ણ વેદોને જાણનાર છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 22 January 2026

બ્રહ્મનો, અવિનાશી અમૃતનો, શાશ્વત ધર્મનો અને એકાન્તિક સુખનો આશ્રય હું જ છું


ब्रह्मणो हि प्रतिष्ठाहममृतस्याव्ययस्य च |
शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च ||
भ.गी. 14.27

બ્રહ્મનો અને અવિનાશી અમૃતનો તથા શાશ્વત
ધર્મનો અને એકાન્તિક સુખનો આશ્રય હું જ છું.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 21 January 2026

બ્રહ્મને પામવા યોગ્ય


मां च योऽव्यभिचारेण भक्तियोगेन सेवते |
स गुणान्समतीत्यैतान्ब्रह्मभूयाय कल्पते ||
भ.गी. 14.26

જે મનુષ્ય અવ્યભિચારી ભક્તિયોગથી મારું
સેવન કરે છે, તે આ ત્રણેય ગુણોને પાર કરીને
બ્રહ્મને પામવા યોગ્ય બની જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 19 January 2026

ગુણાતીત મનુષ્ય


समदु:खसुख: स्वस्थ: समलोष्टाश्मकाञ्चन: | तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुति: ||
मानापमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयो: | सर्वारम्भपरित्यागी गुणातीत: स उच्यते ||
भ.गी. 14.24-25

જે ધીર મનુષ્ય પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે; સુખ-દુઃખને
સમાન તથા જે માટી, પથ્થર તેમજ સોનામાં સમાન ભાવ રાખે
છે; જે પ્રિય અને અપ્રિયમાં સમ છે, જે પોતાની નિંદા કે સ્તુતિમાં
પણ સમાન ભાવ રાખે છે; જે મન અને અપમાનમાં સમ છે,
મિત્ર અને શત્રુ પક્ષમાં સમ છે તેમજ જે સંપૂર્ણ કર્મોના આરંભનો
ત્યાગી છે, તે મનુષ્ય ગુણાતીત કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 17 January 2026

નથી તો દ્વેષ કરતો, નથી કોઈ ઈચ્છા કરતો અને નથી કોઈ ચેષ્ઠા કરતો


श्रीभगवानुवाच |
प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव | न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ् क्षति ||
उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते | गुणा वर्तन्त इत्येवं योऽवतिष्ठति नेङ्गते ||
भ.गी. 14.22-23

શ્રીભગવાન બોલ્યા - હે પાંડવ ! પ્રકાશ અને પ્રવૃત્તિ તથા મોહ
આ બધા સારી રીતે પ્રવૃત્ત થઇ જાય તો પણ ગુણાતીત મનુષ્ય
નથી તો દ્વેષ કરતો અને આ બધાં નિવૃત્ત થઇ જાય તો તેમની
ઈચ્છા કરતો નથી.
જે સાક્ષીની પેઠે સ્થિત થયેલો અને જે ગુણો વડે વિચલિત કરી
શકાતો નથી તથા ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એવા ભાવથી
જે પોતાના સ્વરૂપમાં જ સ્થિત રહે છે અને સ્વયં કોઈ પણ ચેષ્ઠા
કરતો નથી.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 16 January 2026

ત્રણેય ગુણોને કઈ રીતે ઓળંગી શકાય


अर्जुन उवाच |
कैर्लिङ्गैस्त्रीन्गुणानेतानतीतो भवति प्रभो |
किमाचार: कथं चैतांस्त्रीन्गुणानतिवर्तते ||
भ.गी. 14.21

અર્જુન બોલ્યા: હે પ્રભુ ! આ ત્રણેય ગુણોથી અતીત
પુરુષ કયાં ક્યાં લક્ષણોથી યુક્ત હોય છે ? તેનું આચરણ
કેવું હોય છે. અને આ ત્રણેય ગુણોને કઈ રીતે ઓળંગી શકાય છે ?

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//