Monday 24 April 2023

ખરેખરો પાગલ


લોકો કહે છે કે ગોપીઓ શ્રી કૃષ્ણ ની પાછળ પાગલ બની ગઈ હતી.
પણ પાગલ થયા વિના પરમાત્મા મળતા નથી.પૈસા માટે લોકો પાગલ 
બને છે, ત્યારે તેમને ભૂખ તરસ લાગતી નથી, કામી મનુષ્ય ને સ્થળ, કાળ નું 
ભાન રહેતું નથી, ત્યારે આ ગોપીઓ પરમાત્મા માટે પાગલ બની છે.
સંસારના વિષયો ભોગવવા પાગલ બને તે જ ખરેખરો પાગલ છે, જ્યારે 
પરમાત્મા ના મિલન માટે પાગલ બને તે તો જ્ઞાની છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment