सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभ | अभ्यासाद्रमते यत्र दु:खान्तं च निगच्छति ||
यत्तदग्रे विषमिव परिणामेऽमृतोपमम् | तत्सुखं सात्त्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम् ||
भ.गी. 18.36-37
હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન ! હવે ત્રણ પ્રકારનાં સુખને પણ તું મારી પાસેથી
સાંભળ. જે સુખમાં સાધક અભ્યાસવડે રમણ કરે છે અને જેથી દુઃખોનો અંત થઈ
જાય છે, એવું તે પરમાત્મવિષયક બુદ્ધિની પ્રસન્નતામાંથી ઉપજનારું જે સુખ સાંસારિક
આસક્તિને કારણે આરંભમાં વિષ જેવું જણાય છે, પણ પરિણામે અમૃત જેવું છે;
તે સુખ સાત્ત્વિક કહેવાયું છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment