Friday, 31 October 2025

સૌમાં સમાન ભાવ રાખનારા સાધકો


ये त्वक्षरमनिर्देश्यमव्यक्तं पर्युपासते | सर्वत्रगमचिन्त्यञ्च कूटस्थमचलन्ध्रुवम् ||
सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धय: | ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रता: ||
भ.गी. 12.3-4

પરંતુ જે ભક્તો, ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને
મન-બુદ્ધિથી પર, સર્વવ્યાપક, જોવામાં ન આવનારા, નિર્વિકાર,
નિત્ય, અચળ, અક્ષર અને નિરાકારની તત્પરતાથી ઉપાસના કરે
છે, તે સઘળાં પ્રાણીઓના હિતમાં પ્રીતિવાળા અને સૌમાં સમાન
ભાવ રાખનારા સાધકો મને જ પામે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 30 October 2025

સર્વ શ્રેષ્ઠ યોગી


श्रीभगवानुवाच |
मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते |
श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मता: ||
भ.गी. 12.2

શ્રીભગવાન બોલ્યા-મારામાં મનને પરોવીને
નિત્ય-નિરંતર મારા ભજન-ધ્યાનમાં રચ્યાપચ્યા
રહેનારા જે ભક્તજનો, પરમ શ્રદ્ધાભાવથી યુક્ત
થઇને મુજ સગુણ સાકારની ઉપાસના કરે છે, તેઓ
મારા મત પ્રમાણે સર્વ શ્રેષ્ઠ યોગી છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 29 October 2025

ઉત્તમ યોગવેત્તા કોણ


अर्जुन उवाच |
एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते |
ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमा: ||
भ.गी. 12.1

અર્જુન બોલ્યા-જે ભક્તો આ પ્રમાણે નિરંતર આપની
ભક્તિમાં લીન રહીને આપ સગુણસ્વરૂપની ઉપાસના
કરે છે અને બીજા ભક્તો જે કેવળ અવિનાશી નિર્ગુણ-
નિરાકારની જ ઉપાસના કરે છે, એ બન્ને પ્રકારના ઉપાસકોમાં
ઉત્તમ યોગવેત્તા કોણ છે?

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 28 October 2025

એ ભક્ત મને પ્રાપ્ત થાય છે


मत्कर्मकृन्मत्परमो मद्भक्त: सङ्गवर्जित: |
निर्वैर: सर्वभूतेषु य: स मामेति पाण्डव ||
भ.गी. 11.55

હે પાંડુપુત્ર ! જે મારે માટે જ કર્મ કરનારો,
મારે જ પરાયણ અને મારો જ પ્રેમી ભક્ત
છે તથા સર્વથા આસક્તિ વિનાનો છે અને
સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવથી રહિત છે, એ
ભક્ત મને પ્રાપ્ત થાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 27 October 2025

ભક્તિ દ્વારા જ દેખાવા તથા પ્રાપ્ત કરવો શક્ય છું


भक्त्या त्वनन्यया शक्य अहमेवंविधोऽर्जुन |
ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप ||
भ.गी. 11.54

પરંતુ હે શત્રુતાપન અર્જુન ! આવો ચતુર્ભુજરૂપધારી
હું માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ તત્ત્વથી જાણવા અને
સાકારરૂપે દેખાવા તથા પ્રાપ્ત કરવો શક્ય છું.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 25 October 2025

જેવો તેં મને જોયો


नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया |
शक्य एवंविधो द्रष्टुं दृष्टवानसि मां यथा ||
भ.गी. 11.53

જેવો તેં મને જોયો છે, એવો ચતુર્ભુજરૂપધારી
હું ન તો વેદોથી, ન તપથી, ન દાનથી જોઈ
શકાઉં છું અને ન યજ્ઞથી પણ જોઈ શકાઉં છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 24 October 2025

ઘણાં દુર્લભ દર્શન


श्रीभगवानुवाच |
सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्मम |
देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिण: ||
भ.गी. 11.52

શ્રી ભગવાન બોલ્યા - આ મારું જે ચતુર્ભુજરૂપ તેં
જોયું છે, એનાં દર્શન થવાં ઘણાં દુર્લભ છે. દેવતાઓ
પણ આ રૂપના દર્શન કરવા સદા આતુર રહે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 23 October 2025

