Sunday, 31 December 2023

ચાર નિયમો


વૈરાગ્યના ચાર નિયમો છે : 
(1) અનૈતિક જાતીય જીવનનો ત્યાગ
(2) માંસ ભક્ષણ નો ત્યાગ 
(3) નશાનો ત્યાગ અને 
(4) જુગાર નો ત્યાગ 
આ ચાર નિયમોને "તપસ્યા" કહેવાય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Saturday, 30 December 2023

એકાગ્ર


સામાન્યતઃ મંદબુદ્ધિ મનુષ્યો જ યોગાભ્યાસના જુદાં જુદાં 
આસનોને યોગ નો અંતિમ ઉદ્દેશ માને છે, પરંતુ વાસ્તવમાં 
તે આસનોનો હેતુ પરમાત્મા ઉપર મનને એકાગ્ર કરવાનો હોય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Friday, 29 December 2023

નવી દ્રષ્ટિ (આંખ)



મનુષ્યને સ્વતંત્રતા સ્વેછાચારી બનાવે છે. પોતાની બુદ્ધિ જ 
સર્વથી શ્રેષ્ઠ છે, તેવું અભિમાન આવે છે. કોઈ સંતનું ચરિત્ર 
ગમતું હોય, તેને ગુરુ માની તેને આધીન થવાથી અહંનો વિનાશ 
થાય છે. ગુરુથી આ અહંનો વિનાશ થવાની સાથે-સાથે એક નવી 
દ્રષ્ટિ (આંખ) ખુલે છે. સદ્દગુરુ સંતતિ-સંપત્તિ-સંસારસુખ આપતા 
નથી, પરંતુ પરમાત્માના દર્શન કરવાની એક દ્રષ્ટિ (આંખ) આપે 
છે. બુદ્ધિ આપે છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Thursday, 28 December 2023

શરણાગત


त्वमेकः किल लोकानां क्लिष्टानां क्लेशनाशनः |
त्वमेकः क्लेशदस्तेषामनासन्नपदां तव ||

હે મારા પ્રભુ, દુઃખી જનોનાં દુઃખ નિવારી શકનાર 
એકમાત્ર આપ જ છો અને જે લોકો આપના ચરણે 
શરણાગત થતા નથી, તેમને પીડા આપનાર પણ 
આપ જ છો.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Wednesday, 27 December 2023

કામેચ્છાથી મુક્ત



 

Tuesday, 26 December 2023

અતિસુક્ષ્મ પરમાત્મા


સંસારના જડ પદાર્થોને જેમ બુદ્ધિમાં રાખો છો, તે જ રીતે 
બુદ્ધિમાં પરમાત્માને રાખો. સર્વમાં રહેલા પરમાત્મા આંખને 
દેખાતા નથી પણ બુદ્ધિને દેખાય છે. બુદ્ધિ તેમનો અનુભવ 
કરી શકે છે. અતિસુક્ષ્મ પરમાત્મા આંખને ન દેખાય પણ કોઈ 
સંત કૃપા કરે અને જોવાની દ્રષ્ટિ આપે ત્યારે તે પ્રભુ દેખાય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Monday, 25 December 2023

અનુરાગી