Wednesday 3 January 2024

ભક્તોની ત્રણ કક્ષા (વાંચો અને તપાસો તમે તમારી કઈ કક્ષા માં છો)


જે મનુષ્ય ભગવાનના મંદિરે જઈને બહુ ભક્તિભાવે આરાધના કરે છે, પરંતુ લોકો પ્રત્યે સહાનુભૂતિ બતાવતો નથી અથવા અન્ય ભક્તો પ્રત્યે આદર દર્શાવતો નથી તે ત્રીજી કક્ષાનો ભક્ત ગણાય છે. એમ પણ કહ્યું છે કે જે ભક્ત પતિત જીવો પ્રત્યે દયાળુ અને અનુકંપાભર્યો હોય છે તે બીજી કક્ષાનો ભક્ત છે. બીજી કક્ષાનો ભક્ત ભગવાન ના સનાતન સેવક તરીકેની પોતાની સ્થિતિ વિશે સદા જાગૃત હોય છે. તેથી તે ભગવદ્ ભક્તો સાથે મૈત્રી કરે છે, લોકોને ભક્તિ શીખવવામાં તેમના પ્રત્યે અનુકંપાથી વર્તે છે અને અભક્તોનો સંગ કરવાનો કે તેમને સહકાર આપવાનો ઈનકાર કરે છે.ભક્ત જ્યાં લગી તેની ભગવદ્ ભક્તિમાં સર્વસાધારણ લોકો પ્રત્યે અનુકંપા યુક્ત થતો નથી,ત્યાં લગી તે ત્રીજી કક્ષાનો ભક્ત રહે છે. પ્રથમ કક્ષાનો ભક્ત દરેક જીવને ખાતરી આપે છે કે આ ભૌતિક જીવનનો કશો ભય રાખવો નહિ: “આપણે કૃષ્ણ ભાવનાપરાયણ થઈને રહીએ અને ભૌતિક જીવનની અવિદ્યાને જીતીએ.”


//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment