ચાર નિયમો By V.I.Jadeja December 31, 2023 // No comments વૈરાગ્યના ચાર નિયમો છે : (1) અનૈતિક જાતીય જીવનનો ત્યાગ(2) માંસ ભક્ષણ નો ત્યાગ (3) નશાનો ત્યાગ અને (4) જુગાર નો ત્યાગ આ ચાર નિયમોને "તપસ્યા" કહેવાય છે.//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે// Read More
એકાગ્ર By V.I.Jadeja December 30, 2023 // No comments સામાન્યતઃ મંદબુદ્ધિ મનુષ્યો જ યોગાભ્યાસના જુદાં જુદાં આસનોને યોગ નો અંતિમ ઉદ્દેશ માને છે, પરંતુ વાસ્તવમાં તે આસનોનો હેતુ પરમાત્મા ઉપર મનને એકાગ્ર કરવાનો હોય છે.//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે// Read More
નવી દ્રષ્ટિ (આંખ) By V.I.Jadeja December 29, 2023 // No comments મનુષ્યને સ્વતંત્રતા સ્વેછાચારી બનાવે છે. પોતાની બુદ્ધિ જ સર્વથી શ્રેષ્ઠ છે, તેવું અભિમાન આવે છે. કોઈ સંતનું ચરિત્ર ગમતું હોય, તેને ગુરુ માની તેને આધીન થવાથી અહંનો વિનાશ થાય છે. ગુરુથી આ અહંનો વિનાશ થવાની સાથે-સાથે એક નવી દ્રષ્ટિ (આંખ) ખુલે છે. સદ્દગુરુ સંતતિ-સંપત્તિ-સંસારસુખ આપતા નથી, પરંતુ પરમાત્માના દર્શન કરવાની એક દ્રષ્ટિ (આંખ) આપે છે. બુદ્ધિ આપે છે.//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે// Read More
શરણાગત By V.I.Jadeja December 28, 2023 // No comments त्वमेकः किल लोकानां क्लिष्टानां क्लेशनाशनः |त्वमेकः क्लेशदस्तेषामनासन्नपदां तव ||હે મારા પ્રભુ, દુઃખી જનોનાં દુઃખ નિવારી શકનાર એકમાત્ર આપ જ છો અને જે લોકો આપના ચરણે શરણાગત થતા નથી, તેમને પીડા આપનાર પણ આપ જ છો.//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે// Read More
કામેચ્છાથી મુક્ત By V.I.Jadeja December 27, 2023 // No comments જાતીય જીવન ભૌતિક જીવનની પાર્શ્વભૂમિ છે.અસુરો બહુ મૈથુન પ્રિય હોય છે. જેઓ કામેચ્છાથી વધારે મુક્ત થાય તે દેવોની કક્ષામાં વધુ આગળ વધે છે અને જેઓ કામતૃપ્તિમાં વધુ રુચિ રાખે તેમનું આસુરી જીવન પ્રતિ વધુ અધઃપતન થાય છે.//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે// Read More
અતિસુક્ષ્મ પરમાત્મા By V.I.Jadeja December 26, 2023 // No comments સંસારના જડ પદાર્થોને જેમ બુદ્ધિમાં રાખો છો, તે જ રીતે બુદ્ધિમાં પરમાત્માને રાખો. સર્વમાં રહેલા પરમાત્મા આંખને દેખાતા નથી પણ બુદ્ધિને દેખાય છે. બુદ્ધિ તેમનો અનુભવ કરી શકે છે. અતિસુક્ષ્મ પરમાત્મા આંખને ન દેખાય પણ કોઈ સંત કૃપા કરે અને જોવાની દ્રષ્ટિ આપે ત્યારે તે પ્રભુ દેખાય છે.//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે// Read More
અનુરાગી By V.I.Jadeja December 25, 2023 // No comments ભગવદ્દ ગીતા માં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, મારું આ વિશ્વરૂપતારા સિવાય બીજા કોઈથી જોઈ શકાય તેમ નથી અને ભવિષ્યમાં કોઈ જોઈ શકશે નહી. તો કેમ માત્ર અર્જુન જ જોઈ શકે એનો જવાબ છે કે અર્જુન એટલે અનુરાગ.અનુરાગ વગર નો મનુષ્ય ન કદી જોઈ શક્યો છે, ન ભવિષ્યમાં કદી જોઈ શકશે. તમામ દિશાએથી મનને પાછું વાળીને એકમાત્ર ઇષ્ટમાં રાગ રાખવો એ જ અનુરાગ છે. અનુરાગી માટે પ્રાપ્તિનું આ જ વિધાન છે.//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે// Read More