Tuesday, 16 June 2026

જ્ઞાનયોગની પરાનિષ્ઠા


सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे |
समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा ||
भ.गी. 18.50

હે કુન્તીપુત્ર ! સિદ્ધિ (અંતઃકરણની શુદ્ધિ)ને પ્રાપ્ત
થયેલો સાધક બ્રહ્મને કે જે જ્ઞાનયોગની પરાનિષ્ઠા
છે; તેને જે પ્રકારે પામે છે, એ પ્રકારને સંક્ષેપમાં
જ મારી પાસેથી સમજ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

 

Monday, 15 June 2026

સર્વશ્રેષ્ઠ નૈષ્કર્મ્યસિદ્ધિને પામે


असक्तबुद्धि: सर्वत्र जितात्मा विगतस्पृह: |
नैष्कर्म्यसिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति ||
भ.गी. 18.49

જેની બુદ્ધિ સર્વત્ર આસક્તિરહિત છે, જેણે શરીરને
વશ કરી લીધું છે, જે સ્પૃહા વિનાનો છે તે મનુષ્ય
સાંખ્યયોગ દ્વારા સર્વશ્રેષ્ઠ નૈષ્કર્મ્યસિદ્ધિને પામે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 13 June 2026

સહજ કર્મ નો ત્યાગ ન કરવો


सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् |
सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृता: ||
भ.गी. 18.48

હે કુંતીનંદન ! દોષયુક્ત હોવા છતાં પણ સહજ
કર્મ નો ત્યાગ ન કરવો જોઈએ; કેમ કે સઘળાં
કર્મો ધુમાડાથી અગ્નિની પેઠે દોષથી યુક્ત છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 12 June 2026

નિયત થયેલું સ્વધર્મરૂપી કર્મ


श्रेयान्स्वधर्मो विगुण: परधर्मात्स्वनुष्ठितात् |
स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ||
भ.गी. 18.47

સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ
કરતાં ગુણ રહિત પણ પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે.
કેમ કે સ્વભાવથી નિયત થયેલું સ્વધર્મરૂપી
કર્મ કરતો રહીને મનુષ્ય પાપને પ્રાપ્ત થતો નથી.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 11 June 2026

જેનાથી આ આખું જગત વ્યાપ્ત છે


यत: प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् |
स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानव: ||
भ.गी. 18.46

જે પરમેશ્વરથી સઘળાં પ્રાણીઓની ઉત્પત્તિ થાય
છે અને જેનાથી આ આખું જગત વ્યાપ્ત છે, એ
પરમેશ્વરની પોતાનાં સ્વાભાવિક કર્મો વડે પૂજા
કરીને માણસમાત્ર પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 10 June 2026

સ્વાભાવિક કર્મમાં પ્રેમપૂર્વક


स्वे स्वे कर्मण्यभिरत: संसिद्धिं लभते नर: |
स्वकर्मनिरत: सिद्धिं यथा विन्दति तच्छृणु ||
भ.गी. 18.45

પોત-પોતાના સ્વાભાવિક કર્મમાં પ્રેમપૂર્વક જોડાયેલો
માણસ ભગવત્પ્રાપ્તિરૂપી પરમ સિદ્ધિને પામી જાય છે.
પોતાના કર્મમાં જોડાયેલો માણસ જે રીતે કર્મ કરીને
પરમ સિદ્ધિને પામે છે એ ઉપાયને તું સાંભળ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 9 June 2026

વૈશ્યનાં તથા શૂદ્રનાં સ્વાભાવિક કર્મો


कृषिगौरक्ष्यवाणिज्यं वैश्यकर्म स्वभावजम् |
परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम् ||
भ.गी. 18.44

ખેતી, ગોપાલન અને વેપાર આ બધાં વૈશ્યનાં
સ્વાભાવિક કર્મો છે તથા ચારે વર્ણોની સેવા કરવી
એ શૂદ્રનું પણ સ્વાભાવિક કર્મ છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 8 June 2026

ક્ષત્રિયનાં સ્વાભાવિક કર્મો


शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम् |
दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् ||
भ.गी. 18.43

શૂરવીરતા તેજ, ધૈર્ય, રાજ્ય-કારોબારમાં નિપુણતા તથા
યુદ્ધમાં પણ પીઠ ન દેખાડવી, દાન આપવું અને શાસન
કરવાનો ભાવ-આ બધા જ ક્ષત્રિયનાં સ્વાભાવિક કર્મો છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 6 June 2026

બ્રાહ્મણનાં સ્વાભાવિક કર્મો


शमो दमस्तप: शौचं क्षान्तिरार्जवमेव च |
ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम् ||
भ.गी. 18.42

મનનો નિગ્રહ કરવો; ઇન્દ્રિયોને વશમાં કરવી; ધર્મના પાલન કાજે
કષ્ટ સહેવું, બાહ્ય-ભીતરથી શુદ્ધ રહેવું; બીજાના અપરાધોને ક્ષમા
આપવી, શરીર, મન, વગેરેમાં સરળતા રાખવી; વેદ-શાસ્ત્રોનું જ્ઞાન
હોવું; યજ્ઞવિધિને અનુભવમાં લાવવી અને વેદો, શાસ્ત્રો, ઈશ્વર આદિમાં
શ્રદ્ધા રાખવી, આ બધા જ બ્રાહ્મણનાં સ્વાભાવિક કર્મો છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 5 June 2026

સ્વભાવમાંથી ઉપજેલા ત્રણે ગુણો


ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप |
कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणै: ||
भ.गी. 18.41

હે પરંતપ ! બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા
શુદ્રોનાં કર્મો સ્વભાવમાંથી ઉપજેલા ત્રણે ગુણો
દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે.

// हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 4 June 2026

ક્યાંય પણ એવી કોઈ પણ વસ્તુ નથી જે ત્રણેય ગુણોથી મુક્ત હોય.


न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुन: |
सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभि: स्यात्त्रिभिर्गुणै: ||
भ.गी. 18.40

પૃથ્વી પર, સ્વર્ગમાં કે દેવતાઓમાં અથવા એ
સિવાય બીજે ક્યાંય પણ એવી કોઈ પણ વસ્તુ
નથી, જે પ્રકૃતિમાંથી જન્મેલા (સાત્ત્વિક-રાજસ-તામસ)
આ ત્રણેય ગુણોથી મુક્ત હોય.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 3 June 2026

મોહિત કરવાવાળું તામસ સુખ


यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मन: |
निद्रालस्यप्रमादोत्थं तत्तामसमुदाहृतम् ||
भ.गी. 18.39

નિદ્રા, આલસ્ય અને પ્રમાદથી ઉત્પન્ન થવાવાળું
જે સુખ આરંભમાં અને પરિણામમાં પણ પોતાને
મોહિત કરવાવાળું છે, તે સુખ તામસ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 2 June 2026

પરિણામે વિષ જેવું રાજસ સુખ


विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेऽमृतोपमम् |
परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् ||
भ.गी. 18.38

જે સુખ ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી થાય
છે, તે શરૂઆતમાં અમૃત જેવું જણાતું હોવા છતાં
પરિણામે વિષ જેવું છે; માટે એ સુખ રાજસ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 1 June 2026

આરંભમાં વિષ જેવું પણ પરિણામે અમૃત જેવું સાત્ત્વિક સુખ


सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभ | अभ्यासाद्रमते यत्र दु:खान्तं च निगच्छति ||
यत्तदग्रे विषमिव परिणामेऽमृतोपमम् | तत्सुखं सात्त्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम् ||
भ.गी. 18.36-37

હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન ! હવે ત્રણ પ્રકારનાં સુખને પણ તું મારી પાસેથી
 સાંભળ. જે સુખમાં સાધક અભ્યાસવડે રમણ કરે છે અને જેથી દુઃખોનો અંત થઈ
 જાય છે, એવું તે પરમાત્મવિષયક બુદ્ધિની પ્રસન્નતામાંથી ઉપજનારું જે સુખ સાંસારિક
 આસક્તિને કારણે આરંભમાં વિષ જેવું જણાય છે, પણ પરિણામે અમૃત જેવું છે;
તે સુખ સાત્ત્વિક કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//