પરમશાન્ત મનુષ્યરૂપ


अर्जुन उवाच |
दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन |
इदानीमस्मि संवृत्त: सचेता: प्रकृतिं गत: ||
भ.गी. 11.51

અર્જુન બોલ્યા-હે જનાર્દન ! આપના આ પરમશાન્ત
મનુષ્યરૂપને જોઈને હું હવે સ્થિરચિત્ત થઈ ગયો છું
અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચુક્યો છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 21 October 2025

ચતુર્ભુજ રૂપ દેખાડ્યું અને અર્જુનને આશ્વાસન આપ્યું


सञ्जय उवाच |
इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा स्वकं रूपं दर्शयामास भूय: |
आश्वासयामास च भीतमेनं भूत्वा पुन: सौम्यवपुर्महात्मा ||
भ.गी. 11.50

સંજય બોલ્યા - વાસુદેવ ભગવાને અર્જુનને આ પ્રમાણે
કહીને ફરીથી એવું જ પોતાનું ચતુર્ભુજ રૂપ દેખાડ્યું અને
મહાત્મા શ્રીકૃષ્ણે પછી સૌમ્યમૂર્તિ એટલે કે દ્વિભુજ મનુષ્યરૂપ
થઈને આ ભય પામેલા અર્જુનને આશ્વાસન આપ્યું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 18 October 2025

નિર્ભય અને પ્રસન્ન મનવાળો થા


मा ते व्यथा मा च विमूढभावो दृष्ट्वा रूपं घोरमीदृङ्ममेदम् |
व्यपेतभी: प्रीतमना: पुनस्त्वं तदेव मे रूपमिदं प्रपश्य ||
भ.गी. 11.49

આ મારા આવા પ્રકારના વિકરાળ રૂપને જોઈને તને વ્યાકુળતા
ન થાઓ અને મૂઢ ભાવ પણ ન થાઓ નિર્ભય અને પ્રસન્ન મનવાળો
થઈને તું, ફરી એ જ મારા આ શંખ-ચક્ર-ગદા-પદ્મધારી ચતુર્ભુજ
રૂપને જોઈ લે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 17 October 2025

તારા કૃપાપાત્ર સિવાય બીજા કોઈને દેખાઇ શકું


न वेदयज्ञाध्ययनैर्न दानैर्न च क्रियाभिर्न तपोभिरुग्रै: |
एवंरूप: शक्य अहं नृलोके द्रष्टुं त्वदन्येन कुरुप्रवीर ||
भ.गी. 11.48

હે કુરુશ્રેષ્ઠ ! મનુષ્યલોકમાં આવા પ્રકારનો વિશ્વરૂપવાળો
હું ન વેદોના અધ્યયનથી, ન યજ્ઞોના અનુષ્ઠાનથી, ન શાસ્ત્રોના
અધ્યયનથી ન દાનથી ન કઠોર તપથી અને ન માત્ર ક્રિયાઓથી
તારા કૃપાપાત્ર સિવાય બીજા કોઈને દેખાઇ શકું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 16 October 2025

ઉત્કૃષ્ટ તેજોમય, સર્વનું આદિ અને અસીમ વિરાટ રૂપ


श्रीभगवानुवाच |
मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात् |
तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन न दृष्टपूर्वम् ||
भ.गी. 11.47

શ્રી ભગવાન બોલ્યા-હે અર્જુન ! મેં અનુગ્રહ કરીને પોતાની
યોગશક્તિના પ્રભાવે આ મારું ઉત્કૃષ્ટ તેજોમય, સર્વનું આદિ
અને અસીમ વિરાટ રૂપ તને દેખાડ્યું છે, જેને તારા સિવાય
બીજા કોઇએ પહેલાં જોયું નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 15 October 2025

શંખ,ચક્ર, ગદા, પદ્મ સહીત


किरीटिनं गदिनं चक्रहस्तमिच्छामि त्वां द्रष्टुमहं तथैव |
तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहो भव विश्वमूर्ते ||
भ.गी. 11.46

હું આપને એવા જ મુગટધારી, ગદાધારી અને હાથમાં
ચક્ર ધારણ કરેલા અર્થાત્ ચતુર્ભુજ રૂપમાં જોવા ઇચ્છું છું,
માટે હે હજાર હાથવાળા ! હે વિશ્વસ્વરૂપ ! આપ એ જ
ચતુર્ભુજરૂપે એટલે કે શંખ,ચક્ર, ગદા, પદ્મ સહીત થઇ જાઓ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 14 October 2025

હે દેવેશ ! હે જગન્નિવાસ ! આપ પ્રસન્ન થાઓ


अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्वा भयेन च प्रव्यथितं मनो मे |
तदेव मे दर्शय देवरूपं प्रसीद देवेश जगन्निवास ||
भ.गी. 11.45

જે પહેલાં ન જોયેલા આપના આ રૂપને જોઈને હું હર્ષિત
પણ થઈ રહ્યો છું અને સાથે સાથે ભયને લીધે મારું મન
ઘણું વ્યાકુળ પણ થઈ રહ્યું છે; માટે આપ મને પેલું ચતુર્ભુજ
એટલે કે શાન્ત વિષ્ણુરૂપ દેખાડો. હે દેવેશ ! હે જગન્નિવાસ !
આપ પ્રસન્ન થાઓ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 13 October 2025

આપ ક્ષમા કરવા સમર્થ છો


तस्मात्प्रणम्य प्रणिधाय कायं प्रसादये त्वामहमीशमीड्यम् |
पितेव पुत्रस्य सखेव सख्यु: प्रिय: प्रियायार्हसि देव सोढुम् ||
भ.गी. 11.44

માટે હે પ્રભો ! સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને હું શરીરને સારી
પેઠે ચરણોમાં નિવેદિત કરીને પ્રણામ કરીને પ્રસન્ન કરવા ઇચ્છું
છું. પિતા જેમ પુત્રના, સખા જેમ સખાના અને પતિ જેમ પ્રિયતમા
પત્નીના અપમાન સહી લે છે એમ જ હે દેવ ! આપ મારા દ્વારા
કરાયેલા અપમાનને સહી લેવામાં અર્થાત્ ક્ષમા કરવા સમર્થ છો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 10 October 2025

હે અનંત પ્રભાવશાળી ભગવન્ !


पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् |
न त्वत्समोऽस्त्यभ्यधिक: कुतोऽन्यो लोकत्रयेऽप्यप्रतिमप्रभाव ||
भ.गी. 11.43

આપ જ આ ચરાચર જગતના પિતા છો, આપ જ પૂજનીય
છો. અને આપ જ ગુરુઓના મહાન ગુરુ છો. હે અનંત
પ્રભાવશાળી ભગવન્ ! આ ત્રણેય લોકમાં આપના સમાન
પણ બીજો કોઈ નથી, પછી ચઢિયાતો તો ક્યાંથી હોઈ શકે !!

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 9 October 2025

હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું


सखेति मत्वा प्रसभं यदुक्तं हे कृष्ण हे यादव हे सखेति | अजानता महिमानं तवेदं मया प्रमादात्प्रणयेन वापि ||
यच्चावहासार्थमसत्कृतोऽसि विहारशय्यासनभोजनेषु | एकोऽथवाप्यच्युत तत्समक्षं तत्क्षामये त्वामहमप्रमेयम् ||
भ.गी. 11.41-42

આપના આ પ્રભાવને નહીં જાણતાં,'મારા સખા છો' એમ
માનીને મેં પ્રેમથી અથવા પ્રમાદથી પણ અવજ્ઞાપૂર્વક જે કંઈ
વગર વિચાર્યે 'હે કૃષ્ણ !' 'હે યાદવ !' 'હે સખા !' એ પ્રમાણે
જે કંઈ કહ્યું છે; અને હે અચ્યુત ! વિનોદ ખાતર સૂતાં-જાગતાં,
ખાતાં-પીતાં આદિ સમયે એકાન્તમાં કે પછી તે સખાઓ, કુટુંબીઓ
આદિ ની સામે મારા દ્વારા આપનું જે કંઈ તિરસ્કાર-અપમાન કરવામાં 
આવ્યું છે; હે અપ્રમેયસ્વરૂપ ! તે બધું આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Wednesday, 8 October 2025

સર્વ કાંઈ આપ જ છો



नम: पुरस्तादथ पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्व |
अनन्तवीर्यामितविक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्व: ||
भ.गी. 11.40

હે સર્વસ્વરૂપ ! આપને આગળથી નમસ્કાર હો ! તેમજ
પાછળથી પણ નમસ્કાર હો ! આપને દશેદીશાઓથી
નમસ્કાર કરું છું; હે અનંતવીર્ય ! ધરાવનાર અનંત
પરાક્રમવાળા આપે આખા બ્રહ્માંડને એક સ્થાનમાં
સમેટી રાખ્યું છે. માટે સર્વ કાંઈ આપ જ છો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 7 October 2025

નમસ્કાર હો ! નમસ્કાર હો !


