Friday, 7 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.24-25


સંજય ઉવાચઃ
એવમુક્તો હૃષીકેશો ગુડાકેશેન ભારત। સેનયોરુ ભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ્ ।।
ભીષ્મદ્રોણપ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતામ્ । ઉવાચ પાર્થ પષયૈતાન્ સમવેતાન્ કુરૂનિતિ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.24-25

સંજય બોલ્યા : હે ધૃતરાષ્ટ્ર ! ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા હૃષીકેશ શ્રીકૃષ્ણચન્દ્રે
બન્ને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને
ઉભો રાખીને આ પ્રમાણે કહ્યું, "હે પાર્થ ! યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો."

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:

Post a Comment