Monday 4 September 2023

પ્રભુ શ્રીરામ

अस्मत्प्रसादसुमुखः कलया कलेश इक्ष्वाकुवंश अवतीर्य गुरोनिर्देशे |
तिष्ठन वनं सदयितानुज आविवेश यस्मिन् विरुध्य दशकन्धर आर्तिमाच्र्छत् ||

  બ્રહ્માંડની અંદરના તમામ જીવાત્માઓ ઉપરની તેમની નિષ્કારણ કરુણાને લીધે,
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તેમના પૂર્ણ વિસ્તારો સાથે મહારાજ ઇક્ષ્વાકુના કુળમાં તેમનાં 
અંતરંગ શક્તિ સીતાના સ્વામી પ્રભુ શ્રીરામ તરીકે પ્રગટ થયા હતા. તેમના પિતા મહારાજ
દશરથની આજ્ઞાને આધીન થઈને તેમણે વનમાં પ્રવેશ કર્યો અને તેમની પત્ની અને નાના ભાઈ 
સાથે ઘણાં વર્ષો સુધી ત્યાં વનવાસ કર્યો હતો, જે ભૌતિક રીતે ઘણો બળવાન બની ગયો હતો અને 
જેને દશ મસ્તક હતાં એવા રાવણે તેમની વિરુદ્ધ મહાઅપરાધ કર્યો હતો અને એમ થવાથી છેવટે તેનો 
નાશ કરવામાં આવ્યો.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।

0 comments:

Post a Comment