Friday, 17 April 2026

'તત્' નામથી ઓળખાતા પરમાત્મા માટે જ આ સઘળું છે


तदित्यनभिसन्धाय फलं यज्ञतप:क्रिया: |
दानक्रियाश्च विविधा: क्रियन्ते मोक्षकाङ्क्षिभि: ||
भ.गी. 17.25

તત્ એટલે કે 'તત્' નામથી ઓળખાતા પરમાત્મા
માટે જ આ સઘળું છે - એવા ભાવ સાથે મોક્ષની
ઈચ્છા રાખનારા માણસો દ્વારા ફળની ઈચ્છા ન રાખતાં
અનેક પ્રકારની યજ્ઞ-તપરૂપી ક્રિયાઓ તેમજ દાનરૂપી
ક્રિયાઓ કરવામાં આવે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 16 April 2026

'ૐ' ઉચ્ચાર કરીને જ શરુ થાય


तस्माद् ॐ इत्युदाहृत्य यज्ञदानतप:क्रिया: |
प्रवर्तन्ते विधानोक्ता: सततं ब्रह्मवादिनाम् ||
भ.गी. 17.24

માટે વૈદિક સિદ્ધાંતને માનવાવાળા શાસ્ત્રવિધિથી
નિયત યજ્ઞ, દાન અને તપરૂપી ક્રિયાઓ સદા 'ૐ'
એ (પરમાત્માના નામનું) ઉચ્ચાર કરીને જ શરુ થાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 15 April 2026

પરમાત્માથી સૃષ્ટિના આરંભે વેદો તથા બ્રાહ્મણો અને યજ્ઞની રચના


ॐ तत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविध: स्मृत: |
ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिता: पुरा ||
भ.गी. 17.23

ૐ, તત્, સત્ - એમ આ ત્રણ પ્રકારના નામોથી
જે પરમાત્માનો નિર્દેશ કરવામાં આવ્યો છે, તે પરમાત્માથી
સૃષ્ટિના આરંભે વેદો તથા બ્રાહ્મણો અને યજ્ઞની રચના થઈ છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 14 April 2026

તામસ દાન


अदेशकाले यद्दानमपात्रेभ्यश्च दीयते |
असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम् ||
भ.गी. 17.22

જે દાન સત્કાર વિના તથા તિરસ્કારપૂર્વક
અયોગ્ય દેશ-કાળમાં કુપાત્રને આપવામાં
આવે છે, તે દાન તામસ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 13 April 2026

ફળ પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખ્યા પછી આપવામાં આવે તે દાન રાજસ


यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुन: |
दीयते च परिक्लिष्टं तद्दानं राजसं स्मृतम् ||
भ.गी. 17.21

પરંતુ જે દાન ક્લેશપૂર્વક તથા પ્રત્યુપકારની અપેક્ષાથી
અથવા ફળ પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખ્યા પછી આપવામાં
આવે છે, તે દાન રાજસ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 11 April 2026

નિષ્કામ ભાવે આપવામાં આવે તે દાન સાત્ત્વિક


दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे |
देशे काले च पात्रे च तद्दानं सात्त्विकं स्मृतम् ||
भ.गी. 17.20

દાન આપવું કર્તવ્ય છે-એવા ભાવથી જે દાન દેશ
અને કાળ અને પાત્ર પ્રાપ્ત થતાં, પોતાના પર જેણે
ઉપકાર નથી કર્યો, અર્થાત્ નિષ્કામ ભાવે આપવામાં
આવે છે, તે દાન સાત્ત્વિક કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 10 April 2026

તામસ તપ


मूढग्राहेणात्मनो यत्पीडया क्रियते तप: |
परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम् ||
भ.गी. 17.19

જે તપ મુર્ખાતાપૂર્વક હઠથી, પોતાને પીડા
આપીને અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે
આચરવામાં આવે છે, તે તપ તામસ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 9 April 2026

સત્કાર, માન અને પૂજા ખાતર કરવામાં આવે તે તપ રાજસ


सत्कारमानपूजार्थं तपो दम्भेन चैव यत् |
क्रियते तदिह प्रोक्तं राजसं चलमध्रुवम् ||
भ.गी. 17.18

જે તપ સત્કાર, માન અને પૂજા ખાતર તથા
પાખંડથી (દેખાડવાના ભાવથી) પણ કરવામાં
આવે છે, તે આ લોકમાં અનિશ્ચિત અને નાશવાન
ફળ આપનારું તપ રાજસ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 8 April 2026

ત્રણ પ્રકારના સાત્ત્વિક તપ


श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरै: |
अफलाकाङ्क्षिभिर्युक्तै: सात्त्विकं परिचक्षते ||
भ.गी. 17.17

પરમ શ્રદ્ધાથી યુક્ત ફળની ઈચ્છા રહિત મનુષ્યો
દ્વારા જે શરીર, વાણી અને મન એમ ત્રણ પ્રકારના
તપ કરવામાં આવે છે, તેને સાત્ત્વિક તપ કહે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 7 April 2026

મનનું તપ કહેવાય


मन: प्रसाद: सौम्यत्वं मौनमात्मविनिग्रह: |
भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते ||
भ.गी. 17.16

મનની પ્રસન્નતા, શાન્તભાવ, મનનશીલતા,
મનનો નિગ્રહ અને ભાવોની સારી પેઠે પવિત્રતા
આવા પ્રકારનું આ મનનું તપ કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 6 April 2026

વાણી સંબંધી તપ


अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् |
स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते ||
भ.गी. 17.15

જે કોઈને પણ દુઃખી ન કરનારી, સત્ય અને
પ્રિય તથા હિતકારક વાણી છે, તે તથા સ્વાધ્યાય
અને અભ્યાસ ( નામ-જપ વગેરે ) પણ વાણી સંબંધી
તપ કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 2 April 2026

શરીર-સંબંધી તપ


देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवम् |
ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते ||
भ.गी. 17.14

દેવો, બ્રાહ્મણો, ગુરુજનો અને જીવનમુક્ત મહાપુરુષોનું
યથાયોગ્ય પૂજન કરવું. પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્યનું
પાલન કરવું. અને હિંસા ન કરવી આ શરીર-સંબંધી
તપ કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 1 April 2026

શાસ્ત્રવિધિ, અન્નદાન, મંત્રો, દક્ષિણા અને શ્રદ્ધા વિના તામસ યજ્ઞ


विधिहीनमसृष्टान्नं मन्त्रहीनमदक्षिणम् |
श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते ||
भ.गी. 17.13

શાસ્ત્રવિધિ વિના, અન્નદાન વિના, મંત્રો
વિના, દક્ષિણા વિના અને શ્રદ્ધા વિના કરવામાં
આવેલા યજ્ઞને તામસ યજ્ઞ કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//