Wednesday, 17 June 2026

બ્રહ્મ પ્રાપ્તિને પાત્ર


बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च | शब्दादीन्विषयांस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च ||
विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानस: | ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रित: ||
अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहम् | विमुच्य निर्मम: शान्तो ब्रह्मभूयाय कल्पते ||
भ.गी. 18.51-52-53

જે વિશુદ્ધ (સાત્ત્વિકી) બુદ્ધિથી યુક્ત, વૈરાગ્યને આશ્રિત, એકાંતનું સેવન કરવાવાળો
અને નિયમિત ભોજન કરવાવાળો સાધક ધૈર્યપૂર્વક ઈન્દ્રિયોનું નિયમન કરીને, શરીર,
વાણી અને મનને વશ કરીને, શબ્દાદિ વિષયોનો ત્યાગ કરીને અને રાગ-દ્વેષને છોડીને
નિરન્તર ધ્યાનયોગ પરાયણ થઈ જાય છે તે અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધ અને પરિગ્રહથી
રહિત થઇને અને મમતા રહિત તથા શાંત થઇને બ્રહ્મ પ્રાપ્તિને પાત્ર બની જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment