Saturday, 31 January 2026

જીવાત્મા મનનો આશ્રય લઇને વિષયોનું સેવન કરે છે


श्रोत्रं चक्षु: स्पर्शनं च रसनं घ्राणमेव च |
अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते ||
भ.गी. 15.9

આ જીવાત્મા મનનો આશ્રય લઇને જ શ્રોત્ર,
ચક્ષુ અને ત્વચા, રસના, અને ધ્રાણ આ પાંચેય
ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 30 January 2026

જે શરીરને પામે છે એમાં ચાલ્યો જાય


शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वर: |
गृहीत्वैतानि संयाति वायुर्गन्धानिवाशयात् ||
भ.गी. 15.8

વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને
લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી બનેલો
જીવાત્મા પણ જે શરીરને છોડે છે, ત્યાંથી આ (મનસમેત
ઇન્દ્રિયો)ને લઈને, પછી જે શરીરને પામે છે એમાં ચાલ્યો
જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 29 January 2026

આત્મા પોતે મારો જ સનાતન અંશ છે


ममैवांशो जीवलोके जीवभूत: सनातन: |
मन:षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ||
भ.गी. 15.7

આ સંસારમાં જીવ બનેલો આત્મા પોતે મારો જ
સનાતન અંશ છે; અને તે પ્રકૃતિમાં રહેલી
મનસહિતની પાંચેય ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે
એટલે કે પોતાની માની લે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 28 January 2026

પરમપદને ન સૂર્ય, ન ચંદ્રમા અને ન અગ્નિ પણ પ્રકાશિત કરી શકે


न तद्भासयते सूर्यो न शशाङ्को न पावक: |
यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ||
भ.गी. 15.6

તે પરમપદને ન સૂર્ય, ન ચંદ્રમા અને ન અગ્નિ
પણ પ્રકાશિત કરી શકે છે અને જે પરમપદને
પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા
નથી, તે જ મારું પરમધામ છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 27 January 2026

ઊંચી સ્થિતિવાળા મોહરહિત સાધક ભક્તો


निर्मानमोहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामा: |
द्वन्द्वैर्विमुक्ता: सुखदु:खसंज्ञैर्गच्छन्त्यमूढा: पदमव्ययं तत् ||
भ.गी. 15.5

જેમનાં માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યાં છે, જેમણે
આસક્તિરૂપ દોષોને જીતી લીધાં છે, જેમની પરમાત્માના
સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે જેમની પોતાની દ્રષ્ટિથી સંપૂર્ણ
કામનાઓ નાશ પામી ચુકી છે, સુખ-દુઃખરૂપી દ્વંદ્વોથી મુક્ત
થઈ ગયા છે એવા ઊંચી સ્થિતિવાળા મોહરહિત સાધક ભક્તો
તે અવિનાશી પરમપદ પરમાત્માને પ્રાપ્ત થાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 26 January 2026

ન તો તેની શરૂઆત, ન અંત, ન તો તેનું સતત અસ્તિત્વ


न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा |
अश्वत्थमेनं सुविरूढमूल मसङ्गशस्त्रेण दृढेन छित्त्वा ||
तत: पदं तत्परिमार्गितव्यं यस्मिन्गता न निवर्तन्ति भूय: |
तमेव चाद्यं पुरुषं प्रपद्ये यत: प्रवृत्ति: प्रसृता पुराणी ||
भ.गी. 15.3-4

આ વૃક્ષનું વાસ્તવિક સ્વરૂપ આ દુનિયામાં જોવા મળતું નથી,
ન તો તેની શરૂઆત, ન અંત, ન તો તેનું સતત અસ્તિત્વ. પરંતુ
આ ઊંડા મૂળવાળા અશ્વત્થ વૃક્ષને અનાસક્તિની મજબૂત કુહાડીથી
કાપી નાખવું જોઈએ. પછી વ્યક્તિએ વૃક્ષના પાયાની શોધ કરવી
જોઈએ, જે પરમ ભગવાન છે, જેમનાથી ઘણા સમય પહેલા બ્રહ્માંડની 
પ્રવૃત્તિનો પ્રવાહ વહેતો થયો હતો. તેમનામાં આશ્રય લીધા પછી, 
વ્યક્તિ ફરીથી આ દુનિયામાં પાછો ફરશે નહીં.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 24 January 2026

સંસારવૃક્ષની ગુણો દ્વારા ફેલાયેલી વિષયોરૂપી કુંપળોવાળી શાખાઓ


अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवाला: |
अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके ||
भ.गी. 15.2

તે સંસારવૃક્ષની ગુણો (સત્ત્વ, રજ, અને તમ) દ્વારા ફેલાયેલી
તથા વિષયોરૂપી કુંપળોવાળી શાખાઓ નીચે મધ્યમાં અને
ઉપર બધી બાજુ ફેલાયેલી છે. મનુષ્યલોકમાં કર્માનુસાર બાંધનારા
મૂળિયાં પણ નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાયેલાં છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//