धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् |
श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् ||
આ ભાગવતપુરાણ સર્વોચ્ચ સત્યનું પ્રતિપાદન કરે છે, તેમ જ ભૌતિક દૃષ્ટિબિંદુથી પ્રેરાયેલી સર્વ ધાર્મિક પ્રવૃત્તિઓનો સંપૂર્ણપણે અસ્વીકાર કરે છે. તે હૃદયથી પૂર્ણપણે શુદ્ધ એવા ભક્તો દ્વારા જ સમજી શકાય તેવું છે. સર્વોચ્ચ સત્ય એ માયાથી ભિન્ન વાસ્તવિક્તા છે અને સૌનું કલ્યાણ કરનાર છે. આવું સત્ય એ ત્રિવિધ દુ:ખોનો મૂળમાંથી જ ઉચ્છેદ કરે છે. મહાન ઋષિ વ્યાસદેવ દ્વારા તેમની પરિપક્વ અવસ્થામાં રચવામાં આવેલું આ મનોહર ભાગવતમ્ પોતે એકલું જ ભગવાનના સાક્ષાત્કાર માટે પૂરતું છે. તો પછી અન્ય કોઈ શાસ્ત્રની જરૂર જ શી છે? જેવું કોઈ એકચિત્તે તેમ જ શરણભાવે ભાગવતના સંદેશાનું શ્રવણ કરે છે કે તરત જ આ જ્ઞાનના સંસ્કારને લીધે પરમેશ્વર તેના હૃદય મધ્યે સ્થાપિત થાય છે.
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:
Post a Comment