वायुर्यमोऽग्निर्वरुण: शशाङ्क: प्रजापतिस्त्वं प्रपितामहश्च |
नमो नमस्तेऽस्तु सहस्रकृत्व: पुनश्च भूयोऽपि नमो नमस्ते ||
भ.गी. 11.39

આપ જ વાયુ, યમરાજ, અગ્નિ, વરુણ, ચંદ્રમા, દક્ષ વગેરે
પ્રજાપતિ અને પિતામહ એટલે કે બ્રહ્માના પણ પિતા છો.
આપને હજારો વાર નમસ્કાર હો ! નમસ્કાર હો ! અને ફરી
પણ આપને વારંવાર નમસ્કાર હો ! નમસ્કાર હો !

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 6 October 2025

જાણવાવાળા, જાણવાયોગ્ય અને પરમ ધામ


त्वमादिदेव: पुरुष: पुराणस्त्वमस्य विश्वस्य परं निधानम् |
वेत्तासि वेद्यं च परं च धाम त्वया ततं विश्वमनन्तरूप ||
भ.गी. 11.38

આપ જ આદિદેવ અને પુરાણ પુરુષ છો તથા આપ જ
આ જગતના પરમ આશ્રય છો. આપ જ બધાને જાણવાવાળા,
જાણવાયોગ્ય અને પરમ ધામ છો. હે અનન્તરૂપ ! આપનાથી
જ સંપૂર્ણ સંસાર વ્યાપ્ત છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 4 October 2025

હે અનન્ત ! હે દેવતાઓના ઈશ ! હે જગન્નિવાસ !


कस्माच्च ते न नमेरन्महात्मन् गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे |
अनन्त देवेश जगन्निवास त्वमक्षरं सदसतत्परं यत् ||
भ.गी. 11.37

હે મહાત્મન્ ! બ્રહ્માના પણ આદિકર્તા અને ગુરુઓના
પણ ગુરુ આપને માટે તે સિદ્ધગણ કેમ નમસ્કાર ન કરે ?
કેમ કે હે અનન્ત ! હે દેવતાઓના ઈશ ! હે જગન્નિવાસ !
આપ અક્ષર સ્વરૂપ છો. આપ સત્ પણ છો, અસત્ પણ
છો અને એ બેયથી પર જે કાંઈ છે તે પણ આપ જ છો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 3 October 2025

આ સઘળું વિશ્વ ઘણું હર્ષિત થઈ રહ્યું છે


अर्जुन उवाच |
स्थाने हृषीकेश तव प्रकीर्त्या जगत्प्रहृष्यत्यनुरज्यते च |
रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसङ्घा: ||
भ.गी. 11.36

અર્જુન બોલ્યા: હે અન્તર્યામી ! ભગવન ! આપનાં નામ, ગુણ
અને લીલાનું કીર્તન કરવાથી આ સઘળું વિશ્વ ઘણું હર્ષિત થઈ
રહ્યું છે. અને પ્રેમવિહ્વળ પણ થઈ રહ્યું છે; તેમજ આપના નામ,
ગુણ આદિના કીર્તનથી ભયભીત થઇને રાક્ષસો દશેદિશાઓમાં
નાસી રહ્યા છે તથા સંપૂણ સિદ્ધગણોના સમૂહો આપણે નમસ્કાર
કરી રહ્યા છે. આ બધું યોગ્ય જ થઈ રહ્યું છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 1 October 2025

ભગવાન શ્રીકૃષ્ણને ગદ્દગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા


सञ्जय उवाच |
एतच्छ्रुत्वा वचनं केशवस्य कृताञ्जलिर्वेपमान: किरीटी |
नमस्कृत्वा भूय एवाह कृष्णं सगद्गदं भीतभीत: प्रणम्य ||
भ.गी. 11.35

સંજય બોલ્યા: ભગવાન કેશવના આ વચન સાંભળીને
ભયથી થરથર કાંપતા કિરીટી અર્જુન હાથ જોડીને, નમસ્કાર
કરીને, અને ભયભીત થઇને પણ પછી પ્રણામ કરીને, ભગવાન
શ્રીકૃષ્ણને ગદ્દગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//